મુડેઠાના ક્ષત્રિય રાઠોડ દરબારો ધર્મની બહેનને 755 વર્ષથી આપેલું વચન આજે પણ નિભાવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-20 13:53:07
  • Views : 48098
  • Modified Date : 2020-11-20 13:53:07

              ડીસા તાલુકાના મુડેઠા ગામના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને ભાઈબીજના દિવસે ચુંદડી આપવાનો કોલ 755 વર્ષથી આજેય પણ નિભાવી રહ્યાં છે. જ્યાં ભાઇબીજના દિવસે કોરોનાના નિયમોના પાલન સાથે બહેનને ચૂંદડી આપવા ગયા હતા. ડીસા તાલુકાના ભલાણીપાટી, ખેતાણીપાટી, દુદાણીપાટી, રાજાણીપાટી, ચાર પાટીઓ દર વર્ષે અલગ-અલગ વારા મુજબ સવામણનું બખ્તર પહેરીને ધર્મની બહેનને ચુંદડી આપવાનો કોલ (વચન) પુરુ કરવા અશ્વો ઉપર સવાર થઈ ભાઈબીજના દિવસે પેપળુ મુકામે જાય છે અને પેપળુ ધામે રાત્રે રોકાણ કરે છે. જેમાં દંત કથા અનુસાર આજથી 755 વર્ષ પહેલાં રાજસ્થાનમાં આવેલાં જાલોરના રાજા વિરમસિંહ ચૌહાણના રાજવીના રજવાડા ઉપર દિલ્લીના બાદશાહએ ઈ.સ.1300 ની સાલમાં અલાઉદ્દીન ખીલજીના લશ્કરે જાલોરના રાજવી વિરમસિંહના રજવાડા ઉપર હુમલો કર્યો હતો.તેમા વિરમસિંહની પોતાની કુંવરી ચોથબાને સુરક્ષિત માટે એક સાધુ મહાત્મા અંચળનાથ સાથે જવાનો આદેશ કર્યો હતો અને સાધુ મહાત્મા કુંવરી ચોથબાને લઈને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામે ફરતાં ફરતાં આવ્યાં હતાં તે સમયે લાખણી તાલુકાના પેપળુ ગામમાં રાજવી દેવુસિંહ વાઘેલા રાજા રાજ કરતાં હતાં. જેથી મહાત્મા અંચળનાથે કુંવરી ચોથબાના લગ્નનો દેવુસિંહ વાઘેલા સામે પસ્તાવ મુકયો હતો. જેમાં ચોથબાને ભાઈ ન હતો. જેથી મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓને ધર્મનો ભાઈ બનાવ્યા હતા. જેથી ચોથબાએ ભાઈબીજના દિવસે લોખંડનું સવામણનું બખ્તર પહેરી ચુંદડી લઈને આવવાનું વચન માગ્યું હતું. દર વર્ષની જેમ ભાઈબીજના દિવસે બખ્તર પહેરી ચુંદડી લઈ લાખણી તાલુકાના પેપળુ ગામે જાય છે વર્ષોની પરંપરા આજેય નિભાવે છે. જેમાં આ વર્ષે કોરોનાના નિયમ પાળી દુદાણીપાટી પાટીના રાઠોડ બાલુજી નારણજીએ બખ્તર ધારણ કરીને લાખણી તાલુકાના પેપળુ ગામે જઈને ચુંદડી અર્પણ કરીને બહેનનો કોલ નિભાવ્યો હતો.

Download Our B K News Today App



Related News