અમિતાભ બચ્ચનની ફિલ્મની અભિનેત્રીની હત્યા થઈ હતી, 22 વર્ષ પછી થયો મોટો ખુલાસો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-12 14:57:21
  • Views : 48
  • Modified Date : 2025-03-12 14:57:21

અમિતાભ બચ્ચનની ફિલ્મ સૂર્યવંશમની અભિનેત્રી સૌંદર્યાના મૃત્યુ અંગે 22 વર્ષ પછી નવો ખુલાસો થયો છે. ફિલ્મ સૂર્યવંશમમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલી સૌંદર્યાના મૃત્યુને હવે હત્યા તરીકે જોવામાં આવી રહ્યું છે.


પ્રખ્યાત બોલિવૂડ અને ટોલીવુડ અભિનેત્રી સૌંદર્યાના મૃત્યુને લઈને 22 વર્ષ પછી નવો ખુલાસો થયો છે. ફિલ્મ સૂર્યવંશમમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલી સૌંદર્યાનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયું હોવાનું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને તેના મૃત્યુને હત્યા ગણાવી છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.


ખમ્મમ જિલ્લાના એક વ્યક્તિ ચિટ્ટીમલ્લુએ એસીપી અને જિલ્લા વહીવટીતંત્રને લેખિત ફરિયાદ આપી છે જેમાં અભિનેતા મોહન બાબુ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે સૌંદર્યાની હત્યા કરાવી હતી. ફરિયાદીએ સરકારને વિનંતી કર્યો છે કે મોહન બાબુ દ્વારા કબજે કરાયેલી જમીનને સરકાર પોતાના કંટ્રોલમાં લે અને તેનો ઉપયોગ અનાથાશ્રમ અથવા સૈન્ય સેવાઓ માટે કરવામાં આવે.


શું હતી મિલકતનો વિવાદ?


ફરિયાદ મુજબ, સૌંદર્યાએ હૈદરાબાદના જલપલ્લી વિસ્તારમાં 6 એકર જમીન ખરીદી હતી. આ જમીનને લઈને તેમની અને મોહન બાબુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોહન બાબુ આ જમીન વેચવા માંગતા હતા, પરંતુ સૌંદર્યા અને તેના ભાઈ અમરનાથે તેનો વિરોધ કર્યો. આ વાતને લઈને બંને વચ્ચે મતભેદ થઈ ગયો હતો.


કેવી રીતે થયું હતું સૌંદર્યાનું મૃત્યુ?


17 એપ્રિલ 2004 ના રોજ, સૌંદર્યા ભારતીય જનતા પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટી માટે પ્રચાર કરવા કરીમનગર જઈ રહી હતી. પરંતુ કમનસીબે, તેમનું પ્રાઇવેટ એરક્રાફ્ટ ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થઈ ગયું, જેમાં તેમનું મૃત્યુ થઈ ગયું. તે સમયે એવું કહેવામાં આવતું હતું કે તે એક દુર્ઘટના હતી, પરંતુ હવે તેને હત્યા કહેવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, સૌંદર્યા તે સમયે ગર્ભવતી હતી અને તેનો મૃતદેહ પણ તેના પરિવારને સોંપવામાં આવ્યો ન હતો.


શા માટે ઉઠી રહ્યા છે મોહન બાબુ પર સવાલો?


અહેવાલો અનુસાર, જલપલ્લીમાં આવેલી વિવાદિત 6 એકર જમીનનો ઉપયોગ સૌંદર્યાના મૃત્યુ પછી તરત જ મોહન બાબુ દ્વારા કરવામાં આવ્યો હતો. હવે જ્યારે આ મામલો ફરીથી ઉઠ્યો છે, ત્યારે પોલીસ પર નિષ્પક્ષ તપાસ કરવાનું દબાણ પણ વધી ગયું છે.


આ પણ વાંચો: 'છાવા'એ મચાવી ધૂમ, પઠાણ અને સ્ત્રી-2ને પાછળ રાખી બની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ


શું ફરિયાદીના જીવને છે જોખમ?


ફરિયાદીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેમને મોહન બાબુથી જીવનું જોખમ છે, તેથી તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત, તેમણે માંચુ પરિવારમાં ચાલી રહેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો અને માંગ કરી કે વહીવટીતંત્રે જલપલ્લીની જમીનનો કબજો મેળવવો જોઈએ. જોકે, આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. કેટલાક લોકો તેને માત્ર પબ્લિસિટી સ્ટંટ કહી રહ્યા છે. જયારે મોહન બાબુ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


શું થશે આગળ?


હવે એ જોવું રસપ્રદ રહેશે કે પોલીસ આ મામલે કોઈ તપાસ શરૂ કરશે કે આ મામલો માત્ર અફવા બનીને રહી જશે. આ 22 વર્ષ જૂના કેસને ફરીથી ખોલવાની માંગ થઈ રહી છે, જેથી એ જાણી શકાય કે સૌંદર્યાનું મૃત્યુ ખરેખર દુર્ઘટના હતી કે કોઈ સુનિયોજિત કાવતરાનો ભાગ હતું.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 96