રાજયમાં તમામ નહી અમુક યુનિવર્સિટીઓમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી એજ્યુકેશન પોલિસી લાગુ કરવી પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 17:35:10
  • Views : 584
  • Modified Date : 2023-03-04 17:35:10

રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં આગામી વર્ષથી નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે,  પોલીસીનો અમલ થાય તે પહેલા કેટલીક મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે આજે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. દિવસ દરમિયાન થયેલી ચર્ચા બાદ એવી સ્થિતિ સામે આવી હતી કે, રાજયની તમામ યુનિવર્સિટીમં ચાલુ વર્ષથી જ નવી એજ્યુકેશ પોલીસીમાં કરાયેલી જોગવાઇઓનો અમલ થઇ શકે તેમ નથી. જેના કારણે હાલ માત્ર કેટલીક યુનિવર્સિટીઓમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે અમલ કરવો જરૂરી છે.

નવી એજ્યુકેશન પોલીસી અંતર્ગત ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશનના કોર્સને ચાર વર્ષનો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાથીઓ માટે ક્રેડીટ બેંક તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. ક્રેડીટ બેંકના કારણે દરેક વિષય અને કોર્સનું મુલ્ય નક્કી થાય તે જરૂરી છે. આ માટે દરેક યુનિવર્સિટીઓએ ચોક્કસ ફ્રેમવર્ક તૈયાર કરવુ પડે તેમ છે. વિદ્યાર્થીઓને પોતાના કોર વિષયની સાથે અન્ય વિષયોમાં અભ્યાસની છૂટ આપવામાં આવે ત્યારે જે યુનિવર્સિટીમાંથી અન્ય વિષયનો અભ્યાસ કરવામાં આવે તે અને પહેલી બન્ને યુનિવર્સિટીઓ વચ્ચે આ પ્રકારના એમઓયુ હોય તે જરૂરી છે. જેમ કે કોઇ વિદ્યાર્થીએ કોમર્સની સાથે ડ્રોઇંગ વિષયનો અભ્યાસ કરવો હોય પણ તે પોતાની યુનિવર્સિટીમાં ચાલતો ન હોય તો અન્ય યુનિવર્સિટીમાં ચાલતો હોય ત્યાં પ્રવેશ લઇને અભ્યાસ કરી શકે પરંતુ બન્ને યુનિવર્સિટીઓ વચ્ચે આ પ્રકારે વિષય ક્રેડીટ આપ-લે કરવાના એમઓયુ થયા હોય તે જરૂરી છે. વિદ્યાર્થીએ ડિગ્રી મેળવવા માટે 120 ક્રેડીટ નક્કી કરવામાં આવી છે. 4 વર્ષનો કોર્સ કરનારા વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશનની ડિગ્રી મળે તો કોઇ વિદ્યાર્થીઓ ઇચ્છે તો ત્રણ વર્ષનો કોર્સ પણ કરી શકે તેવી વ્યવસ્થા રાખવાની રહેશે. ચાર વર્ષનો કોર્સ કરનારે માસ્ટર ડિગ્રીમાં એક જ વર્ષનો અભ્યાસ કરવાનો રહેશે. હાલમાં રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં નવી એજ્યુકેશન પોલીસીને લઇને જુદા જુદા પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે. આ પ્રકારના પ્રશ્નોનુ સમાધાન લાવવા માટે આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે, વર્કશોપમાં રાજયની 75 યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. યુજીસીએ વહેલીમાં વહેલી તકે નવી એજ્યુકેશન પોલીસી લાગુ કરવા સૂચના આપવા છતાં રાજયમાં ચાલુ વર્ષે તમામ યુનિવર્સિટીઓમાં લાગુ થઇ શકે તેમ નથી. જેના કારણે સૌથી પહેલા પાયલટ પ્રોજેક્ટ તરીકે કેટલીક યુનિવર્સિટીઓમાં તેનો અમલ કર્યા બાદ અન્ય યુનિવર્સિટીઓમાં અમલ કરવો પડે તેવી સ્થિતિ હોવાનું તજજ્ઞો કહે છે. 

Download Our B K News Today App



Related News