Letest News
ડીસા એરપોર્ટ એરફોર્સને સોંપાતા લોકોમાં રોષ પેસેંજર સેવા શરૂ કરવા લોકોની માંગ
સમગ્ર ઉત્તર ગુજરાત અને દક્ષીણ રાજસ્થાન ને સાંકળતા એકમાત્ર ડીસા એરપોર્ટ ને હવે ડીસાના નાણી એરફોર્સ સ્ટેશનની સાથેસાથે ભારતીય વાયુદળ એટલે કે ઈન્ડિયન એરફોર્સને સોંપી ડેવલપમેન્ટ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નિર્ણયથી ડીસા સહિત બનાસકાંઠાની પ્રજામાં એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે.ડીસા એરપોર્ટ એરફોર્સને સોંપાય તો અહીં પેસેન્જર વિમાન ની જગ્યાએ યુદ્ધ જહાજો લેન્ડ થશે અને પ્રજાને ભવિષ્યમાં મળનારી એરપોર્ટ કનેક્ટિવિટી છીનવાઈ જશે તેવી દહેશત વચ્ચે લોકો ડીસાને પેસેન્જર વિમાનોની સેવા મળે તેમ ઈચ્છી રહયા છે.
નરેન્દ્ર મોદીનો ભાવનગરમાં ભવ્ય રોડ-શો યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સુરતમાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ હવે વડાપ્રધાન ભાવનગર આવી પહોંચ્યા છે, જ્યાં તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. પીએમ સભા સ્થળે પહોંચ્યા છે
વહેલી સવારે ઈસનપુરમાં લાકડાના પીઠામાં ભીષણ આગ
ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમે સ્થળ પર પહોંચી આગ (Fire) પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનુ કારણ હજુ જાણી શકાયું નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી બે જૂથ વચ્ચે અથડામણ
ધાંગધ્રાના મોચીવાડ વિસ્તારમાં બન્ને જૂથના ટોળાએ એકબીજા પર પથ્થમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
કરાચીમાં ચીની નાગરિકની હત્યા
પાકિસ્તાનના કરાચીમાં એક ચીની નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ કરાચી નજીક એક ડેન્ટલ ક્લિનિકમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
હવે વર્ષે 15 જ ગેસ સિલિન્ડર મળશે
નવા નિયમો અનુસાર, હવે વર્ષમાં માત્ર 15 જ LPG ગેસ સિલિન્ડર મળશે અને મહિનામાં 2 સિલીન્ડરની લીમીટ છે.
અલીગઢની મીટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના
અલીગઢની મીટ ફેક્ટરીમાં આજે એમોનિયા ગેસ લીકેજ થયો છે. ગેસ લીક થવાના કારણે 100થી વધુ કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા.
9 કંપનીઓના બેન્ક ખાતા સ્થગિત, ચીની કંપનીઓને EDનો વધુ એક ફટકો
મની લોન્ડરિંગ કેસમાં EDની વધુ એક કાર્યવાહી જોવા મળી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચીન નિયંત્રિત કંપનીઓના એકાઉન્ટ બેલેન્સની તપાસ કરી અને રૂ. 9.82 કરોડની થાપણો જપ્ત કરી.
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે દિગ્વિજય સિંહની ઉમેદવારી કરવાને લઈ સત્તાવાર જાહેરાત
પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ (Digvijay Sinh)કોંગ્રેસ કાર્યાલય પર પહોંચી ગયા છે અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પદ માટે ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી
અપરિણીત મહિલાઓને પણ છે ગર્ભપાતનો અધિકાર: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ કે 'મેરિટલ રેપ'ને બળાત્કારની વ્યાખ્યામાં સામેલ કરવો જોઈએ, મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ બળાત્કારમાં 'મેરિટલ રેપ'નો સમાવેશ થવો જોઈએ.
લિકર કિંગ વિનોદ સિંધી ભલે હાલ દુબઈમાં હોય પણ તેનું નેટવર્ક અમદાવાદના બુટલેગરે સંભાળી લીધું
ગુજરાતમાં દારૂના નેટવર્ક સાથે કેટલાક કનેક્ટેડ લોકોના નામ હવે ખુલી રહ્યા છે. વિજિલન્સે આખા ગુજરાતના સૌથી મોટા લિકર કિંગ ગણાતા વિનોદ સિંધી સામે સંખ્યાબંધ કેસ કર્યા. તેની સામે પુરાવા એકત્ર કરતા તેને દેશ છોડીને ભાગી જવું પડે છે.
PM મોદી સુરતમાં, નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ
વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીની સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ હતી. રોડ-શો બાદ ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંચ્યા હતા.
નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા પહોંચ્યો છે નીરજ વડોદરામાં
ભારતનો ગોલ્ડન બોય નીરજ ચોપડા આજે એક નવા જ અંદાજમાં જોવા મળ્યો હતો. બુધવારે ઓલિમ્પિક ચેમ્પિયન નીરજનું નવુ જ રૂપ જોવા મળ્યું હતુ. તે ગુજરાતી પહેરવેશમાં ગરબા રમતા નજરે ચડ્યો હતો. તે આજે નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા પહોંચ્યો છે. આ દરમિયાન 24 વર્ષીય નીરજે રગરબા રમ્યા હતા.
ઈન્ડિયા VS સાઉથઆફ્રિકા સમેંની પ્રથમ T20માં ઈન્ડિયાનો 8 વિકેટે વિજય
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 T20 મેચની સિરીઝની પહેલી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ 8 વિકેટે જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાએ આપેલા 107ના ટાર્ગેટને ભારતે 16.4 ઓવરમાં 2 વિકેટના નુક્સાને ચેઝ કરી લીધો હતો
વિધ્યાર્થીયોએ કહ્યું મિડ-ડે મીલ ખરાબ ક્વોલિટીનું મળે છે, 2 કલાક સુધી રસ્તો બ્લોક કર્યો.
છત્તિસગઢના જાંજગીર-ચાંપા જિલ્લાના મુડપર ગામની સરકારી પૂર્વ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. મંગળવારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી લગભગ 60 વિદ્યાર્થીઓ પામગઢથી જાંજગીર મુખ્યાલય તરફ જતા રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા અને સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
મોદી સરકારે લંબાવી ગરીબ કલ્યાણ યોજના, 80 કરોડ ગરીબોને મળતું રહેશે મફત અનાજ
પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મફત અનાજની યોજના વધુ 3 મહિના એટલે કે ડિસેમ્બર 2022 સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે.
ગીરના જંગલમાં 'પુષ્પારાજ' ટોળકીનો પર્દાફાશ
ચંદન ચોરીના મૂળ સુધી પહોંચવા વનવિભાગે સોગઠાં ગોઠવ્યા, અગાઉ પકડેલા આરોપીઑની પૂછપરછને આધારે સિન્ડીકેટનો પર્દાફાશ
મહુવા એસટી ડેપોમાં લાંબા રુટની બસ અનિયમિત આવવાથી મુસાફરોએ હોબાળો મચાવ્યો
મહુવાથી લાંબા રૂટની અને આજુબાજુમાં ગામડાઓને જોડતી એસ.ટી બસમાં વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને મુસાફરી કરવા માટેનું બેસ્ટ વાહન વ્યવસ્થા જો મળતી હોય તો તે સરકાર એસ.ટી બસ છે. પરંતુ કેટલાક સમયથી લાંબા રૂટની બસ સમયસર ન મળવાથી તેમજ લાંબા રૂટની બસોમાં અનિયમિતતાને કારણે મુસાફરોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
રાજકોટમાં 324 કરોડના ખર્ચે બનેલા 3526 પ્રધાનમંત્રી આવાસ યોજના આવાસોનું 30 સપ્ટેમ્બરે લોકાર્પણ
રાજકોટના મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિનાટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાની એક યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.334.33 કરોડના ખર્ચે 6 જગ્યાએ નિર્માણ પામેલ આવાસ યોજનાઓના 3526 આવાસોનું ઈ-લોકાર્પણ 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રઈ મોદીના હસ્તે કરવામાં આવનાર છે


