આજે 80 હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ કરશે PM મોદી, અદાણી-બિરલા સહિતના દિગ્ગજો આવશે, 5 લાખ નોકરીનો ટાર્ગેટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-03 12:45:55
  • Views : 275
  • Modified Date : 2022-06-03 12:45:55


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે.


તેઓ અહીં યુપી ઈન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં હાજરી આપશે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને આપી છે. બીજી તરફ PMની મુલાકાતને ધ્યાનમાં રાખીને યુપીની રાજધાની લખનૌને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે લખનૌમાં યોજાનાર ત્રીજા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠક પણ લીધી હતી.


 


ઉત્તર પ્રદેશ ઔદ્યોગિક વિકાસની યાત્રામાં વધુ એક સિદ્ધી પ્રાપ્ત કરશે.


રાજ્યમાં ઈન્વેસ્ટરોને ઈન્વેસ્ટ કરવા માટે  ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર આજે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીનું આયોજન કરી રહી છે. અને જેનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. PM મોદી આજે લખનઉંમાં 80 હજાર કરોડ રૂપિયાની ઔદ્યોગિક પરિયોજનાઓ શિલાન્યાસ કરશે. હાલ આ સેરેમનીમાં ભાગ લેવા દેશ-વિદેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ લખનઉં પહોંચ્યા છે. રાજ્ય સરકારના ઔદ્યોગિક વિકાસે આ મોટા સહાસથી પ્રદેશમાં તમામ 75 જિલ્લા ભાગીદાર મોડલ તૈયાર કર્યા છે


 


એક ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થાની રસ્તા પર આગળ વધી રહ્યું છે યુપી


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લખનઉમાં 80 હજાર કરોડથી વધુ ઈન્વેસ્ટમેન્ટની યોજનાઓનો શિલાન્યાસ કરશે. રાજ્ય સરકાર ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા એક ટ્રિલીયન ડોલર બનાવવા ચાહે છે. અને સરકારનું માનવું છે કે, આ સિદ્ધી મેળવવા માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની એક અગત્યની ભૂમિકા નિભાવશે.


PM મોદીનો યુપી શેડ્યૂલ આવો રહેશે


વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી મળેલી માહિતી અનુસાર, 3 જૂન, શુક્રવારના રોજ PM મોદીની યુપી મુલાકાતનું શેડ્યૂલ આ પ્રકારનું હશે.


1-ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન સવારે 11 વાગે લખનૌ પહોંચશે.
2- PM
મોદી બપોરે 1.45 કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે કાનપુર ગ્રામ્ય વિસ્તારના પરૌંખ ગામ જશે. અહીંથી તેઓ તેમની સાથે પાથરી માતાના મંદિરે પણ જશે.
3-
બપોરે 2 વાગ્યે તેઓ ડૉ.ભીવરાવ આંબેડકર ભવન જશે.
4-
તે બપોરે 2.15 વાગ્યે મીટિંગ સેન્ટર પહોંચશે. મિલન કેન્દ્ર રાષ્ટ્રપતિ કોવિંદનું પૈતૃક ઘર છે. રાષ્ટ્રપતિએ તેને જાહેર કાર્યો માટે દાનમાં આપ્યું છે, જે હવે કોમ્યુનિટી સેન્ટર મિલન કેન્દ્ર તરીકે ઓળખાય છે.
5-
તેઓ બપોરે 3 વાગ્યે યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં હાજરી આપશે.


ઉદ્યોગ જગતના દિગ્ગજો પહોંચ્યા લખનૌમાં 


રાજ્ય સરકાર દ્વારા આયોજીત કરવામાં આવી રહેલી સેરેમનીમાં ભાગ લેવા માટે ગુરુવાર સાંજ સુધીમાં દેશ અને દુનિયાના લગભગ 170 પ્રમુખ ઉદ્યોગોના ઉદ્યોગપતિ અને ઔદ્યોગિક ક્ષેત્રે જોડાયેલા પ્રતિનિધિઓ લખનઉં પહોંચ્યા હતાં. જેમાં અડાણી સમૂહના ચેરમેન ગૌતમ અડાણી, આદિત્ય બિરલા ચેરમેન કુમાર મંગલમ બિરલા, હીરાનંદાની સમહૂના અધ્યક્ષ નિરંજન હીરાનંદાની, એયર લક્વિડ લિમીટેડના ઉપાધ્યક્ષ મૈથ્યુ આઈરિસ, રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડના નિર્દેશક અનંત અંબાણી જેવા દિગ્ગજ ઉપસ્થિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજની સેરેમનીમાં યોગી સરકારની સાથે જ મોદી સરકાર કેબિનેટના મંત્રીઓ પણ હાજર રહેશે. 


 


 


Download Our B K News Today App



Related News