બળજબરીથી શારીરિક સંબંધનો વિરોધ કરી શકે છે મહિલાઓ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-03 16:43:38
  • Views : 99
  • Modified Date : 2023-08-03 16:43:38

ઓડિશા હાઈકોર્ટે બળાત્કારના કેસની સુનાવણી કરતા કહ્યું કે, જો કોઈ પુખ્ત ઉંમરની મહિલા શારીરિક સંબંધ બાંધવાનો વિરોધ ન કરે તો તેને બળજબરી ગણવામાં આવશે નહીં. આરોપીને મુક્ત કરતાં કોર્ટે કહ્યું કે મહિલા આવા કૃત્યોનો વિરોધ કરી શકે છે અને જો તે આમ નહીં કરે તો તેને તેની સંમતિ ગણવામાં આવશે.જસ્ટિસ સંગમ કુમાર સાહુએ કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે, જો મહિલા શારીરિક સંબંધ બાંધવા માટે પૂરતો વિરોધ નથી કરતી તો કોર્ટ તેને બળજબરી નથી માનતી અને ન તો તેની સંમતિ વિના બધું જ કરવામાં આવ્યું હતું.કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જો પીડિતાની સંમતિ ન હોય અને આરોપીએ પ્રતિકાર કર્યો હોય તો બંનેમાંથી કોઈના શરીર પર કોઈ ઘા હોવા જોઈએ, જેનાથી સાબિત થાય કે શારીરિક સંબંધ બળજબરીથી બનાવવામાં આવ્યો નહોતો. કોર્ટનું માનવું છે કે મહિલા તરફથી કોઈ વિરોધ થયો નથી. કોર્ટે વધુમાં કહ્યું કે પુરાવા અને રેકોર્ડને જોતા એવું લાગે છે કે પોતાને બચાવવા માટે, પડિતાએ આ ઘટનાને વિકૃત કરી બતાવ્યું કે અરજદારે તેની સાથે બળાત્કાર કર્યો છે.મહિલાનું કહેવું છે કે વર્ષ 2014માં જ્યારે તે અને આરોપી જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હતો. જ્યારે તે ઘરે ન પહોંચી તો તેના પતિએ તેને શોધવાનું શરૂ કર્યું અને તેને આરોપી સાથે આ હાલતમાં જોઈ હતી. જ્યારે મહિલાએ તેના પતિને જોયો તો તેણે આરોપીને ધક્કો મારીને દૂર જવા કહ્યું હતું. આ ઘટના અંગે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ મામલો ટ્રાયલ કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે આરોપીને આઈપીસી હેઠળ બળાત્કાર માટે જવાબદાર ઠેરવ્યો હતો. આ પછી આરોપીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, કોર્ટને ઘટનાના બીજા દિવસે કરવામાં આવેલી મેડિકલ તપાસમાં જાણવા મળ્યું હતું કે મહિલાના શરીર પર કોઈ ઘા કે વાગ્યાના નિશાન નથી.

Download Our B K News Today App



Related News