વિચાર બુદ્ધિનું પ્રમાણ છે, પ્રેમ હૃદયની ઓળખાણ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-07 16:52:04
  • Views : 1123
  • Modified Date : 2020-01-07 16:52:04

વિચાર બુદ્ધિનું પ્રમાણ છે, પ્રેમ હૃદયની ઓળખાણ છે  ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર, પ્રેમશાસ્ત્ર વગર ધર્મ અધૂરો છે. ભારતીય મહાત્માઓએ, ઋષિઓએ પ્રેમશાસ્ત્રને પંચમ પુરુષાર્થ કહ્યો છે, અર્થશાસ્ત્ર પણ પ્રેમશાસ્ત્ર વગર અધૂરું છે. જેને અર્થ મળી જાય તે વહેલો કે મોડો અનર્થમાં ડૂબી જાય છે. જો અર્થશાસ્ત્રમાં પ્રેમ ભળે તો અનર્થ થોડો ઓછો થઈ જાય છે. આપણે જે કામથી કરીએ છીએ તેમાં ક્યાંય હત્યા તો નથી થઈને? હત્યાને કોણ રોકશે? પ્રેમ જ રોકશે. કામશાસ્ત્ર જો તેમાં જરા પણ પ્રેમ ન હોય તો તે માત્ર એક રમકડું બની જશે, કાંઈ મળશે નહીં. મોક્ષશાસ્ત્ર જેને મુક્તિ મેળવવી હોય તેને પણ મુક્તિમાં અનુરાગ હોવો જરૂરી છે અને મુક્તિ અનુરાગ, પ્રેમની વૃત્તિ સ્વરૂપ છે. ચારેય શાસ્ત્રો ત્યારે જ પૂર્ણ કહેવાય જ્યારે આપણા જીવનમાં પ્રેમશાસ્ત્ર હોય.તમને કોઈ ફળ મળે અને તે રસ વગરનું હોય તો તે નકામું છે. ડોક્ટર કહે છે કે તમે નારિયેળનું પાણી પીઓ. હવે તમને તરસ લાગી હોય અને ત્યારે જ તમને એક નારિયેળ મળે પણ જો તેમાં પાણી ન હોય તો તે તમારા માટે નકામું બની જાય છે. જો કેરી મળે અને તે પણ રસ વગરની હોય તો તે પણ કાંઈ કામની નથી રહેતી. એ જ પ્રમાણે જો ધર્મમાં પ્રેમ ન હોય તો ધર્મ પણ નિરર્થક કર્મકાંડ બની જશે.જ્ઞાન તો આચાર્યોએ ભાખ્યું, હવે શું જ્ઞાન બાકી રહ્યું છે? પ્રેમ કરો, પ્રેમયજ્ઞા કરો. પ્રેમયજ્ઞામાં જ સાચી આહુતિ આપવાની હોય છે. એમાં અગ્નિ પણ છે. ઘી પણ છે, જવતલ પણ છે, વેદી પણ છે, મંત્ર પણ છે, આહુતિ પણ છે. પ્રેમમાં આ બધું હોય છે. વિશ્વને જરૂરત છે પ્રેમયજ્ઞાની. વિશ્વમાંથી બંને, શાસ્ત્રો અને શસ્ત્રોનો સંઘર્ષ સમાપ્ત થવો જોઈએ. ન ક્યાંય શાસ્ત્રનો સંઘર્ષ રહે, ન ક્યાંય શસ્ત્રોનો સંઘર્ષ. કેવળ પ્રેમ રહે. જેનું જીવન દિમાગી હશે એ બહુ ચિંતિત રહેશે, જેનું જીવન બહુ ર્તાકિક હશે એ અસ્વસ્થ રહેશે, એનામાં મસ્તી નહીં આવે. પણ જે માણસ દિલની ધરા ઉપર આવ્યો એ તરી જશે.વિશ્વને પ્રેમની ઘણી જરૂર છે. પ્રેમ ન હોય તો કશું નથી. દુનિયામાં ધર્મ અને વિજ્ઞાન એમ બે મહ¥વની બાબત છે. એ બંને વચ્ચે સેતુ બને છે પ્રેમ. પ્રેમ વગરનું વિજ્ઞાન ઘાતક સાબિત થશે. ધર્મમાં પ્રેમ ન હોય તો તેમાં કટ્ટરતા આવી જશે. પ્રેમ પરમાત્મા છે, પ્રેમ ઈશ્વર છે. પ્રેમ બધામાં છે, પણ પ્રગટ કરતાં નથી આવડતું. ભયની પહેલી અસર રોગ છે. ભય રોગને નિયંત્રિત કરે છે. શરીરરૂપી ઓરડામાં ભય રોગને આમંત્રણ આપે છે, તે વૃદ્ધત્વ વહેલું લાવે છે. અત્યંત ભયભીત માણસ અકાળે વૃદ્ધ થઈ જાય છે. ભયને લીધે માણસનું મૃત્યુ થઈ જાય છે. ભીતર અભય પ્રેમથી આવશે.પ્રેમ વગર પરિવર્તન સંભવ નથી. પ્રેમમાં ટીચર ન હોય ને પ્રીચર પણ ન હોય. પ્રેમ છે રિચરનો વિષય. જે પહોંચીને પાછા આવ્યા હોય એનું કામ છે. જે પહોંચી ગયા હોય, જેણે હરિને જોઈ લીધો હોય, જે પહોંચ્યા હોય અને પછી ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે’ એ પ્રેમના પાઠ ભણાવી શકે.શું રામને પૂજા પ્રિય છે? પૂજામાં પ્રેમનું પ્રમાણ વિશેષ હોવું જોઈએ.પૂજા તો સસ્તી છે. બે ચોખા ચડાવી દો, અક્ષત, ગુલાલ, ચંદન, નિરાજન ચડાવી દો. ફરી ગોળ, ચોખા ચડાવ્યા અને ત્યારબાદ પૂજનસ્થળે માખીઓ એકઠી થવા લાગે છે અને તમે તમારી ઓફિસે જતા રહો છો. આ તે કાંઈ પૂજા છે? પ્રેમ દેવો ભવ. માનસમાં લખ્યું છે કે રામને પૂજા, પ્રશંસા, પ્રતિષ્ઠા, પદ, પરંપરા પ્રિય નથી એટલા માટે તેમણે કેટલીયે પરંપરાઓને સવિનય તોડી છે, કારણ કે તેમનામાં મર્યાદા છે, વિવેક છે. કોઈ પર પ્રહાર ન કર્યો, કોઈને દુભવ્યા નહીં, યોગ્ય કારણ રજૂ કર્યું અને કહ્યું કે હવે આ કરવાની જરૂર છે.રામ હિ કેવળ પ્રેમુ પિઆરા, જાની લેઊ જો જાનનિહારા.’આચાર્યચરણ શંકરાચાર્ય વેદાંત આપનારા શંકારાવતાર. તેઓ ગંગાના તટ પર જતા ત્યારે ગંગાને યાદ કરીને, તેને જોઈને ગંગાના પ્રેમને કારણે રડી પડતા હતા. ક્યારેક એવું પણ થશે કે હું કેવળ આ ગંગાજળ પીતાં પીતાં અહીં સ્મરણ કરતો રહું. આને જ કહેવો પડે  પ્રેમનો ચમત્કાર.પૂજા કરવી ગમતી હોય, તે માટે પ્રેમ હોય તો જરૂર પૂજા કરો પણ જો કાંઈ ન આવડે તો તેમાં પોતાને દોષી માનવાની જરૂર નથી.માનસસૂત્ર  પ્રેમની વિધિ  પ્રેમની ચાર રીત દર્શાવવામાં આવી છેઃ આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને આત્મીયતા, આ ચારેય જેમાં છે તે પ્રેમ કરી શકે છે. જે પ્રેમ કરે છે તેમાં આ ચારેય હોય છે. કોઈ એમ કહે કે પ્રેમ કરીએ છીએ, પણ આ ચારેય ન હોય તો તે કેવળ છેતરપિંડી લાગે છે.આસ્થાઆ સંસારમાં પરમાત્મા છે, તે આસ્થા છે. કોઈક ત¥વ છે, હું માનું કે ન માનું પણ કોઈક ત¥વ તો છે જ. જગત છે તો તેને બનાવવાવાળો પણ કોઈક છે. વેદ પોતાની રીતે, ભક્ત પોતાની રીતે કહે, પરમાત્મા છે; એ આસ્થા.શ્રદ્ધાપરમાત્માના જે સ્વરૂપને હું માનું છું કે તે સ્વરૂપ સર્વશ્રેષ્ઠ છે તે શ્રદ્ધા. બીજાની માન્યતાને તોડવી નથી, પણ મારી માન્યતા મારી પોતાની માન્યતા છે. જે સાધકની વ્યક્તિગત ધારણા છે તે શ્રદ્ધા બની જાય છે.વિશ્વાસજેના પર મને પ્રેમ છે તે સદ્ગુણોનો ભંડાર છે, રૂપનો સાગર છે એ છેઆત્મીયતાપરમાત્મા મારો છે, ગોવિંદ મારો છે, એ લાગણી જન્મી અને આત્મીયતા થઈ ગઈ. વ્યક્તિ જ્યારે પરમાત્મા સાથે સંબંધ જોડે ત્યારે તેનામાં આત્મીયતાનો ભાવ આપમેળે પ્રગટે છે.જે પ્રભુને પ્રેમ કરવા માગે છે તેણે આ ચાર સુત્રો સમજવાં જોઈએ. 


Download Our B K News Today App



Related News