ગુજરાત
Recent News of ગુજરાત
ગુજરાતની શાળાઓમાં વેકેશન એક સપ્તાહ લંબાઈ શકે છે....
રાજ્યમાં વધેલા ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યની શાળામાં વેકેશન એક સપ્તાહ લંબાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. વેકેશન 10 જૂનના બદલે 17 જૂન સુધી વેકેશન લંબાવવા માટે ત્રણ અલગ અલગ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પાલનપુરના ગોબરીરોડ વિસ્તારમાં બાળ લગ્ન થતાં અટકાવાયા
સમાજ સુરક્ષાની ટીમ માંડવે પહોંચી લગ્ન કરાવનારા પરિવારોને સમજાવવામાં આવ્યા
વિરમગામ શહેરમાં કોટપા એક્ટનો ભંગ કરનારા ૧૦ વેપારીઓ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા દંડ વસુલાયો
વિરમગામ એસ.ટી.ડેપોમાં આવેલી વિવિધ ડેપોની ૪૫ થી વધુ બસમાં ધુમ્રપાન પ્રતિબંધીત વિસ્તાર અંગેના સ્ટીકર લગાડવામાં આવ્યા
દિયોદર તાલુકા મંડળી દ્વારા રાહતદરે ચોપડા વિતરણ
ધી દિયોદર તાલુકા નાગરીક શરાફી સહકારી મંડળી લી. દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને રાહતદરે ચોપડા મળી રહે તેવું વારંવાર આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ મંડળી દ્વારા ફુલસ્કેપ સારા કાગળના ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરેલ છે.
બનાસબેંક સિની. ઇન્સ્પેક્ટરને વિદાયમાન અપાયું
બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમા સિની. ઇન્સ્પેક્ટર વડગામ તરીકે ફરજ બજાવતા જલોત્રાના રહીશ રામજીભાઇ બી.ભટોળ તા ૩૧-૦૫-૨૦૧૯ના રોજ સેવા નિવૃત થતા વડગામ ખાતે બનાસબેંક વડગામ પરિવાર દ્વારા શ્રીફળ, શાલ, માતાજીની મૂર્તિ તથા સોનાની વિંટી અર્પણ કરવામાં આવી તથા સેવામંડળી મંત્રીઓ દ્વારા સોનાની ચેઇન તથા સ્નેહીજનો દ્વારા મોમેન્ટો અર્પણ કરવામાં આવી.
થરા પ્રગતિ બેંક દ્વારા ત્રણ મૃતકના વારસદારોને ચેક વિતરણ કરાયા
કાંકરેજ તાલુકાના થરા નગરમાં આવેલ ધી પ્રગતિ કો.ઓ. બેંક, લી.દ્વારા પ્રધાનમંત્રી જીવન જયોતિ વિમા અંતર્ગત વાર્ષિક રૂ ૧,૩૩૦ના નજીવા પ્રીમિયમે રૂ/ બે લાખના જીવન વિમાનો લાભ આપવામાં આવે છે. ગત વર્ષમાં પ્રગતિ બેંકના આવા ત્રણ વિમા ધારકોના આકસ્મીક અવસાન થયેલ
દિયોદર પ્રગતિનગર મધ્યે જિનાલયની સાલગીરી ઉજવાઈ
અન્ય દાતા પરિવારોએ સુંદર લાભ લીધેલ. જય જિનેન્દ્રનો લાભ ભોટાણી મથુબેન ફોજાલાલ પરિવારે લીધેલ. પ્રગતિનગર વાસીઓએ ભારે આનંદ ઉલ્લાસ સાથે દાદાની આઠમી સાલગીરીની ઉજવણી કરેલ. પરમાત્માને ભવ્ય અંગરચનાઓ થયેલ.
રાજ્યભરમાં ભીષણ ગરમી : તાપમાન હવે ૪૫
હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી : આગામી બે દિવસ દરમિયાન ભીષણ ગરમીથી કોઈ રાહત નહીં મળે
લાખણીમાં હિંગળાજ માતાજીનો પાટોત્સવ ઉજવાશે : બજાર સંપૂર્ણપણે બંધ રહેશે
લાખણીમાં બિરાજમાન પરચાધારી હિંગળાજ માતાજીનો દરવર્ષે ગામલોકો દ્વારા વૈશાખ વદ તેરસના દિવસે પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
યાત્રાધામ ઢીમાની ગૌશાળામાં પીવાના પાણીના હવાડાઓ ખાલી હાલત કફોડી
ગ્રામપંચાયત અને પાણી પુરવઠા નિગમની બેદરકારી
જિલ્લાભરમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી
જન જાગૃતિ માટે રેલીઓ અને પ્રદર્શન યોજાયા
પાલનપુરમાં ટયુશન કલાસ ચાલુ કરાવવા છાત્રોની ધારાસભ્ય- કલેકટરને રજૂઆત
નિર્ણય નહી લેવાય તો ઉપવાસ ઉપર ઉતરવાની ચિમકી અપાઇ
પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં ગટર ઉભરાતાં રહિશો ત્રાહિમામ
પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી ગટર ઉભરાઇ રહી છે. જેના ગંદા પાણી જાહેર માર્ગ ઉપર ભરાઇ રહેતા હોઇ રહિશો તેમજ માર્ગે પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વળી ગંદા પાણીના ભરાવાથી રોગચાળાની ભિતી પણ સેવાઇ રહી છે.
વાવમાં ચામુંડા માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવ ઉજવાયો
વાવના રાજપૂત ચારડિયાવાસમાં શ્રી ચામુંડા માતાજીનો પ્રથમ પાટોત્સવ આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો
યાત્રાધામ ઢીમાનો ચમન પહેલાં પક્ષીઓને પાણી ભરે છે અને પછી જ થાય છે નિત્યક્રમના કામો
વહેલી સવારે ૬ઃ૦૦ વાગે પંખીઓની પરબડી ભરવાની અને પછી જ કડીયા કામે જવાનું
ડીસા ગાયત્રી પરિવાર દ્વારા એક સાથે ૧૫૧ પરિવારના ઘરોમાં યજ્ઞનું આયોજન કરાશે
મનુષ્યમાં સાચા અર્થમાં ધ્યાન સમર્પણ અને માનવતાવાદી વિચારધારા સમાજ રાષ્ટ્ર અને સમર્થ શક્તિશાળી ઉર્જા વૃદ્ધિ થાય પર્યાવરણમાં વાયુની શુદ્ધિકરણ વગેરે અનેક ઉદ્દેશથી સમગ્ર વિશ્વમાં વ્યાપેલા ગાયત્રી પરિવારના પ્રણેતા પંડિત શ્રીરામ શર્મા આચાર્યની સમગ્ર માનવજાતને ઉજવળ ભવિષ્ય માટેની યોજનાને વેગવાન બનાવવામાં આવી રહી છે.
ડીસામાં ૩૧મી મે વિશ્વ ટોબેકો ડે નિમિત્તે ચિત્ર પ્રદર્શન યોજાયું
વિશ્વમાં વ્યસનોનો વ્યાપ વધી ગયો છે.યુવાનો તમાકું, દારૂ, ડ્રગ્સ,પાન-મસાલા,ગુટખા અને ક્યાંક ગ્રામ્ય કક્ષાએ અફીણના વ્યસની માણસોને ભયંકર રોગીષ્ટ થઇને બરબાદ થતાં જાવા મળે છે અને સ્ત્રીઓમાં પણ વ્યસનોનો વ્યાપ વધી ગયો છે.
અંબાજીથી ચાણસ્મા જતી એસટી બસ જંબેરા ગામના પાટીયા પાસે બાઈક સાથે અથડાઈઃ૨ લોકોના મોત
ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ વધવા પામી છે. ત્યારે ગતરોજ બપોરે ૨ઃ૦૦ વાગ્યાના સમયે અંબાજી એસટી ડેપોથી ચાણસ્મા જવા નીકળેલી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૧૩૬૫ ને એસટી બસ પાનસા ગામથી આગળ આવતા જંબેરા ગામના પાટીયા પાસે જંબેરાથી અંબાજી આવતા બાઈક ચાલકોને એસટી સાથે ધડાકા સાથે અકસ્માત થયો હતો.
પાલનપુર સિવિલ હોસ્પિટલના સફાઇ કામદારોને પગાર ન મળતા હડતાલનું શસ્ત્ર ઉગમ્યુ
સફાઇ કામદારો ભૂખ હડતાળ પર ઉતરી જતાં સફાઈની કામગીરી કથળી


