ભારત પાકિસ્તાનને બહાર કરવા ઇંગ્લેન્ડ સામે જાણી જોઇને હાર્યુ? PAK કેપ્ટન સરફરાજે શું કહ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-08 12:36:49
  • Views : 637
  • Modified Date : 2019-07-08 12:37:37

વર્લ્ડકપ ટૂર્નામેન્ટની અભિયાન પુરુ થયા બાદ પાકિસ્તાની કેપ્ટને સરફરાજ અહેમદે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સરફરાજે ભારત ઇંગ્લેન્ડ સામે જાણીજોઇને હાર્યુ હોવાની વાતોને ફગાવી દીધી હતી.પત્રકાર પરિષદમાં એક પત્રકારે પુછ્યુ કે, શું ભારતીય ટીમ પાકિસ્તાનને વર્લ્ડકપમાંથી બહાર કરવા માટે જાણી જોઇને હારી? ત્યારે પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદ કહ્યું કે, ‘‘ના, ના, આ કહેવુ યોગ્ય નથી. મને નથી લાગતુ કે ભારત અમારા કારણે હાર્ય હોય. ઇંગ્લેન્ડ જીત માટે સારુ રમી હતી.’’ઇંગ્લેન્ડ સામેની હાર બાદ ભારતીયી ટીમ પર કેટલાય પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોએ નિશાન તાક્યુ હતુ, પૂર્વ પાક ક્રિકેટરોએ હારને ભારતનુ ષડયંત્ર ગણાવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News