ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાએ હાર્દિક પંડ્યાને કહ્યું,IPL તમને દર વર્ષે કંઈક નવું શિખવસે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-17 15:08:23
  • Views : 85
  • Modified Date : 2024-03-17 15:08:23

ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPL 2022ની સિઝન જીતી હતી. આ પછી, IPL 2023 સિઝનની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ હવે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો ભાગ નથી તાજેતરમાં જ આઇપીએલની હરાજી પછી, મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યાને ટ્રેડ કર્યો હતો.આ સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. પરંતુ ગુજરાત ટાઇટન્સમાંથી હાર્દિક પંડ્યાની વિદાયની કેટલી અસર થશે? આ સવાલનો જવાબ ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાએ આપ્યો છે.આશિષ નેહરાએ કહ્યું કે જ્યારે હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાનું નક્કી કર્યું ત્યારે મેં તેને ક્યારેય રોકવાનો પ્રયાસ કર્યો નથી. જે રીતે રમત બદલાઈ રહી છે, આપણે આવનારા દિવસોમાં આવા ઘણા ટ્રાન્સફર જોઈશું, તે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ક્લબ માર્કેટ જેવું જ છે.પરંતુ શું હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સમાંથી વિદાયની અસર પડશે? આ પ્રશ્નના જવાબમાં આશિષ નેહરાએ કહ્યું કે ગુજરાત ટાઇટન્સ હાર્દિક પંડ્યાને મિસ કરશે તેમાં કોઈ શંકા નથી. પરંતુ આ અમારા માટે નવા મોકા સમાન છે.ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરા કહ્યું છે કે IPL તમને દર વર્ષે કંઈક નવું શીખવે છે, આ વર્ષે પણ અમે કંઈક નવું શીખવા માટે તૈયાર છીએ. અમારા ગુજરાત ટાઇટન્સ તરફથી હાર્દિક પંડ્યાને શુભેચ્છાઓ… તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા IPL 2015ની સિઝનમાં પહેલીવાર રમ્યો હતો, તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો.આ પછી, હાર્દિક પંડ્યાએ IPL 2021 સીઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમવાનું ચાલુ રાખ્યું. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ માટે 7 સીઝન રમ્યો હતો. આ ટીમની સફળતામાં હાર્દિક પંડ્યાની મોટી ભૂમિકા માનવામાં આવે છે.

Download Our B K News Today App



Related News