બી.કે.ન્યૂઝે ભારતીય જનતા પાર્ટીના પરબતભાઈ પટેલ સાથે કરેલો સીધો સંવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 07:52:35
  • Views : 510
  • Modified Date : 2019-04-22 07:52:35

પરબતભાઈની આ મુલાકાતમાં પરબતભાઈ પાસેથી જાણવા મળ્યું કે તેઓ ૧૯૮૫માં સ્ટેટ બેંકની નોકરી છોડી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડવા નીકળ્યા હતા. આ ચૂંટણી તેમણે જીતી હતી. ત્યાર બાદ ૧૯૯૫માં બીજી વખત ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ એમ કુલ પાંચ વખત જીત્યા હતા. બનાસડેરીમાં ૨૦ થી પણ વધુ વર્ષથી તેઓ ડીરેકટર પદે ચૂંટાયા છે. થરાદમાં શૈક્ષણિક શાળાઓ સાથે પણ સંકળાયેલા છે. થરાદ તાલુકા સંઘના પણ તેઓ ચેરમેન રહી ચુકયા છે. તેમજ થરાદ ગંજ બજારના પણ ચેરમેન બન્યા. આમ, સરકારી અને સહકારી માળખામાં તેમની ખુબ જ સારી પક્કડ છે. રાજ્ય સરકારમાં મંત્રીનો પણ બહોળો અનુભવ છે અને બનાસડેરીમાં પણ સહકારી માળખાનો પણ અનુભવ છે. તેમના સમાજમાં તેમની છબી ર્નિવિવાદીત રહી છે. આ ઉપરાંત ઈત્તર સમાજમાં પણ તેમની લોકચાહના જાવા મળે છે. પરબતભાઈ સાથે સીધા સંવાદ કરતા આ ચૂંટણી લડવા પાછળના કારણો અને તેમની વ્યુહરચના જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ સંવાદના કેટલાંક અંશો અહીં પ્રસ્તુત છે.
પ્રશ્ન : લોકસભાની ઉમેદવારી કરવા પાછળનું કારણ શું ?
પરબતભાઈનો જવાબ ઃ પાર્ટી આદેશ આપે એટલે લડવાનું. ભારતીય જનતા પાર્ટીમાં સંસદીય પાર્લામેન્ટ્રીમાં બોર્ડ આ વાત નક્કી કરતું હોય છે. જેમાં રાષ્ટ્રીય મોવડી મંડળ, રાજકીય આગેવાનો અને સ્થાનિક મંડળો દ્વારા નક્કી થતું હોય છે. અને પાર્ટીનો આદેશ થાય એટલે ચૂંટણી લડવાની જ હોય છે. લડવા પાછળનું કોઈ કારણ નથી હોતું.
પ્રશ્ન : તમારા વિરોધીઓ તમને છોડી બનાસડેરી અને શંકરભાઈને લઈને ચૂંટણીનો પ્રચાર કરે છે તો આ બાબતે તમારૂ શું કહેવું છે ?
પરબતભાઈનો જવાબ ઃ તમે જાણો છો કો વિરોધીઓ પાસે મારા સામે બોલવાના કે મારી ખામીઓ કાઢવા માટે તેમની પાસે કોઈ ઠોસ મુદ્દા નથી.  મારા વિરોધીઓને ખબર નથી કે આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓ કે સહકારી ચૂંટણીના મુદ્દાઓ અલગ હોય.  આ ચૂંટણી રાષ્ટ્ર માટેની એટલે તેમાં આ વાત હાસ્યસ્પદ લાગે છે. મારા જાહેર જીવન વિશે બોલવા માટે વિરોધીઓ પાસે કોઈ મુદ્દો નથી અને બનાસકાંઠાની જનતા જાણે છે કે આ ચૂંટણી રાષ્ટ્ર માટે છે. રાષ્ટ્રના વિકાસ માટે છે. રાષ્ટ્રની સુરક્ષા માટે છે અને ભાજપને વોટ આપી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબુત કરી રાષ્ટ્રની રક્ષા સાથે સાથે વિકાસને ગતિ આપવાની વાત છે.
પ્રશ્ન : નરેન્દ્રભાઈ મોદીને જાઈને કેમ લોકો વોટ કરશે ?
પરબતભાઈનો જવાબ : નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતનું ૧૪ વર્ષનું શાસન જનતાએ જાયું છે. અહીંયા વિકાસ ફુલ્યો ફાલ્યો છે. બનાસકાંઠાની વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના કારણે આજે નર્મદાના નીર બનાસવાસીઓને મળી રહ્યા છે અને સુજલામ સુફલામ જેવી સફળ યોજનાએ પાણીના પ્રશ્નો હલ કર્યા છે. આમ, નરેન્દ્ર મોદીના શાસનમાં વિકાસ તથા ભારતીય રાજકીય પરિભાષામાં વિકાસના મુદ્દાની વાતો થાય છે. નરેન્દ્રભાઈ મોદી આ પાંચ વર્ષમાં ખેડૂત હોય કે નાનો વેપારીઓ હોય કે નાનામાં નાનો કારીગર હોય દરેકના વિકાસની યોજના બનાવી છે. આમ સબકા સાથ સબકા વિકાસની પરિભાષા પૂર્ણ કરી છે.  તેના કારણે જ જનતાએ મન બનાવી લીધું છે કે નરેન્દ્રભાઈ મોદીને જ વડાપ્રધાન બનાવીએ.
પ્રશ્ન : તમને સંસદમાં જવાની તક મળે તો બનાસકાંઠાનો કયો પ્રશ્ન સૌથી પહેલાં રજૂ કરવા માંગો છો ?
પરબતભાઈનો જવાબ : બનાસકાંઠામાં ખેતી આધારીત લોકોનું જીવન છે. અહીંયા ખેતી મુખ્ય આજીવિકા છે. એટલે અહીંયા એગ્રોબેજ એટલે કે ખેતી આધારિત ઉદ્યોગોની સ્થાપના થાય તે પ્રકારની જી.આઈ.ડી.સી.ઓ બને તેવો મારો પ્રયત્ન રહેશે.
પ્રશ્ન : નરેન્દ્રભાઈ મોદીના આગામી વિકાસના કયા કાર્યો તમને દેખાય છે ?
પરબતભાઈનો જવાબ : આમ તો ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંકલ્પ પત્રમાં દરેક મુદ્દાઓને આવરી લીધા છે. એ સિવાય નરેન્દ્રભાઈ મોદી ભારતની મુખ્ય નદીઓને જાડવાનું જે વિચારી રહ્યા છે તે પ્રોજેકટ પણ ખુબ જ સરસ છે. એવા અનેક કાર્યો આગામી સરકાર કરશે.  એમાં બનાસકાંઠાની જનતા નરેન્દ્રભાઈ મોદીના પાંચ સુશાસન અને વિકાસના શાસનને જાયું છે. રાષ્ટ્રના વિરોધીઓને એટલે કે આંતકવાદીઓને જે રીતે મોદી સરકારે બે વખત સેનાને છૂટો દૌર આપી જવાબ આપ્યો છે તે પણ જનતા જાણે છે.પરબતભાઈ પટેલના સીધા સંવાદમાં તેમણે જણાવ્યું કે તેમના વિરોધીઓ પાસે તેમના માટે બોલવાનો કઈ મુદ્દા ના હોઈ
 એટલે ચૂંટણીને જીતવા માટે બનાસડેરીના મુદ્દાને લઈ સતત અપ પ્રચાર કરવામાં આવી રહ્યો  છે. કયાંક શંકરભાઈ સામે આક્ષેપો કરી ચૂંટણી જીતવાના પ્રયાસો કરવામાં આવે છે. કયારેક કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર અને શિવાભાઈ ભુરીયા બોલવાની મર્યાદાઓ પણ ચુકે છે. ચૂંટણીના દિવસે જનતા કોના ઉપર પસંદગી ઉતારે છે તેની જાણ આગામી ૨૩ મે ના રોજ ખબર પડશે.


Download Our B K News Today App



Related News