ચપટીમાં કરોળિયાના જાળા ઘરમાંથી થશે છૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-20 14:24:06
  • Views : 845
  • Modified Date : 2019-06-20 14:24:06

કેટલાક લોકો ઘરમાં કરોળિયાના જાળાથી પરેશાન રહે છે. શુ તમે પણ ઘરમાં કરોળિયાઓ અને તેમના જાળાથી પરેશાન રહો છો તો કેટલાક એવા ઘરેલું સહેલા ઉપાય છે. જેનાથી તમે કરોળિયાથી છૂટકારો મેળવી શકો છો. તો આવો જોઇએ ઘરમાં કોઇ ઝેરી વસ્તુ કે દવાઓનો ઉપયોગ કર્યા વગર આ રીતે કરોળિયાના અને તેના જાળાથી તમે મુક્તિ મેળવી શકો છો.

– સફેદ વિનેગરને પાણીમાં મિક્સ કરીને સ્પ્રે કરો. તેની સુંગંધથી કરોળિયા દૂર ભાગે છે.

– યુકેલિપ્ટિસના સૂકા કે તાજા પાનને તમારા રૂમમાં કે તિજોરીમાં રાખો. જેથી કરોળિયાથી કાયમ માટે છૂટકારો મળ છે. તેની સુગંધ તેજ હોવાના કારણે કરોળિયા દૂર ભાગે છે.

– સાંભળવામાં અજીબ લાગેશે પરંતુ તમાકુને એક કપ ગરમ પાણીમાં 30 મિનિટ સુઘી રાખો તેમા હવે થોડોક લીંબુનો રસ મિક્સ કરી દો. તેને છાંટી દેવાથી ખૂબ ફાયદો થશે.

– મીઠાને ગરમ પાણીમાં મિક્સ રીવે સતત બે દિવસ ઘરમાં જ્યાં કરોળિયા અને તેના જાળા થાય છે ત્યાં આ પાણી સ્પ્રે કરો. જેથી કરોળિયાની સમસ્યાથી રાહત મળે છે.

– ઘરની બહારની લાઇટ બંધ રાખો જેથી કરોળિયા ઘરમાં પ્રવેશી શકે નહીં.

– જાળા હટાવતા પહેલા ત્યારે જોઈતી દરેક વસ્તુઓ તૈયાર રાખો.

– બજારમાં જાળા પાડવાની સાવરણી પણ મળે છે તમે તે પણ લાવી શકો છો.

– ઘરમાંથી કરોળિયાને દૂર ભગાડવા હોય તો ફુદીનાના તેલનો છંટકાવ કરી શકો છો.

– કરોળિયાને હટાવવા માટે તમારે પહેલા જો અંદર જાળામાં કરોળિયો હોય તો કીટાણુઓ ભગાડવાની દવા લગાવવી જોઈએ અને પછી જ તે દૂર કરવો જોઈએ.
દિવાલ પાસેના સામાન પર ચાદર પાથરી દો જેથી કરીને તે વસ્તુઓ ગંદી ન થાય.

Download Our B K News Today App



Related News