અગ્નિપથ : રેલવેનો મોટો નિર્ણય, બિહારમાં સવારના 4 થી રાતના 8 સુધી નહીં ચાલે એક પણ ટ્રેન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 17:15:20
  • Views : 287
  • Modified Date : 2022-06-18 17:15:20


અગ્નિપથ :  રેલવેનો મોટો નિર્ણય, બિહારમાં સવારના 4 થી રાતના 8 સુધી નહીં ચાલે એક પણ ટ્રેન


બિહારમાં રેલવેએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કોઈ ટ્રેન નહીં ચાલે. બિહારમાં 'અગ્નિપથ' યોજના સામે સૌથી વધુ હિંસા જોવા મળી છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ ડઝનેક ટ્રેનોને આગ ચાંપી દીધી હતી અને ઘણા શહેરો અને નગરોમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. 


રેલવેને થયું 200 કરોડથી વધુનું નુકશાન 
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવેની મિલકતો તોડવાથી માત્ર બિહારમાં જ ₹200 કરોડથી વધુનું નુકસાન થયું છે.
રેલવેએ જણાવ્યું હતું કે મુસાફરો અને રેલવેની મિલકતોની સલામતીને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પૂર્વ મધ્ય રેલવેના અધિકારક્ષેત્રમાંથી પસાર થતી/આવતી ટ્રેનોનું સંચાલન 18.06.2022ના રોજ સવારે 20.00 કલાકથી 19.06.2022ના રોજ સવારે 04.00 કલાક સુધી અને ફરીથી 19.06.2022ના રોજ 20.00 વાગ્યાથી 20.00 વાગ્યા સુધી કરવામાં આવશે.


ટ્રેનોના સંચાલનમાં કામચલાઉ ફેરફાર 
પૂર્વ મધ્ય રેલવેએ હિંસક વિરોધને કારણે ટ્રેનોના સંચાલનમાં કામચલાઉ ફેરફાર કર્યા છે. રેલવેએ જણાવ્યું કે પ્રદર્શનના કારણે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂર્વ મધ્ય રેલવેના કાર્યક્ષેત્રમાંથી અન્ય ઝોનલ રેલવેથી ખુલ્લેઆમ પસાર થતી ટ્રેનોના સંચાલનમાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યો છે.


હિંસક પ્રદર્શનના કારણે 300થી વધુ ટ્રેનો પ્રભાવિત


રેલવેએ શુક્રવારે જાણકારી આપી હતી કે હિંસક પ્રદર્શનના કારણે 300થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ છે, જ્યારે 234 ટ્રેનો રદ કરવામાં આવી છે. આ સાથે જ 7 ટ્રેનોમાં આગચંપી થઈ છે. રેલવેએ જણાવ્યું કે વિરોધના કારણે 94 મેલ અને એક્સપ્રેસ ટ્રેન અને 140 પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે. તે જ સમયે, 65 મેલ અને એક્સપ્રેસ ટ્રેનો અને 30 પેસેન્જર ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે રેલવેએ 11 મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના રૂટમાં ફેરફાર કર્યો છે.


 


Download Our B K News Today App



Related News