બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાની ગંભીર પરિસ્થિતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 11:19:12
  • Views : 434
  • Modified Date : 2019-05-04 11:19:12

બનાસકાંઠા જિલ્લામાં ગત ચોમાસામાં નહિવત વરસાદ પડવાના કારણે બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદની અસર બનાસકાંઠા જિલ્લાની ૧૩૬ ગૌશાળામાં રહેતા ૭૨૦૦૦ પશુધન પર પડી રહી છે ત્યારે પાણી વગર સુ સ્થિતિ છે તે જાણવા માટે આજે અમારી ટીમ બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાની મુલાકાત લીધી હતી. ત્યારે પાણી અને ઘાસચારા વગર ગાયોની સાચી સ્થિતિ શું છે તે જાણવાં મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે. ત્યારે રાજસ્થાનમાંથી મોટા પાયે ગુજરાતમાં પશુઓને કતલખાને મોકલવામાં આવે છે. તો કેટલીકવાર જીવદયા પ્રેમીઓ દ્વારા રાજસ્થાનમાંથી આવતા પશુધન ભરેલા ટ્રકોને પકડવામાં આવે છે અને આવા પશુઓને પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં  કુલ ૧૩૬ ગૌશાળા આવેલી છે જેમાં ગૌશાળામાં રજીસ્ટર થયેલા પશુઓમાં ૭૨ હજાર પશુઓ છે. બનાસકાંઠા જિલ્લામાં ગત ચોમાસાની સિઝનમાં નહિવત વરસાદ પડવાના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદના કારણે પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલા ગામોમાં પાણીની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જેની સીધી અસર ગૌશાળાઓમાં પશુધન પર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલા નાની-મોટી ૭૦ થી પણ વધુ ગૌશાળાઓમાં ઘાસચારા અને પાણી વગર પશુધનને સાચવવા મુશ્કેલ પડી રહ્યા છે. ત્યારે અમારી ટીમ દ્વારા છેવાડાની ગૌશાળાની મુલાકાત લેતા પાણી અને ઘાસચારા વગર પશુધનની સાચી સ્થિતિ શું છે તે જાણવા મળી હતી. અંગે જ્યારે ગૌશાળાના સંચાલકને પૂછવામાં આવતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. જેના કારણે ઘાસચારાની મોટી અછત સર્જાય છે. હાલ અમારી ગૌશાળામાં પાણી વગર પશુધનને સાચવવો ખુબ જ મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક લેવલનું ઘાસ ન મળવાના કારણે બહારથી મોંઘા ભાવે ઘાસ મંગાવવાની જરૂર પડે છે. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે ઓછો વરસાદ પડયો હતો જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ત્રણે મુખ્ય જળાશયોમાં નહિવત પાણી છે. જેની સીધી અસર આજુબાજુના ગામોમાં જોવા મળી રહી છે. ત્યારે આ જળાશય આધારિત ૧૧૦ ગામોમાં પીવા માટે પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ વરસાદ ઓછો પડવાના કારણે આ ત્રણેય જળાશયોમાં પાણીનો  પુરવઠો ઓછો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં આવેલ ગૌશાળામાં પાણી વગર પશુધનને સાચવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.  આ અંગે જ્યારે ગૌશાળાના સંચાલકને પૂછવામાં આવે ત્યારે તેઓ જણાવ્યું હતું કે ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં ઓછા વરસાદ પડયો હતો જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે પાણીની મોટી સમસ્યા સર્જાય છે. જેની સીધી અસર અમારી ગૌશાળામાં રહેલ પશુધન પર પણ જોવા મળી રહી છે કારણકે ઓછા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. જેથી સ્થાનિક લેવલનું લીલું ઘાસ અમારી ગૌશાળા સુધી પહોંચી શકતું નથી જેના કારણે બહારથી મોટા ભાવે અમારે કામ ચલાવવું પડે છે અને પાણી પણ ન હોવાના કારણે દૂર દૂરથી પાણી લાવવું પડે છે. સરકાર તરફથી પણ થોડાં સમય પૂરતું અમને સહાય મળી પરંતુ હવે થોડી વધારે સહાય મળે તો અમારૂ પશુધન બચી શકે. 



Download Our B K News Today App



Related News