નાઇજીરિયામાં કોલેરાનો હાહાકારઃ મૃત્યુઆંક વધીને 51 પર પહોંચ્યો

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-21 12:28:07
  • Views : 479
  • Modified Date : 2022-12-21 12:28:07


નાઇજિરિયાના દક્ષિણી પ્રાંત ક્રોસ રિવરના ઓછામાં ઓછા 10 ગામોમાં કોલેરાના પ્રકોપથી મરનારાઓની સંખ્યા 20થી વધીને 51 થઈ ગઈ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
રવિવાર અને સોમવારની વચ્ચે પ્રાંતમાં કોલેરાનો ભોગ બનેલા અન્ય ૩૧ લોકોનાં મોત નિપજ્યાં હતાં. સૌથી વધુ અસરગ્રસ્ત ક્રોસ રિવરમાં અબી સ્થાનિક સરકારી વિસ્તારમાં અકુરેક સમુદાયના આદિવાસી વડા બર્નાર્ડ એગ્બેએ મીડિયાને આ માહિતી આપી હતી.
અગ્બેએ જણાવ્યું હતું કે, સ્થાનિક હોસ્પિટલોમાં કોલેરાના ચાર દર્દીઓની હાલત ગંભીર છે.
કોલેરાનો રોગચાળો ગુરૂવારથી શરૂ થયો હતો, જેના પગલે સરકારે વાયરલ રોગના વધુ ફેલાવાને રોકવા માટે અસરગ્રસ્ત ગામોમાં માનવ અને ભૌતિક સંસાધનો તૈનાત કરવા જણાવ્યું હતું, એમ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.
ક્રોસ રિવર પ્રાઇમરી હેલ્થકેર ડેવલપમેન્ટ એજન્સીના વડા જેનેટ એકપીયોંગે પત્રકારોને જણાવ્યું હતું કે જો અસરગ્રસ્ત ગામોમાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હોત તો મૃત્યુમાં ઘટાડો થઈ શક્યો હોત. તેમણે જણાવ્યું હતું કે સરકારે રોગચાળાને સંચાલિત કરવાના પગલા તરીકે સમુદાયના નેતાઓ સાથે વાતચીત સ્થાપિત કરી છે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે તેમના સમુદાયો કોલેરા અને અન્ય સંબંધિત રોગોને દૂર કરવા માટે સ્વચ્છતા પ્રોટોકોલનું પાલન કરે.


Download Our B K News Today App



Related News