બોર્ડર નજીક આવેલ સેલ્ફી પોઇન્ટ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ૧૧ વર્ષિય માસુમનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:30:28
  • Views : 526
  • Modified Date : 2019-04-16 05:30:28

મૂળ ભાભર તાલુકાના ગાંગુણ ગામનો ઠાકોર પરિવાર રામનવમીનો મેળો હોઈ નડાબેટ ખાતે પ્રાઇવેટ વાહન લઈ દર્શન કરવા આવેલ. આ પરિવાર ઝીરો પોઇન્ટ ખાતે મુલાકાત કરી, વચ્ચે આવતા સેલ્ફી
પોઇન્ટ ઉપર ગાડી રોડ સાઈડમાં ઉભી હતી તે સમયે રસ્તાની નજીક ઉભેલ બાળકને પાછળથી આવતી અજાણી ગાડીએ જોરદાર ટક્કર મારી ત્યાંથી ફરાર થઇ ગયેલ. જ્યારે ગાડીની ટક્કરથી  રોડ પર
પટકાયેલ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરિવારજનો સુઇગામ રેફરલમાં પ્રાઇવેટ વાહનમાં સારવાર માટે લાવે તે પહેલાં રસ્તામાં જ તેનું પ્રાણ
પંખેરૂ ઉડી જતાં પરિવારની નજર સામે જ માસુમના મોતને લઈ પરિવારના સભ્યો હૈયાફાટ કલ્પાંત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.
રામનવમીના દિવસે સુઇગામના નડાબેટ ખાતે લોકમેળો હોઈ ભાભર
 તાલુકાના ગાંગુણ ગામના કાંતિજી તલાજી ઠાકોર તેમની પÂત્ન બે બાળકો અને પરિવારના અન્ય સભ્યો સાથે પ્રાઇવેટ વાહન ભાડે કરી દર્શન કરી ઝીરો પોઇન્ટની મુલાકાત અર્થે ગયેલ. વચ્ચે આવતા સેલ્ફી પોઇન્ટ પાસે ગાડી સાઈડમાં મૂકી તમામ પરિવારજનો ગાડીથી નીચે ઉતરી સેલ્ફી પોઇન્ટ તરફ જતાં હતાં. ત્યારે રોડ સાઈડમાં ઉભેલ કાંતિજીના ૧૧ વર્ષિય પુત્ર સતીશને પાછળથી આવતી ફોર્ચ્યુનર જેવી લાગતી જી.જે.૦૮ બી.એન. ૯૯૦૯ નંબરની ગાડીએ ટક્કર મારતાં માસૂમ સતિષને હવામાં ફંગોળાઈ રોડ પર પટકાતા ગંભીર રીતે ઘાયલ થયેલ. જોકે ટક્કર મારી ગાડી ડ્રાયવર ગાડી સાથે ફરાર થઈ ગયેલ અને સુઇગામ પો.સ્ટે.હાજર થઈ ગયેલ. ગંભીર રીતે ઘાયલ થયેલ સતીષને ભાડે કરેલી પ્રાઇવેટ ગાડીમાં લઈ સુઇગામ રેફરલ ખાતે સારવાર કરાવે તે પહેલાં રસ્તામાં જ માસૂમ બાળક સતીષે પરિવારજનોની નજર સામે દમ તોડી દેતાં માતાજીના દર્શન કરવા ઉમળકાથી આવેલા પરિવારમાં આક્રંદ સાથે રોકકળ મચી ગઇ હતી. આ અંગે મૃતક સતીષના દાદા તલાજી ઠાકોરે ગાડીના ચાલક વિરૂધ્ધ સુઇગામ પો.સ્ટે.ફરિયાદ કરતાં પોલીસે  ગાડીના ચાલક જશવંતભાઈ છગનભાઇ બારોટ રહે. વજેગઢ થરાદ વાળાને અટક કરી જેલ હવાલે કરેલ છે અને મૃતકનું સુઇગામ રેફરલમાં પી.એમ.કરાવી લાશ વાલી વારસોને સોંપી હતી.
થરાદના નામાંકિત ડો.જે.જે.પટેલની ગાડીએ એક માસુમનો ભોગ લીધો, છતાં માનવતા કોરાણે મૂકી.
મૃતક સતીષના મોત માટે જવાબદાર ગાડી નંબર જી.જે.૦૮ બી.એન. ૯૯૦૯ ફોર્ડ કંપનીની એન્ડીવીયર છે, જે થરાદના નામાંકિત ડો.જે.જે.પટેલની હોવાનું જાણવા મળ્યું હતું.

Download Our B K News Today App



Related News