RTEમાં ફાળવાયેલ સ્કૂલ એડમિશનમાં કરે આનાકાની, તો તુરંત ડાયલ કરો આ નંબર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-05-09 17:07:14
  • Views : 591
  • Modified Date : 2023-05-09 17:07:14

RTE હેઠળ એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. RTEમાં ફાળવાયેલી સ્કૂલ એડમિશન આપવામાં આનાકાની કરશે તો કાર્યવાહી થશે.  અમદાવાદ DEO દ્વારા 'સારથી' હેલ્પ લાઇન શરૂ કરાઇ છે. જેમાં વાલીઓ ફરિયાદ કરી શકશે. હાલ RTE હેઠળ એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે. RTE હેઠળ એડમિશનની પ્રક્રિયામાં અનેક ફરિયાદો ઉઠતા હવે અમદાવાદ DEO દ્વારા વાલીઓ માટે હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. હવે જો કોઈ સ્કૂલ પ્રવેશ આપવાની ના પાડે તો વાલીઓ આ હેલ્પલાઇનમાં ફોન કરીને ફરિયાદ કરી શકશે. વાલીઓ ‘9909922648’ આ નંબર પર ફરિયાદ કરી શકે છે. જો તેઓને કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સમસ્યા છે કે પછી શાળાને લગતા કોઈ પ્રશ્નો છે તો તેનું નિરાકરણ આ વોટ્સએપ નંબર પર મેસેજ કરવાથી આવશે. આ નંબર પર ફોન પર કરી વાલીઓ ફરિયાદ કરી શકશે. 

 

10,756 વિદ્યાર્થીઓને કરાઈ ફાળવણી

આપને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં અમદાવાદમાં 10 હજારથી વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન મળ્યું છે. અમદાવાદ RTE અંતર્ગત  પ્રથમ રાઉન્ડની ફાળવણી કરાઈ છે. અમદાવાદમાં પ્રથમ રાઉન્ડમાં 1342 સ્કૂલોમાં 10, 756 વિદ્યાર્થીઓની ફાળવણી કરાઈ છે. અમદાવાદમાં 10 હજારથી વધુ જગ્યા માટે 17 હજાર જેટલા ફોર્મ ભરાયાં હતા.  એડમિશન માટે 13 હજાર જેટલી અરજીઓ માન્ય કરાઇ હતી.


Download Our B K News Today App



Related News