ગાંધીનગરમાં કલાકારોને માન અને કોરોના વોરિયર્સનું અપમાન, આરોગ્યકર્મીઓની હડતાળનો 11મો દિવસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-27 16:23:31
  • Views : 22
  • Modified Date : 2025-03-27 16:23:31

ગાંધીનગરમાં એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. તો બીજી તરફ આરોગ્યકર્મીઓ અને વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે. આજે બંનેના આંદોલનને 11મો દિવસ છે. વિધાનસભા સત્રમાં કલાકારો માટે લાલ જાજમ પાથરી માન-સન્માન આપવામાં આવી રહ્યું છે, ત્યારે કોરોનાકાળમાં કોરોના વૉરિયર્સનું બિરુદ આપી સન્માન કર્યા બાદ સરકાર આરોગ્યકર્મીઓની હવે પડતર માંગો સ્વીકારવા માટે તૈયાર નથી. 

સરકારે કડક વલણ અપનાવતાં 2000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું છે. આ ઉપરાંત હજારો કર્મચારીઓને શો-કૉઝ નોટીસ ફટકારવામાં આવી છે, તો કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપી આંદોલન ડામવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી આરોગ્યકર્મી માંગણી માટે મક્કમ છે. આગેવાનો પાણીમાં ન બેસે તો આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. આંદોલન વધુ ઉગ્ર બનશે, એક હજાર સામે ખાતાકીય તપાસ

અનેકવાર રજૂઆત કર્યા પછી પણ પ્રશ્નો ઉકેલાયા નથી પરિણામે આરોગ્ય કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. દસ દિવસ પછી પણ અચોક્કસ મુદતની હડતાળ યથાવત્ રહી છે. આ દરમિયાન, ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું છે. રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગરમાં અંડિગો જમાવ્યો છે. 

દરમિયાન, રાજ્ય આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશ જારી કર્યાં છે. તપાસના અંતે ટર્મિનેટ કરવા હુકમ કરવામાં આવશે. આરોગ્ય વિભાગના અલ્ટીમેટમને પગલે ઘણાં કર્મચારીઓ ફરજ પર હાજર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.  

Download Our B K News Today App



Related News