દિલ્હીમાં રૂ. એકમાં 3 હજાર લોકોને ભોજન કરાવતો ગૌતમ ગંભીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-16 16:43:25
  • Views : 461
  • Modified Date : 2023-01-16 16:43:25

ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને હાલમાં બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે શનિવારે તેમના પૂર્વ દિલ્હી મતવિસ્તારમાં વધુ એક જન રસોઇસમુદાયના રસોડાનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં જરૂરિયાતમંદોને પ્લેટ દીઠ 1 રૂપિયાના ટોકન ભાવે તાજું ભોજન પૂરું પાડવામાં આવશે.

ગંભીરે કહ્યું કે, લક્ષ્મી નગરમાં કિશન કુંજ ખાતે ત્યજી દેવાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પ સ્ટોરને પુનઃવિકાસ કરીને કેન્ટીનની સ્થાપના કરવામાં આવી છે. તે દરરોજ બપોરે લગભગ 1,000 લોકોને ભોજન પીરસશે.ગંભીરે ઉમેર્યું કે, વિનોદ નગર અને શકરપુરમાં સમાન કેન્ટીન કે જે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને કારણે બંધ કરવામાં આવી હતી, તે પણ ફરી શરૂ થઈ ગઈ છે.

ન્યૂ અશોક નગર અને ગાંધી નગરના કિચન હજી થોડો સમય બંધ રહેશે, કારણકે ત્યાંના બિલ્ડીંગમાં આયોજિત બાંધકામ ચાલી રહ્યું છે. ગંભીરે કહ્યું કે, આ જન રસોઈ કિચનથી દરરોજ 3 હજારથી વધુ લોકો 1 રૂપિયામાં ભોજન કરે છે. મોટાભાગના લાભાર્થીઓ સમાજના સૌથી ગરીબ વર્ગના છે, જેઓ કોવિડ-19 રોગચાળા અને ત્યારબાદના લોકડાઉનથી ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.

સૌથી વંચિત વર્ગના લોકોના જીવનને સરળ બનાવવું એ જનપ્રતિનિધિ તરીકે મારી ફરજ છે. આ જ જન રસોઈ કિચન પાછળનું મારુ વિઝન છે. ટોકન રકમ એટલા માટે વસૂલવામાં આવી છે કે, જેથી લોકો સન્માનપૂર્વક તાજો અને પૌષ્ટિક ખોરાક મેળવી શકે. એમ ભાજપ સાંસદે કહ્યું હતું.

Download Our B K News Today App



Related News