આટલા નબળા વડાપ્રધાન તો લાઈફમાં જાયા નથી : પ્રિયંકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 12:25:14
  • Views : 492
  • Modified Date : 2019-05-10 12:25:14

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી માટે ભ્રષ્ટાચારી નંબર વન વાળા નિવેદનને લઈને કોંગ્રેસ પાર્ટીએ હવે વડાપ્રધાન મોદી પર પ્રહારો વધારે તીવ્ર બનાવી દીધા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી બાદ હવે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મોદી પર પ્રહારો કર્યા છે. મોદીને ટાર્ગેટ બનાવતા પ્રિયંકાએ કહ્યું છે કે મોદી મોટા કાયર તરીકે સાબિત થઈ રહ્યા છે. મોદી કરતા નબળા વડાપ્રધાન તેઓએ તેમની લાઈફમાં ક્યારેય જાયા નથી. આ ગાળા દરમિયાન પ્રિયંકાએ કહ્યું હતું કે રાજકીય શÂક્ત મોટા મોટો પ્રચાર અથવા તો ટીવી ઉપર દેખાવવાથ આવતી નથી. છેલ્લા દિવસોમાં મોદીએ એક રેલીમાં કહ્યું હતું કે રાજીવ ગાંધીને રાજ દરબારીઓએ મિસ્ટર Âક્લન તરીકે બનાવી દીધા હતા પરંતુ જાત જાતામાં જ તેઓ ભ્રષ્ટાચારી નંબર વન બની ગયા હતા અને તેમની જીવન અવધિ ભ્રષ્ટાચારી નંબર વન તરીકે પૂર્ણ થઈ હતી. મોદીના આ નિવેદન બાદ રાજકીય ઘમસાણની Âસ્થતિ થઈ છે. આજે પ્રિયંકા ગાંધી વાઢેરાએ પ્રતાપગઢમાં ચુંટણી રેલી યોજી હતી. જેમાં મોદી ઉપર આક્ષેપો કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે રાજકીય શÂક્ત એ હોય છે જેમાં પ્રજા સૌથી મહત્વપૂર્ણ હોય છે. જેમાં પ્રજાનો અવાજ સાંભળવાની શÂક્ત હોવી જાઈએ. સાથે સાથે પ્રજાની સમસ્યાઓને ઉકેલવાની શÂક્ત પણ હોવી જાઈએ. ટિકા ટિપ્પણી સાંભળવાની શÂક્ત પણ હોવી જાેઈએ. વિપક્ષી દળોની વાત સાંભળવાની શÂક્ત હોવી જાઈએ. પ્રિયંકાએ કહ્યું હતું કે મોદી વાત સાંભળવાના બદલે જવાબ દેવા માટે પણ ઈચ્છુક નથી.


Download Our B K News Today App



Related News