ઈન્દિરા ગાંધીના કારણે તૂટી હતી ‘વન નેશન વન ઈલેક્શન’ની વ્યવસ્થા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-12-21 18:17:06
  • Views : 1034
  • Modified Date : 2024-12-21 18:17:06

સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારે લોકસભામાં ‘વન નેશન વન ઈલેક્શન’ બિલ રજૂ કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની હિમાયત કરી રહ્યા છે. જો કે, ‘વન નેશન વન ઈલેક્શન’ એ નવો વિચાર નથી. અગાઉ પણ દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજાઈ ચૂકી છે.

‘વન નેશન વન ઈલેક્શન’ શું છે ?

‘વન નેશન, વન ઇલેક્શન’ એટલે સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવી. આપણા દેશમાં વિધાનસભાની ચૂંટણી, લોકસભાની ચૂંટણી, વિવિધ રાજ્યોની મ્યુનિસિપલ અને પંચાયતની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. સરકાર ઈચ્છે છે કે દેશમાં લોકસભા, વિધાનસભા, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પંચાયતની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો, આ એક એવી વ્યવસ્થા છે, જેના દ્વારા મતદારો એક જ સમયે સાંસદ અને ધારાસભ્ય સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓને પસંદ કરી શકે છે.

વન નેશન, વન ઇલેક્શન એ માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે. તેની અસર વિકાસના કામ પર પડે છે. આખા દેશની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે તો ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે.

Download Our B K News Today App



Related News