PM મોદી આજે ચેન્નાઈ અને હૈદરાબાદની મુલાકાતે, ચેન્નાઈને કરોડના વિકાસકાર્યોની ભેટ, જાણો સમગ્ર કાર્યક્રમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 12:12:42
  • Views : 277
  • Modified Date : 2022-05-26 12:12:42

 

PM મોદી આજે ચેન્નાઈ અને હૈદરાબાદની મુલાકાત લેશે

ચેન્નાઈમાં 31,400 કરોડ રૂપિયાના 11 પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે  

DMK સત્તા સંભાળ્યા બાદ PM મોદીની પ્રથમ સત્તાવાર મુલાકાત 

 

પ્રોજેક્ટ્સની કુલ કિંમત 31,400 કરોડ રૂપિયા 

પ્રોજેક્ટ્સની કુલ કિંમત 31,400 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તેમાં રેલ, માર્ગ, બંદર વિકાસને લગતા પ્રોજેક્ટો મુખ્ય છે.PM મોદી હૈદરાબાદમાં ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB)ના 20મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે.ઉલ્લેખનીય છે કે ISBનું ઉદ્ઘાટન 20 વર્ષ પહેલા 2 ડિસેમ્બર, 2001ના રોજ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું, આજે તે દેશની પ્રીમિયર મેનેજમેન્ટ સંસ્થાઓમાં સામેલ છે.

 

PM મોદી સાંજે હૈદરાબાદથી ચેન્નાઈ પહોંચશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ સાંજે 5.10 વાગ્યે હૈદરાબાદથી ચેન્નાઈ પહોંચશે. વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બહુહેતુક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે. દરમિયાન પીએમ મોદી અનેક અલગ-અલગ રેલવે, નેશનલ હાઈવે પ્રોજેક્ટ અને કેન્દ્ર સરકારના ઘણા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. PM સાંજે 7.40 વાગ્યે નવી દિલ્હી જવા રવાના થશે.

 

DMK સત્તા સંભાળ્યા બાદ PM મોદીની પ્રથમ સત્તાવાર મુલાકાત 

ગયા વર્ષે AIADMKને હરાવીને DMK સત્તા સંભાળી ત્યારથી વડાપ્રધાન મોદીની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. વડાપ્રધાન રૂ. 2,960 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા પાંચ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ તમિલનાડુમાં રૂ. 500 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ 75-કિમી-લાંબા મદુરાઈ-ટેની (રેલવે ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ) પ્રદેશમાં કનેક્ટિવિટી વધારશે અને પ્રવાસનને પણ વેગ આપશે. ઉપરાંત, નેચરલ ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ્સથી ગ્રાહકો અને ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ 116 કરોડ રૂપિયાના ખર્ચે 'લાઇટ હાઉસ પ્રોજેક્ટ-ચેન્નઈ' હેઠળ બાંધવામાં આવેલા 1,152 ઘરોનું ઉદ્ઘાટન પણ કરશે.

 

મોટા પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવશે

રેલ્વે સેક્ટરમાં 5 પ્રોજેક્ટ પર 2900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પૈકી મુખ્ય છે મદુરાઈના થેની રેલ ગેજ કન્વર્ઝ 75 કિલોમીટરના રેલ માર્ગ જેના પર 500 કરોડનો ખર્ચ થશે,તેમજ તાંબરમમાં ચેંગલપટ્ટુ 30 કિમીનો ટ્રેક નાખવા આવશે. જેના માટે 590 કરોડનો ખર્ચ થશે, સાથે PM મોદી પાંચ રેલ્વે સ્ટેશન પુનઃવિકાસ કરવામાં આવશે. જેમાં ચેન્નાઈ એગ્મોર, રામેશ્વરમ, મદુરાઈ, કટપડી અને કન્યાકુમારીના રેલ્વે સ્ટેશનોનો સમાવશે કરવામાં આવ્યો છે. તેના પર 1800 કરોડનો ખર્ચ થશે અને મુસાફરોને આધુનિક અને સારી સુવિધાઓ મળશે.

 

કુદરતી ગેસ પાઇપલાઇન

115 કિમી લાંબા એન્નોર-ચેંગલપટ્ટુ સેક્શન અને 271 કિમી લાંબા તિરુવલુર-બેંગ્લોર સેક્શન પર નેચરલ ગેસ પાઈપલાઈન નાખવામાં આવશે. આના પર અનુક્રમે 850 અને 910 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સામાન્ય નાગરિકોની સાથે, તેનાથી તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના ઉદ્યોગોને પણ ફાયદો થશે.

 

વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

બેંગલુરુ-ચેન્નઈ એક્સપ્રેસવેઃ 14870 કરોડનો પ્રોજેક્ટ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના લોકોને સારી પરિવહન સુવિધા પૂરી પાડશે. બેંગ્લોરથી ચેન્નાઈ પહોંચવામાં ત્રણ કલાકથી ઓછો સમય લાગશે. તેમજ  ચેન્નાઈ પોર્ટ-મદુરવોયલ ડબલ-ડેકર રોડઃ 21 કિલોમીટરના 4-લેન રોડ પ્રોજેક્ટ પર રૂ. 5850 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આના દ્વારા ચેન્નાઈ બંદર સુધી વાહનોની અવરજવર શક્ય બનશે. અને લોજિસ્ટિક પાર્કઃ 1400 કરોડના લોજિસ્ટિક પાર્કનો શિલાન્યાસ પણ ચેન્નાઈમાં કરવામાં આવશે. મલ્ટી મોડલ પાર્ક વિવિધ પ્રકારના માલસામાનના પરિવહન અને સંબંધિત કાર્યોમાં મદદ કરશે.

 

 

Download Our B K News Today App



Related News