રાજ્યના ડેમોના કુલ જળસંગ્રહનો 42 ટકા ભાગ નર્મદાનો, 75% વસ્તીને પીવાનું પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-20 13:52:19
  • Views : 373
  • Modified Date : 2020-09-20 13:52:19

        ગુજરાતની આત્મનિર્ભરતામાં ડગલેને પગલે સરદાર સરોવર નર્મદા પ્રોજેકટનો ફાળો જોવા મળે છે. સરદાર. પીવાના પાણી, સિંચાઇ માટે ગુજરાતનો આધાર સરદેર સરોવર ડેમ છે તો પ્રવાસનનો આધાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે. એટલે નર્મદાનું મહત્વ સમજવા ગુજરાતના પાણીનું ચિત્ર સમજવું પડે.રાજ્યમાં તમામ સ્રોત મળી કુલ 55600 એમ.સી.એમ.એટલે કે 55.60 લાખ કરોડ લિટર પાણીના સ્રોતો છે. જેમાં 17500 એમ.સી.એમ. ભૂગર્ભ જળસ્રોતો છે. ગુજરાતની જળનીતિ મુજબ, 88 ટકા પાણી સિંચાઇ માટે, 10 ટકા પાણી ઘરેલું ઉપયોગ માટે જ્યારે 2 ટકા ઉધોગો માટે ફાળવવામાં આવે છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં કુલ જળસંગ્રહ ક્ષમતા 22234 એમ.સી.એમ. (22 લાખ કરોડ લિટર) છે. રાજ્યની જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો 19થી 20 ટકા ફાળો છે. ઇકોનોમીમાં ખેતી, દૂધ ઉત્પાદન અને સંલન્ન ઉધોગો મહત્વની ભૂમિકા ભજવે છે. નર્મદાના પાણીથી પીવાના પાણીની ચિંતા ટળી છે.કચ્છ અને સૌરાષ્ટ્રમાં 25થી વધારે ડેમ અને 750થી વધુ ત‌ળાવ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે. જેના કારણે ઘણા ઉધોગોને જીવનદાન પણ મળ્યું છે. લૉકડાઉનમાં બંધ સ્ટેચ્યૂની સાથે ડેમ અને અન્ય અનેક સ્થળો પણ ટુરિઝમ માટે જાણીતા બની ગયા છે.સરકારના દાવા મુજબ, 15 ટકા સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવી હતીસરદાર સરોવરમાં કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 એમ.સી.એમ. છે. જે રાજ્યના જળાશયોમાં સંગ્રહ ક્ષમતાના 42 ટકા છે. આ ક્ષમતા 9.46 લાખ કરોડ લિટર મુજબ, પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ 120 લિટર અપાય તો પણ આ પાણી 3.5 વર્ષ સુધી ચાલી શકે. નર્મદાના 9 એમ.એ.એફ. પાણીમાંથી 0.20 એમ.એ.એફ. એટલે કે 246 એમ.સી.એમ. પાણી ઉધોગોને આપવામાં આવે છે. 2017-18માં કુલ 6192 એમ.સી.એમ.માંથી 37 એમ.સી.એમ. પાણી ઉધોગોને અપાયું હતુંગુજરાતને ફાળે આવતા 9 એમ.એ.એફ.માંથી 0.86 એમ.એ.એફ. એટલે કે 1060 એમ.સી.એમ. પાણી પીવાના ઉપયોગ માટે સુરક્ષિત રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. હાલમાં નર્મદા મુખ્ય કેનાલ અને ગ્રીડ થકી રાજ્યની 75 ટકા વસ્તીને નર્મદાનું પાણી પીવા માટે મળી રહ્યું છે. રાજ્યના 175 શહેર અને 10 હજારથી વધુ ગામ નર્મદાનું પાણી પીવા માટે મેળવી રહ્યા છે. સતત બીજા વર્ષે પણ ડેમ 100 ટકા ભરાઇ જતાં પીવાની પાણી ચિંતા ટળી છે.નર્મદા કંટ્રોલ ઓથોરિટીના 2017-18ના અહેવાલ મુજબ, નર્મદાનું 80 ટકા પાણી સિંચાઇ માટે અપાયું હતું. રાજ્યના 15 જિલ્લાના 73 તાલુકાઓમાં 18 લાખ હેક્ટર જમીનને નર્મદાનું પાણી સિંચાઇ માટે મળી રહ્યું છે. રાજ્યની કુલ ખેતીલાયક વિસ્તારના 15 ટકા જમીનમાં સિંચાઇનો લાભ મળે છે. માઇનર કેનાલ નેટવર્ક પૂર્ણ થયા બાદ વધુ જમીનને ફાયદો થવાની આશા છે. 458 કિમી લાંબી મુખ્ય કેનાલ છે જેમાં 22000 કરોડ લિટર પાણી સંગ્રહની ક્ષમતા છે.સરદાર સરોવર પ્રોજેક્ટથી થતા વીજ ઉત્પાદનમાં 57 ટકા હિસ્સો મધ્યપ્રદેશનો, 16 ટકા ગુજરાતનો જ્યારે 27 ટકા મહારાષ્ટ્રનો હિસ્સો છે. નર્મદા ડેમ ખાતે 1450 મેગાવોટના બે પાવર હાઉસ છે. ગુજરાતને ભાગે 232 મેગાવોટ ક્ષમતા છે. અત્યાર સુધી 6500 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઇ છે. મુખ્ય કેનાલ પર પણ લાગવવામાં આવેલા સોલાર પેનલથી 200 મિલિયન યુનિટ વીજળી પેદા થઇ છે. ગુજરાતમાં હાયડ્રો પ્રોજેકટમાં ક્ષમતા 779 મેગાવોટ યુનિટ છેનર્મદાના 9 એમ.એ.એફ. પાણીમાંથી 0.20 એમ.એ.એફ. એટલે કે 246 એમ.સી.એમ. પાણી ઉધોગોને આપવામાં આવે છે. 2017-18ના અહેવાલ મુજબ, કુલ 6192 એમ.સી.એમ.માંથી 37 એમ.સી.એમ. પાણી ઉધોગોને અપાયું હતું. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 25થી વધારે ડેમ અને 750થી વધુ ત‌ળાવ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે. જેના કારણે ઘણા ઉધોગોને જીવનદાન પણ મળ્યું છે. ડેમ ભરાઇ જવાને કારણે ઉદ્યોગોને પણ તેનો સીધો લાભ મળશે....

Download Our B K News Today App



Related News