U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-07 13:35:04
  • Views : 27
  • Modified Date : 2026-02-07 13:35:04

U-19 વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતીય ટીમ માટે BCCI તિજોરી ખોલી દીધી છે. BCCI પોતાનો દિલદાર અંદાજ દેખાડતા U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા માટે પ્રાઈઝ મનીની જાહેરાત કરી દીધી છે અને ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ કર્યો છે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળની ટીમને BCCI 7.5 કરોડની પ્રાઈઝ મની આપવાનું એલાન કરી દીધું છે.  વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાંના એક BCCI પોતાના ઉભરતા ખેલાડીઓની મહેનતને નવાઝવા માટે ઈનામની ઘોષણા કરી છે. 

પોતાના સમયના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર સહિત સમગ્ર ક્રિકેટ જગતે ભારતીય ટીમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. 2008માં ભારતને અંડર-19 ટાઈટલ અપાવનાર કોહલીએ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરી હતી. પૂર્વ ભારતીય સ્પિનર ​​આર અશ્વિને પણ જીતને યાદગાર ગણાવી હતી. ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે ખાસ કરીને સૂર્યવંશીની પ્રશંસા કરતા લખ્યું હતું કે, 'વૈભવનું શાનદાર પ્રદર્શન. શું ખાસ વિચારસરણી સાથે ઉતરો છો. ફાઇનલમાં ક્લાસ ઈનિંગ.

ઐતિહાસિક જીત પાછળ સૌથી મોટું યોગદાન યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું રહ્યું છે. વૈભવે એકલા હાથે 175 રન ફટકારી દીધા હતા. તેની આક્રમક ઈનિંગને કારણે ઈંગ્લેન્ડના બોલરો લાચાર દેખાતા હતા. ફાઈનલ જેવી દબાણવાળી મેચમાં આટલી મોટી ઈનિંગ રમીને વૈભવે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. આમ, ભારતની જીત માટે વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ઈનિંગ ખૂબ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે.

 


Download Our B K News Today App



Related News