ભારતીય વીમા કંપનીઓનો વીમો પાકી ગયો, ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં 74% સુધી વિદેશી રોકાણને મંજૂરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-01 14:24:52
  • Views : 416
  • Modified Date : 2021-02-01 14:24:52

    નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી કે હવે વીમા ક્ષેત્રમાં 74 ટકા સુધી ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ(FDI) થઈ શકશે. પહેલા અહીં માત્ર 49 ટકા સુધીની પરવાનગી હતી. આ સિવાય રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્ટાર્ટ અપ કંપનીઓ માટે જાહેરાત કરી. આ અંતર્ગત લગભગ એક ટકા કંપનીઓને કોઈ પણ પ્રકારની રોકટોક વગર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

    ગત વર્ષે 2020-21ના બજેટ ભાષણમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે સરકાર ઈન્શ્યોરન્સ અને પેન્શન સેક્ટરમાં એફડીઆઈની સીમા વધારી શકે છે. ઈન્શ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ઈરાડાએ પણ ઈન્શ્યોરન્સ સેકટરમાં એફડીઆઈની સીમા 74 ટકા કરવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.

    નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે રાષ્ટ્રીય રેલ યોજના 2030 તૈયાર થઈ ગઈ છે. કુલ 1.10 લાખ કરોડ રૂપિયાનું બજેટ રેલવેને આપવામાં આવ્યું છે. ભારતીય રેલવે સિવાય મેટ્રો, સિટી બસ સેવાને વધારવા પર ફોકસ કરવામાં આવશે. તેના માટે 18 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. હવે મેટ્રો લાઈટને લાવવા પર ફોકસ કરાઈ રહ્યો છે. કોચી, બેંગલુરું, ચેન્નાઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

    નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર તરફથી આત્મનિર્ભર ભારત પેકેજની ઘણી યોજનાઓ કોરોના કાળમાં દેશમાં લાવવામાં આવી. જેથી અર્થવ્યવસ્થાની ગતિ આગળ વધારી શકાય. સીતારમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત પેકેજમાં કુલ 27.1 લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી છે. આ તમામ પાંચ મિની બજેટ સમાન હતી.નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વખતે બજેટ ડિજિટલ બજેટ છે, તે એવા સમયે આવી રહ્યું છે જ્યારે દેશની જીડીપી સતત બે વખત માઈનસમાં ગઈ છે, જોકે ગ્લોબલ ઈકોનોમિની સાથે પણ આવું જ થયું છે. વર્ષ 2021 ઔતિહાસિક વર્ષ થવા જઈ રહ્યું છે.


Download Our B K News Today App



Related News