રોહિત શર્માને મળ્યું ખાસ સન્માન, મુંબઈ ક્રિકેટ એસોસિયેશને લીધો મોટો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-16 14:43:58
  • Views : 63
  • Modified Date : 2025-04-16 14:43:58

 ક્રિકેટ રસિકોનો પ્રેમ અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને ધ્યાનમાં લેતાં મુંબઈ ક્રિકેટ એસોસિએશને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે સ્ટેન્ડ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતના પૂર્વ મહાન ક્રિકેટર્સના નામ પર સ્ટેન્ડ છે. જેમાં સચિન તેંદુલકર, સુનીલ ગાવસ્કર બાદ હવે રોહિત શર્માનું નામ જોડવા ભલામણ કરવામાં આવી છે. આ નિર્ણય ગઈકાલે મંગળવારે યોજાયેલી એસોસિએશનની એજીએમ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

અન્ય બે ક્રિકેટરના નામે પણ બનાવાશે સ્ટેન્ડ

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત સ્કિપર અજીત વાડેકર અને પૂર્વ એડમિનિસ્ટ્રેટર શરદ પવારને પણ આ સન્માનથી બિરદાવવામાં આવશે. તેમના નામે પણ સ્ટેન્ડ મૂકવામાં આવશે. જેમાં ગ્રાન્ડ સ્ટેન્ડ લેવલ 3ને શરદ પવારનું નામ આપવામાં આવશે. જ્યારે દિવેચા પેવેલિયન લેવલ -3ને રોહિત શર્મા નામથી ઓળખવામાં આવશે. ગ્રાન્ડ સ્ટેન્ડ લેવલ 4ને અજીત વાડેકરનું નામ આપવામાં આવશે. 

Download Our B K News Today App



Related News