'કોઈ ને કોઈ રીતે ભારત-પાકિસ્તાન...' પહલગામ હુમલા બાદ તંગદિલી વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-26 14:39:37
  • Views : 292
  • Modified Date : 2025-04-26 14:39:37

જમ્મુ-કાશ્મીર પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારતે પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે અમુક કડક પગલા લીધા છે. જેનાથી પાકિસ્તાનની ચિંતા વધી રહી છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના વધતા તણાવને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે અને તેઓ જાતે જ કોઈ પ્રકારે તેનું સમાધાન કરી લેશે.  

ટ્રમ્પ રોમ જવા માટે એરફોર્સ વન વિમાનમાં સવાર હતાં ત્યારે પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, 'હું ભારત અને પાકિસ્તાન બંનેની નજીક છું. કાશ્મીરનો મામલો ખૂબ જૂનો છે. 1000 વર્ષ અથવા તેનાથી પણ જૂની આ લડાઈ છે. પહલગામમાં જે થયું તે ખૂબ ખરાબ હતું. ભારત-પાકિસ્તાન વચ્ચે 1500 વર્ષોથી સીમા વિવાદ છે. પરંતુ, મને વિશ્વાસ છે કે, પાકિસ્તાન કોઈ પ્રકારે તેનું સમાધાન લાવી દેશે. હું બંને નેતાઓને ઓળખું છું. તે કોઈના કોઈ રીતે આ મામલાનું સમાધાન લાવી દેશે.'

Download Our B K News Today App



Related News