લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ રંગેચંગે સંપન્ન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-23 14:33:36
  • Views : 404
  • Modified Date : 2019-12-23 14:33:36

દેવાધીદેવ પ્રભુ શીવના અર્ધાગીની અને કરોડો કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયામાતાજીના પ્રાગટ્ય સ્થાન, તીર્થ સ્થાન અને શÂક્તપીઠ સમાન ઊંઝા ખાતે આયોજીત ભવ્યાતિભવ્ય અને વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની પૂર્ણાહૂતિ થઈ છે. લાખો પાટીદાર સહિત તમામ જ્ઞાતિ-કોમના શ્રધ્ધાળુઓએ ઉમિયા માતાકી જય... ના ગગન ભેદી નારા સાથે મહાયજ્ઞની પૂર્ણાહૂતિ સમયે જીવનને ધન્ય ધન્ય બનાવવાની અનુભૂતિ કરી હતી. મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સતત ૬ માસથી વિવિધ કમિટી રચના કરીને લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ માટે માઈક્રો પ્લાનીંગ સાથે લક્ષચંડી મહાયજ્ઞ માટે સમર્પિત બનીને સેવા યજ્ઞમાં ઝંપલાવ્યું હતું.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ તા. ૧૮ ડિસેમ્બર થી રર ડિસેમ્બર દરમિયાન યોજાયો હતો. ઉમિયા નગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩પ૦ ફુટ બાય ૩પ૦ ની લંબાઈ પહોંળાઈ અને ૮૧ ફૂટની ઊંચાઈ ધરાવતું ભવ્યાતિ ભવ્ય યજ્ઞ શાળા વાંસમાંથી બનાવવામાં આવી હતી. તે અગાઉ ઉછામણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીદાર સમાજના અગ્રણિઓ,ઉધ્યોગપતિઓ અને દાનેશ્વરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીઘો હતો.ગોવિંદભાઈ વરમોરાએ રૂપિયા ૪ કરોડ ૫૧ લાખની બોલી બોલી યજ્ઞમા મુખ્ય યજમાન બનવાવા સહભાગી બન્યા હતા. ઉંઝાના ઉમિયાબાગ ખાતે તા.૧ ડિસેમ્બર થી ૭૦૦ શ્લોકની સપ્તપદીના એકલાખ પાઠ કર્યા હતા. યજ્ઞકાંડના પ્રખર ભુદેવોને રહેવા જમવા તથા યજ્ઞશાળા પર લાવવા લઈ જવાની જવાબદારી સમવંયંસેવકોએ નિભાવી હતી. તા.૧૮ ડિસેમ્બરના રોજ સવારથી લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ કરાયો હતો. દૈનિક ૧૧૦૦ પાટલા અને મુખ્ય યજમાન સહિતના પાટલાના યજમાનો દ્વારા લક્ષચંડી યજ્ઞ શરૂ કરાયો હતો. લક્ષચંડી મહાયજ્ઞની મહત્વની બાબત એ છે કે મહાયજ્ઞ મહોત્સવમાં તમામ જ્ઞાતિ, જાતિ, કોમ અને તમામ ધર્મ સંપ્રદાયના અનુયાયીઓને આમંત્રણ આપી સમગ્ર વિશ્વમાં સમરસતાની ઉદાહરણ પુરૂ પાડી સંદેશો પુરો પાડ્યો હતો.

મા ઉમિયાજી પ્રત્યે અતુટ શ્રધ્ધા અને આસ્થા ધરાવતા લાખો શ્રધ્ધાળુઓ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના સાક્ષી બન્યા હતા લાખો શ્રધ્ધાળુઓને મા ઉમિયાના દર્શનનો લાભ મળી રહે તે માટે પાંચ દિવસ સુધી મંદિરમાં દર્શનનો સમય રોજ રર કલાક જેટલો રાખવામાં આવ્યો હતો. શીસ્તબંધ રીતે લાઈન ઉભા રહી લાખો લોકોએ માતાજીના ચરણોમાં શીષ ઝુકાવી દર્શન કર્યા હતા. આ ઉપરાંત લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શન કરવા માટે આવતા શ્રધ્ધાળુઓના વાહનો પાર્કીંગ કરવા માટેની સુવિધા ઉભી કરવામાં આવી હતી. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પ૧ શÂક્તપીઠની નયનરમ્ય અને કલાત્મક મૃત્તિઓના દર્શન એક લ્હાવો બન્યો હતો. ધર્મ સાથે કર્મના સિધ્ધાંતના આધારિત લક્ષએક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ ભરના ઉદ્યોગપતિઓએ તેમના સ્ટોલ ઉભા કર્યા હતા જેના કારણે ઉદ્યોગપત્તિઓ, વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે સીધા સંપર્ક થયા હતા. આ દરમિયાન અસંખ્ય ઔદ્યોગિક કરારો પણ થયા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેતિ આધારિત જીવન નિર્વાહ ચલાવતા ખેડૂતો માટે કૃષિ વિષયક પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતીગાર કરવા માટે ખાસ પ્રદર્શન યોજાયું હતું જેનો લાખો લોકોએ લાભ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન માટે સેમીનાર યોજાયા હતા.

પાટીદાર સમાજની નવી પેઢીને દૂષણોથી મુક્ત રાખવા, ધાર્મિક પરંપરાઓ સાથે જાડી રાખવા અને સામાજીક જવાબદારીઓ નિભાવવાની પ્રેરણા મળે તે માટે હજારો યુવકો અને બહેનોને સાથે રાખીને મહત્વપૂર્ણ મહોત્સવ યોજાયો હતો. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં દાયીત્વ Âસ્વકૃત કરી નિષ્ઠા ભાવથી સેવા કરનાર યુવકોએ મહોત્સવના આયોજનના અનુભવો મેળવ્યા હતા. આગામી વર્ષોમાં યોજાનારમહત્વના કાર્યક્રમોમાં આયોજન તરીકેની ભૂમિકા ભજવશે.

લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન વિવિધ રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યા હતા. બીયારણ ભરેલા ૧પ,૦૦૦ બલુન હવામાં છોડવાના સીડ્‌સ બોમ્બ દ્વારા પર્યાવરણની રક્ષા અને વૃક્ષો વાવોના અભ્યાનને આગળ ધપાવ્યુ હતું. લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પાંચ દિવસ દરમિયાન ૧પ,૦૦૦ બહેનોના બ્રેસ્ટ કેન્સર સ્કેનિંગ કરાયા હતા જે પૈકીના ૧૦૦ થી વધુ બહેનોને બ્રેસ્ટ કેન્સરના પ્રથમ તબક્કાના કારણે આગળની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત બે હજર પાંચસો જેટલા વ્યÂક્તઓએ ડાયાબીટીસ અને બ્લડપ્રેસર સહિતના ચેકપ કરાવ્યા હતા. સતત ર૪ કલાક  સ્ટેન્ડ મેડીકલ ટીમ દ્વારા વિવિધ સ્થળે મેડીકલ સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી હતી. પાંચ દિવસ હેલિકોપ્ટરમાંથી પૂષ્પવર્ષા કરવાના દૃશ્યો આકર્ષક બન્યા હતા.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો મહોત્સવ પૂર્વે, મહોત્સવ દરમિયાન અને મહોત્સવ બાદ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તથા કાયદો અને સલામતી જળવાઈ રહે તે માટે હજારો પોલીસ જવાનો દ્વારા ચુસ્ત સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉપરાંત રાજકીય મહાનુભાવો વિશિષ્ઠ મહાનુભાવોની ઉપÂસ્થતીને ધ્યાનમાં રાખી વિવિધ સ્થળ પર પ્રોટોકલ પ્રમાણે બંદોબસ્ત ગોઠવાયો હતો.૮૦૦ વીઘા જમીન પર આયોજીત મહોત્સવ દરમિયાન ૧૭,૦૦૦ હજાર કરતા પણ વધુ લોકો તેમના પરિચિત કે પરિવાર જનોથી વિખુટા પડ્યા હતા. સતત માઈક પર એનાઉન્સ કરીને વિખુટી પડેલી વ્યÂક્તઓને પરિવાર જનો સાથે મિલન કરાવ્યા હતા.




Download Our B K News Today App



Related News