હેલમેટ વિના નહી મળે પેટ્રોલ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 12:33:30
  • Views : 483
  • Modified Date : 2019-05-15 12:46:51

રોડ અકસ્માત પર લગામ કસવાના હેતુથી ઉત્તર પ્રદેશના નોઇડા તથા ગ્રેટર નોઇડા વહિવટીતંત્રએ ટ્રાફિકના નિયમોમાં કડકાઇ કરી છે. સ્થાનિક વહિવટી તંત્રએ હેલમેટ વિનાના દ્વિચક્રી વાહનોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિયમ 1 જૂનથી લાગૂ થશે. નવા નિયમ અનુસાર જિલ્લાધિકારીએ બધા પેટ્રોલ પંપ સંચાલકો અને સંબંધિત વિભાગને નોટિફિકેશન જાહેર કરી દીધું છે. નવો નિયમ લાગૂ થતાં પહેલાં 5 દિવસ જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે. જિલ્લાધિકારી બૃજેશ નારાયણ સિંહે જિલ્લાના બધા પેટ્રોલ પંપ સંચાલકો સાથે મંગળવારે એક બેઠક કરી અને બેઠકમાં નવા નિયમ વિશે બધાને માહિતગાર કરાવી દીધા. જિલ્લાધિકારીએ નિર્દેશ જાહેર કર્યા છે કે એક જૂનથી નવા નિયમનો કડકાઇપૂર્વક પાલન થવું છે. મોટર વ્હિકલ અધિનિયમ 1988 ની કલમ 129 હેઠળ ટૂ-વ્હીલર ચાલક થા સવારી દ્વારા કોઇપણ ટૂ-વ્હીલર પર મુસાફરી કરતી વખતે હેલમેટ પહેરવું જરૂરી છે. દ્વીચક્રી વાહન ચલાવતી વખતે હેલમેટ ન પહેરવું આઇપીસી કલમ 188 હેઠળ એક ગુનો છે અને કલમનું ઉલ્લંઘન પર 6 મહિના સુધી કેદ થઇ શકે છે. 

Download Our B K News Today App



Related News