મમતા બેનરજી નિયમિતપણે ઝભ્ભા, મિઠાઈ મોકલે છે : મોદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:48:54
  • Views : 523
  • Modified Date : 2019-04-24 06:48:54

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન 7, લોકકલ્યાણ માર્ગ, દિલ્હી ખાતે ઈન્ટરવ્યૂ લીધો હતો. આ બિનરાજકીય ચર્ચા હોવાનું અક્ષયે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરવ્યૂમાં 2015માં તેઓ જ્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળ્યા તે વખતના સંસ્મરણોને યાદ કરતા જણાવ્યું કે, બંને વચ્ચે સૌપ્રથમ દેશના વડાની ઊંઘના સમયને લઈને ચર્ચા થઈ હતી. ઓબામાએ મને પૂછ્યું કે તમે આટલું ઓછું શા માટે ઊંઘો છો. ત્યારપછી તેઓ જ્યારે પણ મને મળે છે ત્યારે ચોક્કસ પૂછે છે કે મે તેમની સલાહ માની કે નહીં અને ઊંઘવાના કલાકોમાં વધારો કર્યો કે કેમ.’

વડાપ્રધાન મોદીએ અક્ષય કુમાર સાથેના ઈન્ટરવ્યૂમાં પોતાના વ્યક્તિગત જીવન, માતા, તેમના રાજકીય સંબંધો વગેરે બાબતો પર પણ ચર્ચા કરી હતી. અક્ષય કુમારે આ ઈન્ટરવ્યૂના સંકેત આપતું એક ટ્વીટ સોમવારે કર્યું હતું. જોકે અક્ષય કુમારના ટ્વીટને લઈને અનેક પ્રકારની વાતો વહેતી થઈ હતી કે 51 વર્ષીય અભિનેતા રાજકારણમાં ઝંપલાવી શકે છે પણ તેમણે હળવા મૂડમાં જણાવ્યું કે તેઓ ચૂંટણી લડવાના મૂડમાં બિલકુલ નથી.અક્ષય કુમારે વડાપ્રધાનને પૂછ્યું હતું કે, ‘શું તમને તમારી માતા, ભાઈ કે અન્ય સંબંધીઓ સાથે રહેવાનું મન નથી થતું,’ જવાબમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘મે ઘણી નાની ઉંમરે ઘર-પરિવાર છોડી દીધો છે…. મારી માતા મને કહે છે કે મારે તેમની સાથે સમય પસાર કરવા માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.’

એક અન્ય સવાલમાં અક્ષય કુમારે પૂછ્યું હતું કે શું તેઓ કેરી ખાય છે કે કેમ? નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો હતો કે મને કેરી ખૂબ ભાવે છે અને જ્યારે નાના હતા ત્યારે કેરી તોડીને ખાતા હતા પરંતુ હવે તેઓ ખૂબ જ પરેજી પાળે છે.

વડાપ્રધાને રાજકારણ પાછળની પણ કેટલીક વાતો અક્ષય કુમાર સાથેના ઈન્ટરવ્યૂમાં કરી હતી. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રાજકીય ક્ષેત્રે કટ્ટર હરીફ છે પરંતુ તેઓ ઘણા સારા સંબંધો ધરાવે છે. મોદીએ જણાવ્યું કે, ‘અમારા વચ્ચે ટક્કર હોવા છતાં, દીદી પોતે જાતે પસંદ કરેલા ઝભ્ભા મને દર વર્ષે મોકલે છે. તેઓને ખબર છે કે મને બંગાળી મિઠાઈ ભાવે છે માટે તે પણ અવશ્ય મોકલે છે.’

મમતા બેનરજીને ખ્યાલ આવ્યો કે બાંગ્લાદેશના વડાપ્રધાન મને બંગાળી મિઠાઈ મોકલાવે છે તો તેમણે પણ મોકલવાનું શરુ કર્યું તેમ વડાપ્રધાને જણાવ્યું હતું. મોદીએ જણાવ્યું કે, ‘વિપક્ષમાં પણ અનેક લોકો સાથે સારા સંબંધો છે, એક વખત સંસદમાં તેઓએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સાથે લાંબો સમય ચર્ચા કરી હતી. આઝાદે લોકોને જણાવ્યું હતું કે તમે જે વિચારો છો તેવું બિલકુલ નથી. અમે એક જ પરિવાર જેવા સંબંધ ધરાવીએ છે,

Download Our B K News Today App



Related News