આ શું! રોહિત શર્માએ જેને 2 વખત ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યો, તેને જ ICCએ કેપ્ટન તરીકે પસંદ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 15:16:44
  • Views : 61
  • Modified Date : 2025-03-11 15:16:44

ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તેના કેપ્ટન તરીકે હિટમેન શર્મા નહીં પરંતુ ન્યુઝીલેન્ડના મિચેલ સેન્ટર પર પસંદગી ઉતારી છે. જ્યારે શર્માએ બે મેચમાં સેન્ટનરને હરાવ્યો હતો એ વાત પણ એટલી જ સાચી છે.



ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કેપ્ટન શર્માની ફૌજ ટીમ ઈન્ડિયાએ જીતી હોવા છતાં રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા પસંદ કરાયેલી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટનો કેપ્ટન નથી. ICC એ એવા ખેલાડીને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે જેને રોહિત શર્માએ આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક નહીં પરંતુ બે વાર હરાવ્યો છે. ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમના કેપ્ટન તરીકે મિચેલ સેન્ટનરની પસંદગી કરી છે.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા



શર્મા ને બદલે સેન્ટરની પસંદગી


ચેમ્પિયન્સ ટ્રોફી ટીમના કેપ્ટન તરીકે મિચેલ સેન્ટનરની પસંદગી કરવા બદલ ICCની પણ ટીકા થઈ રહી છે કારણ કે તેઓ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સામે એક નહીં પરંતુ બે વાર હારી ગયા છે. એક વાર લીગ મેચમાં અને એક વાર ફાઇનલમાં તેમ છતાં ICC એ રોહિત શર્મા પહેલા મિચેલ સેન્ટનરને કેપ્ટન તરીકે પસંદ કર્યા છે. સેન્ટનર ટીમમાં સ્થાન મેળવવાને લાયક છે પરંતુ કેપ્ટન કોઈપણ કિંમતે રોહિત શર્મા હોવો જોઈએ. એક એવી ટુર્નામેન્ટમાં જ્યાં કોઈ પણ ટીમ 3 થી વધુ મેચ જીતી ન હતી તેણે પાંચ મેચ જીતી.



ફાઇનલમાં રોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો. આ પાંચ મેચોમાં તેણે 200થી ઓછા રન બનાવ્યા હોવા છતાં જે રીતે તેણે ટીમનું નેતૃત્વ કર્યું તેને ટુર્નામેન્ટની ટીમમાં પસંદ કરીને કેપ્ટનશીપ આપવી જોઈતી હતી. જો તમે રચિન રવિન્દ્રને ઓપનર તરીકે રાખી શક્યા હોત અને ઇબ્રાહિમ ઝદરાનને 12મો ખેલાડી બનાવી શક્યા હોત તો પણ રોહિતને સ્થાન મળવું જોઈતું હતું. ICC તરફથી આ નવું નથી કારણ કે વર્લ્ડ કપ જીતનાર પેટ કમિન્સને વર્લ્ડ કપ 2023 ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. રોહિત શર્મા તે ટીમનો કેપ્ટન હતો તેથી તેને ખરાબ ન લાગવું જોઈએ. જોકે ટીમના પ્રદર્શનને ધ્યાનમાં લેતા રોહિતને ચોક્કસપણે અહીં સ્થાન મળવું જોઈતું હતું.

Download Our B K News Today App



Related News