૨૦૧૯ વિશ્વકપ માટે ભારતીય ટીમ સજ્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 08:19:05
  • Views : 632
  • Modified Date : 2019-04-18 08:19:05

વર્ષ ૨૦૧૯ના વિશ્વકપ માટે બી.સી.સી.આઇ દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરી દેવામાં આવી છે. જેમાં અનુભવી તથા યુવા ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ભારતીય ટીમની સાથે ઓસ્ટ્રેલિયન ટીમ સહિતની કેટલીય ટીમોની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.જેમાં ગુજરાતના ૩ ખેલાડીઓનો વિશ્વકપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં રવિન્દ્ર જાડેજા,હાર્દિક પંડ્યા તથા જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે.જેમાં ઓસ્ટ્રેલિયાના અનુભવી ક્રિકેટર ડેવિડ વોર્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેઓ વર્તમાન સમયમાં આઇ.પી.એલની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ તરફથી રમી રહ્યા  છે. તેઓ વર્તમાન  સમયમાં  આઇ.પી.એલ સિઝનમાં સૌથી વધુ રન સાથે ઓરેન્જ કેપમાં આગળ ચાલી રહ્યા છે.જેઓ આઇ.પી.એલ કેરીયરમાં ૪૦૦૦થી વધુ રન નોંધાવી  ચુક્યા છે. જેમાં તેઓ ૪૦ અર્ધસદી તથા ૪ સદીઓ નોંધાવવામાં સફળ રહ્યા છે. તેવામાં વિશ્વકપમાં તેમના પ્રદર્શન પર સૌની મીટ મંડાયેલી જાવા મળે તો નવાઇ નહીં.આમ અત્યારસુધીમાં  ભારત, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના ક્રિકેટ બોર્ડ પોતાની ટીમો જાહેર કરી ચૂક્યા છે.આમ આગામી સમયમાં અન્ય કેટલીક ટીમો પણ જાહેર થાય તેવું લાગી રહ્યું છે. વર્ષ ૨૦૧૯ના વિશ્વકપમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા,અફઘાનિસ્તાન સહિતની ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે. જેમાં અફઘાનિસ્તાન પ્રથમ વખત વિશ્વકપમાં ભાગ લઇ રહ્યું છે. ત્યારે તે ટીમના પ્રદર્શન પર સૌની નજર જાવા મળે તો નવાઇ નહીં. વિશ્વકપ ૨૦૧૯ની ભારતીય ટીમઃ- વિરાટ કોહલી (કપ્તાન),રોહિત શર્મા,શિખર ધવન, કે.એલ. રાહુલ, મહેન્દ્રસિંહ ધોની,કેદાર જાધવ,હાર્દિક પંડ્યા,વિજય શંકર, કુલદીપ યાદવ,યુઝવેન્દ્ર ચહલ,જસપ્રિત બુમરાહ,ભુવનેશ્વર કુમાર,મોહમ્મદ શામી,રવિન્દ્ર જાડેજા,દિનેશ કાર્તિક સહિતના ક્રિકેટરોનો વિશ્વકપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.૧)વિરાટ કોહલીઃ- જેઓ ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કપ્તાન છે.જેઓ વનડે કેરીયરમાં ૨૨૭ મેચમાં ૫૯.૫૮ની એવરેજથી ૧૦,૮૪૩ રન બનાવી ચુક્યા છે.જેઓ ટેસ્ટ કેરીયરમાં ૭૭ ટેસ્ટમાં ૫૩.૭૬ની એવરેજથી ૬૬૧૩ રન બનાવી ચુક્યા છે.જ્યારે ટી-૨૦ કેરીયરમાં ૬૭ મેચમાં ૫૦.૨૯ની એવરેજથી ૨૨૬૩ રન બનાવ્યા છે.આમ તેઓ આંતરરાષ્ટ્રીય મેચમાં ૧૯,૭૧૩ રન નોંધાવી ચુક્યા છે.તેવામાં તેઓ વિશ્વકપમાં વધુ ૨૮૭ રન બનાવે તો તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦,૦૦૦ રન બનાવનાર ક્રિકેટર બની જશે.વિરાટ કોહલી વનડેમાં ૪૧ શતક તથા ૪૯ અર્ધશતક બનાવી ચુક્યા છે.ટેસ્ટમાં પણ તેઓ ૨૫ શતક તથા ૨૦ અર્ધશતક બનાવી ચુક્યા છે.તેવામાં તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યારસુધી ૬૬ શતક તથા ૬૯ અર્ધશતક ફટકારવામાં સફળતા મેળવી ચુક્યા છે.તેવામાં તેઓ વનડેમાં ૧૦૦૦ કરતાં પણ વધુ બાઉન્ડ્રી મારવાની સિધ્ધી હાંસલ કરી ચુક્યા છે.તેવામાં વિશ્વકપમાં તેમના પ્રદર્શન પર સૌની નજર જાવા મળે તો નવાઇ નહીં.૨)રોહિત શર્માઃ- જેઓ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી તથા ઓપનર બેટસમેન માનવામાં આવે છે. જેઓ ટીમને સારી શરૂઆત આપવાની ભૂમિકા નિભાવશે.તેઓ વનડે કેરીયરમાં ૨૦૬ મેચમાં ૪૭.૪ની એવરેજથી ૮૦૧૦ જેટલા રન બનાવી ચુક્યા છે.જેમાં તેમણે ૨૨ શતક તથા ૪૧ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેમાં તેઓ ૨૧૮ કરતા વધારે સિક્સરો ફટકારી ચુક્યા છે.જેઓ ૨૭ ટેસ્ટ મેચમાં ૩૯.૬૨ની એવરેજથી ૧૫૮૫ રન બનાવી ચુક્યા છે. જેમાં તેઓ ૩ શતક તથા ૧૧ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેઓ ૯૪ ટી-૨૦ મેચમાં ૩૨.૩૮ની એવરેજથી ૨૩૩૧ રન બનાવી ચુક્યા છે.જેઓ ૪ શતક તથા ૧૬ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેમાં પણ તેઓ ૧૦૨ સિક્સરો મારી ચુક્યા છે.આમ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩૫૨ સિક્સરો ફટકારનારા ક્રિકેટરોમાં સામેલ થઇ ગયા છે.૩)શિખર ધવનઃ- જેઓ ૧૨૮ વનડે કેરીયરમાં ૪૪.૬૨ની એવરેજથી ૫૩૫૫ રન બનાવી ચુક્યા છે.જેમાં તેઓ ૧૬ શતક તથા ૨૭ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેમાં તેઓ ૬૬૬ બાઉન્ડ્રી ફટકારી ચુક્યા છે.જેઓ ૩૪ ટેસ્ટમાં ૪૦.૬૧ની એવરેજથી ૨૩૧૫ રન બનાવી ચુક્યા છે.જેમાં તેઓ ૭ શતક તથા ૫ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેઓ ૫૦ ટી-૨૦ મેચમાં ૨૮.૪૮ની એવરેજથી ૧૩૧૦ રન બનાવી ચુક્યા છે.જેમાં તેઓ ૯ અર્ધશતક ફટકારી રહ્યા છે.તેઓ ટીમના પ્રમુખ ઓપનર તરીકે રમી રહ્યા છે.૪)કે.એલ.રાહુલઃ- જેઓ ટીમના ઓપનર બેટસમેન સહિત ટીમના વિકેટકિપર તરીકે રમી રહ્યા છે.જેઓ વિશ્વકપમાં રમવા માટે બિનઅનુભવી છે.જેઓ ૩૪ ટેસ્ટમાં ૩૫.૨૮ની એવરેજથી ૧૯૦૫ રન બનાવી રહ્યા છે.જેઓ ૫ શતક તથા ૧૧ અર્ધશતક ફટકારી ચુક્યા છે.જેઓ ૧૪ વનડેમાં ૩૪.૩ની એવરેજથી ૩૪૩ રન બનાવી ચુક્યા છે.તેવામાં તેઓ વિશ્વકપમાં કેવી રીતે તથા ક્યાં ક્રમે રમશે તે પણ મહત્વની બાબત માનવામાં આવે છે.જેઓ ૨૭ ટી-૨૦ મેચમાં ૪૩.૯૫ની એવરેજથી ૮૭૯ રન બનાવી ચુક્યા છે.જેમાં ૨ શતક તથા ૫ અર્ધશતક ફટકારી ચુક્યા છે.૫)મહેન્દ્રસિંહ ધોનીઃ- જેઓ ટીમના પૂર્વ કપ્તાન તથા સિનીયર વિકેટકીપર તરીકે નામના મેળવી ચુક્યા છે.જેઓ સૌથી વધુ વનડે તથા આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી છે.જેઓ ૯૦ ટેસ્ટમાં ૪૫૦૦ થી વધુ રન તથા ૩૪૧ વનડેમાં ૧૦,૫૦૦થી વધુ રન બનાવી ચુક્યા છે.જેમાં તેઓ ૭૧ અર્ધશતક તથા ૧૦ શતક ફટકારી ચુક્યા છે.જ્યારે ટેસ્ટ મેચમાં ૬ શતક તથા ૩૩ અર્ધશતક મારી ચુક્યા છે.જ્યારે ૯૮ ટી-૨૦ મેચમાં ૩૭.૬ની એવરેજથી ૧૬૧૭ રન બનાવી ચુક્યા છે. જેમાં પણ તેઓ ૨ અર્ધશતક મારી ચુક્યા છે.આમ તેઓ આંતરરાષ્ટ્રીય મેચમાં ૧૧,૦૦૦ જેટલા રન બનાવ્યા છે.આમ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૫૦ થી વધારે સિક્સરો ફટકારી ચુક્‌યા છે.આમ તેઓના વિશ્વકપના પ્રદર્શન પર સૌની નજર જાવા મળે તેવું લાગી રહ્યું છે.૬)કેદાર જાધવઃ- જેઓની પાસે ટેસ્ટ મેચ રમવાનો અનુભવ નથી.તેઓ ૫૯ જેટલી વનડે મેચમાં ૪૩.૪૮ની એવરેજથી ૧૧૭૪ રન બનાવી ચુક્યા છે.જ્યારે ૯ જેટલી ટી-૨૦ મેચમાં પણ તેઓ માત્ર ૨૦.૩૩ની એવરેજથી ૧૨૨ રન બનાવી ચુક્યા છે.તેવામાં તેમને વિશ્વકપમાં સામેલ કરવામાં આવે છે તો તેમના વિશ્વકપની ટીમના રમવાનો મોકો મળશે તો તેઓ સારૂં પ્રદર્શન કરી ટીમના પોતાનું સ્થાન નક્કી કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.૭)હાર્દિક પંડ્યાઃ- જેઓ ભારતીય ટીમ માટે કેટલીક વખત સંકટ સમયે મદદરૂપ સાબિત થયા છે.જેઓ એક બોલર તેમજ બેટીંગમાં પણ સારૂં એવું પ્રદર્શન કરી શકે છે.જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૯૭થી વધારે વિકેટો લેવામાં સફળતા મેળવી ચુક્યા છે.જેઓના માટે આ વિશ્વકપ પણ કસોટી સમાન સાબિત થાય તેવું મનાઇ રહ્યું છે.જેમાં તેમણે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શન થકી લોકોને તથા ક્રિકેટ ટીમને પોતાની તાકાતનો પરચો બતાવવાનો રહેશે.૮)વિજય શંકરઃ- જેઓ આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ તરફથી રમી રહ્યા છે.જેમાં તેઓના પ્રદર્શન પરથી તેમની વિશ્વકપની ટીમમાં તેમનું ચયન કરવામાં આવ્યું છે.જેઓ વિશ્વકપમાં પોતાનું કેવું પ્રદર્શન કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી રહે તેવું લાગે છે.૯)કુલદીપ યાદવઃ- જેઓ સ્પિન બોલર તરીકે ઓળખાય છે.જેઓ ચાઇનામેન તરીકે પણ પ્રસિધ્ધ થઇ ચુક્યા છે.જેઓ કુલ ૬૮ આંતરરાષ્ટ્રીય મેચમાં ૧૪૬થી વધારે વિકેટો લઇ ચુક્યા છે.તેવામાં તેમના વર્તમાન પ્રદર્શનને જાતાં તેમને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.ત્યારે તેઓ કેટલા સફળ થશે તે તો આવનારો સમય બતાવશે.૧૦)યુઝવેન્દ્ર ચહલઃ- જેઓ પણ એક સ્પીન બોલર છે.જેઓ આઇપીએલથી પોતાની ક્રિકેટ કેરીયરની શરૂઆત કરી હતી.જેમાં તેઓ ૯૫ વિકેટો લઇ ચુક્યા છે.જ્યારે તેમના આંતરરાષ્ટ્રીય કેરીયરની જા વાત કરવામાં આવે તો તેમાં પણ તેઓ માત્ર ૭૨ મેચમાં ૧૧૮ જેટલી વિકેટો લેવામાં સફળ થઇ ચુક્યા છે.તેવામાં તેઓ વિશ્વકપ માટે ભારતીય ટીમ તરફથી ટ્રમ્પ કાર્ડ સાબિત થાય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.૧૧)જસપ્રિત બુમરાહઃ- જેઓ ગુજરાતના અમદાવાદના ખેલાડી છે.જેઓ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૮૫ વિકેટ લઇ ચુક્યા છે.આ સાથે તેઓની પાસે આઇપીએલની ૬૯ મેચમાં રમવાનો પણ અનુભવ છે.જેમાં પણ તેઓ ૭૧ જેટલી વિકેટો લઇ ચુક્યા છે.આમ આ ખેલાડી પર પણ સૌની મીંટ મંડાયેલી જાવા મળે તો નવાઇ નહીં.૧૨)ભુવનેશ્વર કુમારઃ- જેઓ ભારતીય ટીમના ફાસ્ટ બોલર છે.જેમના પર ભારતીય ટીમની બોલિંગ લાઇનનો મદાર રહેલો જાવા મળે છે.જેઓ ૨૧ જેટલી ટેસ્ટમાં ૬૩ વિકેટો ખેરવી ચુક્યા છે.જ્યારે ૧૦૫ જેટલી વનડે મેચમાં ૧૧૮ વિકેટો તથા ૩૭ ટી-૨૦ મેચમાં ૩૬ વિકેટો મેળવવામાં સફળ રહ્યા છે.આમ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૦૦થી વધારે વિકેટો લઇ ચુકયા છે.જ્યારે આઇપીએલમાં પણ તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા તેમાં પણ ૧૦૯ મેચમાં ૧૨૫ વિકેટો મેળવવામાં સફળ રહ્યા છે.આમ તેઆને આગામી વિશ્વકપને લઇને અનુભવી માનવામાં આવી રહ્યા છે.૧૩)મોહમ્મદ શામીઃ- જેઓ ટીમના ફાસ્ટ બોલર છે.આ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૬૫ જેટલી વિકેટો મેળવી ચુક્યો છે.આમ તેઓ આગામી વિશ્વકપ તથા આવનારી સિરીઝમાં સારૂં પ્રદર્શન કર વધુ ૩૫ વિકેટો મેળવે તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૦૦ વિકેટો લેનારા ખેલાડીઓમાં સામેલ થઇ શકે છે.આમ આ બોલરના પ્રદર્શનથી વિશ્વકપમાં ભારતીય સારૂં પ્રદર્શન કરશેતેવી આશા રાખવામાં આવે છે.૧૪)રવિન્દ્ર જાડેજાઃ- જેઓ ભારતીય ટીમના મુખ્ય સ્પિન બોલર તરીકેની ભૂમિકામાં વિશ્વકપમાં જાવા મળશે.જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૩૯૭ વિકેટો મેળવી ચુક્યા છે.જેમાં તેઓ વિશ્વકપમાં વધુ  ૩ વિકેટો મેળવતાની સાથે જ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરતાં જાવા મળેશે.જેમાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ૪૦૦ વિકેટ લેનારા બોલર બની જશે.આમ તેઓ બોલિંગની સાથે સાથે બેટીંગમાં પણ સારૂ એવું પ્રદર્શન કરી મેચ જીતાડવામાં સહાયરૂપ સાબિત થઇ શકે તેમ છે.જેઓ આઇપીએલ કેરીયરમાં પણ ૧૦૦ વિકેટો મેળવી ચુક્યા છે.આમ તેઓની બોલિંગ પર સૌની નજર રહેશે.૧૫)દિનેશ કાર્તિકઃ- જેઓ ભારતીય ટીમના ઓપનર બેટસમેન તરીકે રમી ચૂક્યા છે.જેઓ ટીમના વિકેટકીપર તરીકે પણ રહ્યા છે.તેવામાં જા તેમને તક આપવામાં આવે તો તેઓ સારૂં એવું પ્રદર્શન કરી શકે તેમ છે.


Download Our B K News Today App



Related News