બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-03-05 13:43:47
  • Views : 56
  • Modified Date : 2026-03-05 13:43:47

 બિહારના મુખ્યમંત્રી તથા JDUના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે હું રાજ્યસભાનો સદસ્ય બનવા માંગુ છું. રાજ્યની નવી સરકારને મારું સમર્થન અને માર્ગદર્શન રહેશે. 

નોંધનીય છે કે થોડા મહિના અગાઉ જ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી હતી. જે બાદ નીતિશ કુમાર જ ફરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે છેલ્લા 2 દિવસથી તેવી અટકળો ચાલી રહી હતી કે તેઓ રાજીનામું આપી શકે છે. એવામાં આજે સવારથી જ નીતિશ કુમારના ઘરની બહાર જેડીયુના કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો હતો. એવામાં સવારે લગભગ 11 વાગ્યે નીતિશ કુમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું કે, છેલ્લા બે દાયકાથી તમે લોકોએ સતત મારા પર વિશ્વાસ કર્યો. મેં બિહારના લોકોની પૂર્ણ નિષ્ઠાથી સેવ કરી છે. સંસદીય જીવનની શરૂઆતથી જ મારી ઈચ્છા હતી કે હું બિહારમાં વિધાનસભા અને વિધાનપરિષદ તથા સંસદમાં પણ બંને ગૃહનો સભ્ય બનું. આ જ ક્રમમાં હવે હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું. તમારો અને મારો સંબંધ ભવિષ્યમાં પણ બન્યો રહેશે. નવી સરકારને મારું માર્ગદર્શન રહેશે. 

 

Download Our B K News Today App



Related News