ભારત સામે યુદ્ધનાં નામથી ફફડી રહ્યું છે પાક! ઇમરાનને વિપક્ષી નેતાએ યાદ અપાવ્યો ઇતિહાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-08 12:28:03
  • Views : 645
  • Modified Date : 2019-08-08 12:28:03

નરેન્દ્ર મોદી સરકારે કલમ-370 દ્વારા જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું છે. મોદી સરકારનાં આ પગલા બાદ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાના દેશમાં ખરાબ રીતે ઘેરાઇ ગયા છે. જમ્મુ-કાશ્મીર પર ભારતીય નેતૃત્વનાં નિર્ણય પર આગળની રણનીતિ નક્કી કરવા માટે પાકિસ્તાનની સંસદમાં મંગળવારનાં સંયુક્ત સત્ર બોલાવવામાં આવ્યું હતુ.

શાહબાઝ શરીફનાં પ્રશ્નોનો જવાબ આપતા ઇમરાન ખાને પિત્તો ગુમાવ્યો

સંસદમાં જ્યારે પ્રધાનમંત્રી ઇમરના ખાને કાશ્મીર મુદ્દે ઉઠી રહેલા પ્રશ્નોનાં જવાબ આપી રહ્યા હતા તો તેમના હાવભાવમાં હડબડાટ જોવા મળી રહ્યો હતો. સંસદમાં વિપક્ષનાં નેતા શાહબાઝ શરીફનાં પ્રશ્નોનો જવાબ આપતા ઇમરાન ખાને પોતાનો પિત્તો ગુમાવ્યો. તેમણે વિપક્ષ પાસે સલાહ માંગતા કહ્યું કે, તમે જ જણાવો કે કાશ્મીરમાં ભારતીય કાર્યવાહીનાં જવાબમાં તેમની સરકારે શું પગલા ઉઠાવવા જોઇએ? ઇમરાન ખાને કહ્યું કે, “આખરે મે કયુ પગલુ નથી ઉઠાવ્યું, આપણું વિદેશ મંત્રાલય તમામ દેશોનાં રાજદૂતો સાથે બેઠક કરી રહ્યું છે. હું બીજા દેશો સાથે પણ સંપૂર્કમાં છું. આંતરરાષ્ટ્રિય મંચથી પણ મદદ માંગી રહ્યા છીએ. શરીફ મને જણાવે કે મારે બીજું શું કરવું જોઇએ?”

શું હિંદુસ્તાન પર હુમલો કરી દઇએ?

ઇમરાને વધુમાં કહ્યું કે, “આપણે સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષોથી મદદ માંગી રહ્યા છીએ. અમે ઇસ્લામિક સહયોગ સંગઠન સાથે પણ કાલે વાત કરી. કઇ ચીજ છે જે મે નથી કરી, જેથી વિપક્ષ અમને લલકારી રહ્યું છે. અમે શું હિંદુસ્તાન પર હુમલો કરી દઇએ?” ઇમરાન ખાને કહ્યું કે, તેમની સરકાર તમામ પાડોશી દેશો સાથે સારા સંબંધ રાખવા ઇચ્છતી હતી આ કારણે તેમણે અફઘાનિસ્તાન, ઈરાન અને ભારતથી સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો.

જો યુદ્ધ આપણા વિરુદ્ધ જાય છે તો…

યુદ્ધની ચેતવણી આપતા ઇમરાને આગળ કહ્યું કે, “જો પારંપરિક થયું તો બે પરિણામ હોઇ શકે છે, યુદ્ધ આપણા હકમાં જઇ શકે છે અથવા યુદ્ધ આપણા વિરુદ્ધ જઇ શકે છે. જો યુદ્ધ આપણા વિરુદ્ધ જાય છે તો એક રસ્તો હશે કે આપણે હાથ ઊંચા કરીને હાર માની લઇએ અને બીજો રસ્તો હશે કે ટીપૂ સુલ્તાનની જેમ લોહીનાં અંતિમ ટીંપા સુધી મુકાબલો કરીએ. જો આપણે અંતિમ ટીંપા સુધી લડીએ છીએ તો આ યુદ્ધને કોઈ નહીં જીતી શકે. બધા હારી જશે. તેની અસર આખી દુનિયા પર પડશે. હું પરમાણુ યુદ્ધની ધમકી નથી આપી રહ્યો. હું સામાન્ય સમજની અપીલ કરી રહ્યો છું. સારાની આશા કરો, પરંતુ સૌથી ખરાબ પરિસ્થિતિ માટે પણ તૈયાર રહો.”

ભારત સામે 3 યુદ્ધો લડ્યા અને પરિણામ સૌનાં સામે છે

વિપક્ષી દળનાં નેતા શરીફે ઇમરાન ખાનને કહ્યું કે, તેમણે યુદ્ધ કરવાની જરૂર નથી, પરંતુ પોતાનો પક્ષ મજબૂતીથી રાખે. વિપક્ષી દળનાં નેતા શાહબાઝ શરીફે ઇમરાન ખાનની સરકારને કાશ્મીર પર ભારતનાં નિર્ણયનો જવાબ આપવા કહ્યું. તેમણે કહ્યું કે, “આમાં કોઈ શક નથી કે આપણે આપણા તમામ પાડોશીઓની સાથે સારા સંબંધો બનાવવા જોઇએ. આપણે ભારત સામે 3 યુદ્ધો લડ્યા અને પરિણામ સૌનાં સામે છે. આપણે દોસ્તીનો સંબંધ ઇચ્છીએ છીએ, પરંતુ આત્મસમ્માન સાથે.”

Download Our B K News Today App



Related News