ભાજપ એકલા હાથે ૩૦૦ બેઠક મેળવી લેશે કે કેમ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:57:04
  • Views : 429
  • Modified Date : 2019-05-21 11:57:04

લોકસભાની ચૂંટણીના પરિણામ હવે ૨૩મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. પરંતુ સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ એÂક્ઝટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. એમ માનવામાં આવે છે કે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ૩૦૦ સીટ પાર કરી લેશે. ભારતીય જનતા પાર્ટી તેના રાજકીય ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાની દિશા છે. એÂક્ઝટ પોલના તારણ પર વિશ્વાસ કરવામા ંઆવે તો ભારતીય જનતા પાર્ટી પોતાના હજુ સુધીના સર્વશ્રેષ્ઠ રેકોર્ડ ૨૮૨ સીટના આંકડાને પાર કરી શકે છે. એÂક્ઝટ પોલમાં ભારતીય જનતા પાર્ટી માટે એકલા હાથે બહુમતિ માટેનો દાવો કરવામાં આવ્યો છે. ભાજપને એકલા હાથે ૩૦૦ સીટો મળી શકે છે. એÂક્ઝટ પોલ દર્શાવે છે કે ૨૦૧૯માં ફરી મોદી મેજિકની Âસ્થતિ છે. સાફ સંદેશો મળી રહ્યો છે કે દેશમાં નરેન્દ્ર મોદી કોઇ પણ વિવાદ વગર સૌથી લોકપ્રિય નેતા છે. રાષ્ટ્રવાદની સાથે જાડાઇને મોદી લહેર વધારે મજબુત થઇ રહી છે. મહાગઠબંધન અને અન્ય ક્ષેત્રીય દળોની એકતા છતાં મોદીનો જાદુ અકબંધ દેખાઇ રહ્યો છે. તેમની સામે વિપક્ષના કોઇ નેતા ટક્કર આપતા દેખાઇ રહ્યા નથી. મોટા ભાગના એÂક્ઝટ પોલમાં એનડીએને ૩૦૦ સીટ આપવામાં આવી રહી છે. એકલા હાથે ભારતીય જનતા પાર્ટી આ વખતે ૩૦૦ સીટો જીતી શકે છે કે કેમ તેને લઇને ભારે ચર્ચા છે. જા કે એÂક્ઝટ પોલના તારણ કેટલીક વખત ખોટા પણ સાબિત થયા છે. એકલા ભાજપને ૩૦૦ અથવા તો તેના કરતા વધારે સીટો આપવાનો દાવો કરનાર ટુડે ચાણક્ય અને એÂક્સસ માય ઇÂન્ડયાની કહેવા મુજબ યુપીમાં સમાજવાદી પાર્ટી-બહુજન સમાજવાદી પાર્ટી પણ ભાજપને રોકી શકશે નહીં.

Download Our B K News Today App



Related News