આલિયાના કાકા મુકેશ ભટ્ટે સગાઈની ચર્ચા વચ્ચે કહ્યું, છોકરાવાળાએ મને કંઈ પણ કહેવાની ના પાડી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 14:01:29
  • Views : 344
  • Modified Date : 2020-12-30 14:01:29

    રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ સિંહ, રિદ્ધિમા કપૂર મંગળવાર, 29 ડિસેમ્બરના રોજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આ તમામ જયપુર સુધી ફ્લાઈટમાં અને પછી કારમાં રણથંભોર ગયા હતા. પહેલાં એવી ચર્ચા હતી કે કપૂર તથા ભટ્ટ પરિવાર નવું વર્ષ સાથે સેલિબ્રેટ કરશે. જોકે, હવે એવી ચર્ચા થઈ રહી છે કે રણબીર તથા આલિયા આજે એટલે કે 30 ડિસેમ્બરના રોજ સગાઈ કરવાના છે. બોલિવૂડ સ્ટાર્સ રણથંભોરની ફાઈવસ્ટાર હોટલ અમન વિલાસમાં રોકાયા છે. આ હોટલ વેડિંગ ડેસ્ટિનેશન માટે લોકપ્રિય છે. આલિયાના કાકા મુકેશ ભટ્ટે વાતવાતમાં સગાઈની વાતનો સ્વીકાર કરી લીધો છો અને તેમણે કહ્યું હતું કે છોકરાવાળા (કપૂર પરિવાર)એ આ અંગે હાલમાં કંઈ પણ કહેવાની ના પાડી છે.

    દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ પણ રણથંભોરમાં છે. ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જી પણ અહીંયા છે. આટલું જ નહીં કરન જોહર હાલ ગોવામાં છે, તે પણ રાજસ્થાન જશે, તેમ માનવામાં આવી રહ્યું છે.આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ, માતા સોની રાઝદાન તથા બહેન શાહીન તથા રણબીરના જીજાજી ભરત સાહની દિલ્હીથી રણથંભોર આવશે, તેવી ચર્ચા છે. રાજસ્થાનમાં અચાનક રણબીર-આલિયાના નિકટના પરિવાર તથા મિત્રોને જોતા બોલિવૂડમાં એવી ચર્ચા થવા લાગી કે આ બંને અહીંયા સગાઈ કરવાના છે.રણબીર કપૂરના પરિવારના નિકટના સાથીએ એવું કહ્યું હતું, 'સગાઈની વાત સામે આવી રહી છે. તમામ તૈયારીઓ કરન જોહરના સુપરવિઝનમાં થઈ રહી છે. બંને પરિવારના ડિસિઝન મેકિંગ મેમ્બર્સ એક સાથે અહીંયા આવ્યા નથી. કેટલાંક દિલ્હીથી રણથંભોર આવ્યા છે. કરન જોહર ત્રણથી ચાર લોકોની સાથે આવી રહ્યો છે.' તો આલિયા ભટ્ટની ટીમે સગાઈની વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ માત્ર નવું વર્ષ સેલિબ્રેટ કરવાના છે.


આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર રણથંભોરમાં સગાઈ કરશે તેવી ચર્ચા છે. આલિયાના કાકા મુકેશ ભટ્ટે આડકતરી રીતે આ વાત પર ખુશી પ્રગટ કરી છે. મુકેશ ભટ્ટે કહ્યું હતું, 'હાલમાં હું આ મુદ્દે કંઈ જ કહી શકું તેમ નથી. હું હા પણ નહીં કહું અને ના પણ નહીં કહું. હું ખોટું બોલી શકતો નથી. મારી આ જ સમસ્યા છે. મને ખોટું બોલવા માટે મજબૂર ના કરવામાં આવે અને સાચું બોલવા પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ હાલમાં છોકરા તરફથી આવ્યો છે. અત્યારે બોલવું થોડું મુશ્કેલ છે. હવે જ્યારે બધું પાક્કાપાયે થશે, તો અમે જરૂરથી કહીશું. હા આજકાલ હું મુંબઈમાં નથી અને હું ક્યાં છું, તે ના પૂછો તો સારું.'કરન જોહરની ધર્મા પ્રોડક્શનના 12થી વધુ ક્રૂ મેમ્બર્સ છેલ્લાં ત્રણ દિવસથી જયપુર તથા રણથંભોરમાં છે. તેઓ સગાઈની તૈયારીમાં વ્યસ્ત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રણવીર-દીપિકાને રણથંભોરમાં જોતા સગાઈની ચર્ચાને વધુ વેગ મળ્યો છે. આલિયા ભટ્ટ એક્ટર રણવીર સિંહની ઘણી જ નિકટ છે. આલિયા પોતાના જીવનના આ ખાસ પ્રસંગે રણવીર તથા દીપિકાને બોલાવવા માગતી હતી. આથી જ માનવામાં આવે છે કે આલિયાએ જ રણવીર-દીપિકાને આમંત્રણ આપીને ખાસ બોલાવ્યા છે.

    આલિયાની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ટીમને સગાઈ અંગે કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું હતું, 'ક્રિસમસની રજાઓ માટે તેઓ મુંબઈ બહાર છે. સંજય લીલા ભણસાલી ખંડાલા તથા લોનાવલા સ્થિત પૈતૃક ઘરમાં નવું વર્ષ મનાવશે. તમામ લોકો પાંચ કે સાત જાન્યુઆરીથી શૂટિંગ ફરીથી શરૂ કરશે. શૂટિંગ મુંબઈમાં જ થવાનું છે. પછી ફેબ્રુઆરીમાં દિલ્હીમાં ત્રણ મૂર્તિ ભવનમાં આલિયા ભટ્ટ શૂટિંગ કરશે. અહીંયા ગંગુબાઈ જ્યારે PMને પોતાની માગણી કહેવા માટે આવે છે, તે સીક્વન્સનું શૂટિંગ થશે. આ શૂટિંગ ભણસાલી કરશે નહીં. તેમનું સેકન્ડ યુનિટ કરશે. આ બધાની વચ્ચે લગ્નની તારીક કેવી રીતે અને ક્યારે ફિક્સ થાય છે, તે જોવું રસપ્રદ રહેશે.'




Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 120