ચેન્નાઈ હારતાં ધોનીના બેટિંગ ઓર્ડર પર ભડક્યો ઈરફાન પઠાણ, માહીના ફેન્સ પણ ગુસ્સે થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-29 16:05:14
  • Views : 62
  • Modified Date : 2025-03-29 16:05:14

RCB સામે ચેન્નાઈની કારમી હારને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમાંથી એક સવાલ એમએસ ધોનીના બેટિંગ ઓર્ડરને લઈને પણ ઉઠી રહ્યો છે. આ મેચમાં ધોની નવમા નંબર પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. ચાહકોની સાથે-સાથે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પણ આ અંગે સવાલ ઉઠાવ્યા છે. ઈરફાને આ અંગે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, RCB એ 17 વર્ષ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સને તેના જ ગઢમાં હરાવ્યું છે. આ હાર બાદ CSKના ચાહકો ખૂબ ગુસ્સે થયા છે. તમામનું કહેવું છે કે, ધોનીએ બેટિંગ ઓર્ડરમાં ઉપર આવવું જોઈતું હતું. જો તે ઉપર આવ્યો હોત તો શક્ય હતું કે ચેન્નાઈ આ મેચમાં વાપસી કરી શકી હોત.


દર્શકો થયા નિરાશ


RCB સામેની મેચમાં જ્યારે શિવમ દુબે આઉટ થયો, ત્યારે રવિચંદ્રન અશ્વિન બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો. તેનાથી સ્ટેડિયમમાં હાજર દર્શકોને ભારે નિરાશા થઈ. દર્શકોની સાથે-સાથે ક્રિકેટ એક્સપર્ટ અને પૂર્વ ક્રિકેટરોએ પણ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે X પર પોસ્ટ કરતા લખ્યું કે, 'હું ક્યારેય ધોનીના નંબર નવ પર બેટિંગ કરવાના પક્ષમાં નથી. આ બિલકુલ પણ ટીમના હિતમાં નથી.' ઈરફાન પઠાણની આ પોસ્ટ પર ઘણી ચર્ચા થઈ. કેટલાક યૂઝર્સે ધોનીના નિર્ણયનો બચાવ કર્યો. તો બીજી તરફ કેટલાક લોકોએ આ માટે ધોનીને ખૂબ ખરી-ખોટી સંભળાવી.


CSK ફ્લોપ રહી


નોંધનીય છે કે RCB સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનોનો ફ્લોપ શો રહ્યો હતો. આવી સ્થિતિમાં ચેન્નાઈના ચાહકોને ધોની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. જ્યારે શિવમ દુબે 80 રનના કુલ સ્કોર પર આઉટ થયો ત્યારે બધાને લાગ્યું કે હવે ધોની મેદાનમાં ઉતરશે. તે સમયે જરૂરી રન રેટ 15ની આસપાસ હતો અને એવી અપેક્ષા હતી કે ધોની પોતાની આક્રમક બેટિંગથી મેચને CSKની તરફેણમાં ફેરવી દેશે. તેના થોડા સમય પહેલા જ ધોની ટીવી સ્ક્રીન પર નજર પણ આવ્યો હતો, જેમાં તે મોજા પહેરીને અને હાથમાં બેટ રાખીને પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તેના કારણે પર લોકોએ અનુમાન લગાવ્યું કે આગામી વિકેટ પડવા પર ધોની જ બેટિંગ કરવા આવશે.

Download Our B K News Today App



Related News