2023માં સોના અને ચાંદીએ કેટલું વળતર આપ્યું?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-01 08:18:18
  • Views : 76
  • Modified Date : 2024-01-01 08:18:18

વર્ષ 2023 શેરબજારના નામે રહ્યું જ્યાં સેન્સેક્સે 18 ટકા અને નિફ્ટીએ 20 ટકા રિટર્ન આપ્યું છે. પણ આ સમયે સોનાએ પણ રોણકારોને નારાજ કર્યા નથી જેણે એક વર્ષમાં રોકાણકારોને 15 ટકા વળતર આપ્યું છે. જ્યારે ચાંદીમાં ચળકાટ ખાસ જોવા મળ્યો નથી. ચાંદીએ આખા વર્ષમાં માત્ર 7 ટકા રિટર્ન આપ્યું હતું.જો આવનારા વર્ષ વિશે વાત કરીએ તો આ વર્ષે સોના અને ચાંદી બંને ધૂમ મચાવવા માટે તૈયાર છે. જેનું આયોજન અમેરિકામાં કરવામાં આવ્યું છે. જે બાદ સોના અને ખાસ કરીને ચાંદીની કિંમતો રોકેટ ગતિએ ઉપર જશે.30 ડિસેમ્બર, 2022ના રોજ એટલે કે આગળના વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે એમસીએક્સ પર સોનું રૂપિયા 55,017 પ્રતિ દસ ગ્રામ હતું.જ્યારે 29 ડિસેમ્બર 2023ના રોજ એટલે કે ગત વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે એમસીએક્સ પર સોનાની કિંમત 63,203 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ હતી.આનો અર્થ એ થયો કે સમગ્ર વર્ષ દરમિયાન MCX પર સોનાની કિંમતમાં 15 ટકા એટલે કે 8,186 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો થયો હતો.ચાંદીની વાત કરીએ તો, 30 ડિસેમ્બર 2022ના રોજ એટલે કે અગાઉના વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે, MCX પર ચાંદી 69,413 રૂપિયા પ્રતિ કિલો હતી.જ્યારે 29 ડિસેમ્બર, 2023ના રોજ વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે એમસીએક્સ પર ચાંદીની કિંમત 74,403 રૂપિયા પ્રતિ કિલો પર આવી હતી.આનો અર્થ એ થયો કે MCX પર ચાંદીના ભાવમાં સમગ્ર વર્ષ દરમિયાન 7.18 ટકા એટલે કે રૂ. 4,990 પ્રતિ કિલોગ્રામનો વધારો જોવા મળ્યો છે. હવે અમેરિકામાં જે આયોજન થઈ રહ્યું છે વાત કરીએ જેના કારણે ભારતમાં સોના-ચાંદીના ભાવ વધી શકે છે. અમેરિકન ફેડરલ રિઝર્વ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ અમેરિકા તેના નીતિગત વ્યાજ દરોમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. ફેડરલ રિઝર્વ તરફથી સતત એવા સંકેતો મળી રહ્યા છે કે પોલિસી રેટમાં ઘટાડો કરવામાં આવશે.આ ઘટાડો એકથી દોઢ ટકાનો જોવા મળી શકે છે. જેની અસર સોના-ચાંદીના ભાવમાં જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે વ્યાજદરમાં ઘટાડા બાદ ડોલર ઈન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળશે. જેના કારણે સોના-ચાંદીના ભાવમાં વધારો થશે. અત્યારે સોનાનો ભાવ 101ની ઉપર છે. વ્યાજદરમાં ઘટાડા બાદ આ ઇન્ડેક્સ 100થી નીચે જવાની શક્યતા છે.

Download Our B K News Today App



Related News