વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ મેદાન છોડતી વખતે રાહુલ દ્રવિડનું કેવું હતું રીએક્શન?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-20 14:52:53
  • Views : 85
  • Modified Date : 2023-11-20 14:52:53

વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવી છઠ્ઠી વાર વર્લ્ડ કપ ટ્રોફી પર કબજો કર્યો, સાથે ભારતે ત્રીજી વાર વર્લ્ડ કપ જીતવાનો મોકો પણ ગુમાવ્યો.વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ ભારતીય ખેલાડીઓના રીએક્શન વાયરલ થયા હતા, જેમાં કેપ્ટન રોહિત અને કોચ દ્રવિડ સહિત તમામ ખૂબ નિરાશ દેખાઈ રહ્યા હતા.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત હાર્યું અને 12 વર્ષ બાદ વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થયું હતું.ભારતીય કોચ રાહુલ દ્રવિડ પણ હારથી નિરાશ થયો હતો, છતાં તેણે ભારતીય કપ્તાન સહિત અન્ય ખેલાડીઓને સાંત્વના આપી હતી.મેચ બાદ મેદાન છોડતી વખતે થોડો ગુસ્સો અને નિરાશા, બાદમાં પ્રેઝન્ટેશન સેરેમની વખતે આંખોમાં ભીનાશ અને અંતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિરાશ છતાં અડીખમ રાહુલ દ્રવિડના અલગ અલગ રીએક્શન વાયરલ થયા હતા.

Download Our B K News Today App



Related News