નકલી ઘી ની ફેક્ટરી પકડી પાડતી ગાંધીનગર એલ.સી.બી.ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 14:18:50
  • Views : 539
  • Modified Date : 2019-12-24 14:18:50

ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓએ આપેલ સુચના મુજબ ગાંધીનગર જિલ્લામાં મિલકત સંબધી ગુના અટકાવવા તેમજ જિલ્લામાં ગેર કાયદેસર ચાલતી પ્રવૃતિ અટકાવવા સારૂ જિલ્લામાં સઘન પેટ્રોલીંગ કરી વધુમાં વધુ  અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ. જે આધારે ક્રાઈમ  બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એચ.પી.ઝાલાનાઓએ પોસઈ પી.એન.પઢીયારને આપેલ સુચના આધારે દિલીપસિંહ બળદેવજી, મહીપાલસિંહ પ્રવિણસિંહ, ભવાનસિંહ બાબુજી, સજ્જાદઅલી કાદરઅલી, રવિન્દ્રસિંહ વનરાજસિંહ વિગેરે એલ.સી.બી.-ર ગાંધીનગરના માણસોની ટીમ બનાવી તેઓને આપેલ સુચના મુજબ સાંજના સમયે દહેગામ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત મેળવેલ કે રાકેશકુમાર ધીરજલાલ આચાર્ય (ઠક્કર) રહે. નરોડા પાટીયા અમદાવાદ વાળો હાલમાં મોટા જલુન્દા ગામની સીમ ખાતે આવેલ પ્લોટ નં.એ/ર૦૩ માં પતરાનો શેડ બનાવી તેમાં પ્રોશેસ કરી નકલી ઘી બનાવી વેચાણ કરે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેડ કરી સદર જગ્યાએથી મોટા પ્રમાણમાં નકલી ઘીનો જથ્થો ૧૪પ૦ કિલો જેટલો કિં.રૂ.૪.૮૦.૧ર૦/- નો તથા ઘી બનાવવામાં ઉપયોગમાં લેવાતું કેમીકલ (ફેલ્વર) તેમજ નકલી ઘી બનાવવા ઉપયોગમાં લેવાતી મશીનરી જેમાં પાઉચ પેક કરવાનું મશીન, બોક્ષ ઉપર એમઆરપી પ્રિન્ટ કરવાનું મશીન, ડબ્બા શીલ કરવાનું મશીન વિગેરે મળી કુલ રૂ.૭.૪૧.૬૧પ નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. સ્થળ ઉપર એફએસએલ અધીકારી તથા ફુડ એન્ડ ઢ્રગ્સના અધિકારીનાઓની ઘી ચકાસણી કરવા સારૂ મદદ લેવામાં આવેલ અને તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ સારૂ દહેગામ પો.સ્ટે.તરફ કરવામાં આવેલ છે. અગાઉ પણ રાકેશકુમાર ધીરજલાલ આચાર્ય (ઠક્કર) રહે. નરોડા પાટીયા અમદાવાદ વાળાના કબજામાંથી નકલી ઘી ની ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નકલી ઘી કુલ.રૂ.૧.પ૭.૧૭૦/-ના જથ્થા સાથે દિવાળીના સમયે ગાંધીનગર એલ.સી.બી.ર એ દહેગામ ખાતેથી પકડેલ હતો.


Download Our B K News Today App



Related News