આફ્રિકામાં ટીમ ઈન્ડિયા સાથે અન્યાય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-15 16:41:46
  • Views : 84
  • Modified Date : 2023-12-15 16:41:46

ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારે રમાયેલી ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને ખરાબ રીતે હરાવ્યું હતું. આ સાથે બંન્ને ટીમો વચ્ચેની ત્રણ મેચની સિરીઝ 1-1ની બરાબરી પર રહી હતી. પરંતુ જોહાનિસબર્ગમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં કંઈક એવું થયું કે દક્ષિણ આફ્રિકાના હોસ્ટિંગ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની હાલત ઘણી ખરાબ હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 13.5 ઓવરમાં 95 રનમાં સમેટાઈ ગઈ હતી. આ ટીમ માટે ડેવિડ મિલરે સૌથી વધુ 35 રન બનાવ્યા. મિલર દક્ષિણ આફ્રિકાની 10મી વિકેટ તરીકે આઉટ થયો હતો પરંતુ તે પહેલા જ આઉટ થઈ ગયો હતો. તેમ છતાં, તે તેનું નસીબ હતું કે તે બચી ગયો.મિલર એવો બેટ્સમેન છે જે પોતાની તોફાની બેટિંગથી મેચને પલટાવવાની શક્તિ ધરાવે છે. આ પહેલા પણ તે ઘણી વખત આવું કરી ચૂક્યો છે. આના સંકેતો ત્રીજી T20 મેચમાં પણ જોવા મળ્યા હતા પરંતુ તેમ થયું ન હતું. નસીબ પણ આ વખતે મિલરને મેચ વિનર બનાવી શક્યું નહીં.વાસ્તવમાં, ભારતીય ટીમે આપેલા 201 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાને સારી શરૂઆત મળી ન હતી. ટીમે તેની શરૂઆતની વિકેટો વહેલી ગુમાવી દીધી હતી. ઈનિંગની નવમી ઓવર ચાલી રહી હતી અને ડેવિડ મિલર રમી રહ્યો હતો, રવીન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યો હતો. જાડેજાની ઓવરનો ચોથો બોલ ડેવિડ મિલરના બેટમાં ટચ થયો અને ટીમ ઈન્ડિયાએ જોરદાર અપીલ કરી પરંતુ મેદાન પરના અમ્પાયરે આઉટ ન આપ્યો. ભારતે રિવ્યુ લેવાનું નક્કી કર્યું પરંતુ અહીં મિલરના નસીબ તેના સાથે હતું, કારણ કે તે સમયે DRS હાજર નહોતું.ભારતે રિવ્યુ માટે અપીલ કરી સમયે DRS કામ કરતું ન હતું. અહેવાલો અનુસાર, તે સમયે ટેકનિકલ ખામીના કારણે DRS બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ રિપ્લેમાં જાણવા મળ્યું કે બોલ મિલરના બેટની કિનારીને ટચ થયો હતો. આવી સ્થિતિમાં જો રિવ્યુ ઉપલબ્ધ હોત તો મિલરનું પેવેલિયન પરત ફરવું નિશ્ચિત હતું. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની યજમાની પર સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ બાદ પણ મિલર કોઈ ખાસ કમાલ કરી શક્યો નહોતો. તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.

Download Our B K News Today App



Related News