સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ધૂમ, બંગાળી કારીગરો દ્વારા બનાવવામાં આવે છે ખાસ મૂર્તિઓ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-08-29 16:46:39
- Views : 788
- Modified Date : 2019-08-29 16:46:39
એક સમયે માત્ર મહારાષ્ટ્રમાં જ ધામધૂમથી ઊજવાતો ગણેશ ઉત્સવ છેલ્લાં કેટલાંક વર્ષોથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં નવરાત્રિ પર્વની જેમ ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ જ નહીં, નાનાં-મોટાં અનેક શહેરોમાં ગણપતિ પંડાલો ઊભા થઈ રહ્યા છે. દસ દિવસ સુધી ગણપતિ બાપા મોરિયાનો નાદ ગુંજે છે. સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ગણેશનાં મંદિરો તો દાયકાઓ અને સૈકાઓથી છે, પણ ગણેશ ઉત્સવને મહારાષ્ટ્રની જેમ સાર્વજનિક રીતે ધામધૂમથી ઊજવવામાં આવતો ન હતો. મહારાષ્ટ્રીયન લોકો પોતાના ઘરે ગણપતિને બેસાડીને આ પર્વ ઊજવતા હતા, પણ હવે પરિવર્તન આવ્યું છે. માત્ર મહારાષ્ટ્રીયન જ નહીં, સ્થાનિક લોકો પણ ઉમંગથી ગજાનનની ભક્તિમાં લીન થઈને પર્વ ઉજવે છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું તે પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર એક રાજ્ય હતું અને ગણેશ ઉત્સવ બંને પ્રાંતોમાં ઊજવાતો તેમ હવે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. અંગ્રેજો સામે લડતને મજબૂત બનાવવા બાલ ગંગાધર ટિળકે જ્ઞાતિ- જાતિના ભેદભાવ દૂર કરી તમામને એક છત્ર નીચે લાવવા ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે ઉજવણી કરવાની શરૃઆત કરાવી હતી. ફરી આ બંને રાજ્યોમાં આવો માહોલ જોવા મળી રહ્યો છે. પર્વની સંસ્કૃતિએ રાજ્યોની સરહદોની આ દીવાલને દૂર કરી દીધી છે.રાજકોટમાં આશરે પંદર હજાર જેટલા મહારાષ્ટ્રીયન લોકો રહે છે અને ૧૯૩૦થી મહારાષ્ટ્ર મંડળ કાર્યરત છે. આ મંડળના આગેવાનો કહે છે, એક સમયે રાજકોટમાં માત્ર મહારાષ્ટ્રીયન લોકો જ દસ દિવસનો આ ઉત્સવ મનાવતા હતા, પણ હવે તેનું ફલક ખૂબ મોટું થયું છે. રાજકોટની તમામ વર્ગની જનતા આ ઉત્સવમાં સામેલ થાય છે. વર્ષો પહેલાં માત્ર મંડળની ઑફિસમાં અને પોલીસ હેડક્વાર્ટર, જંક્શન પ્લોટ જેવી જૂજ જગ્યાએ જ સાર્વજનિક ગણેશ પંડાલ ઊભા થતા હતા, જ્યારે આજે રાજકોટના દરેક ચોકમાં ગણેશજીના પંડાલો ઊભા થાય છે. એક અંદાજ મુજબ પ૦૦થી વધુ નાની - મોટી જગ્યાઓ અને ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ગણપતિની મૂર્તિની ડિમાન્ડ વધી છે. મહારાષ્ટ્ર કે રાજસ્થાન સુધી મૂર્તિ લેવા જવું પડતું હતું, પણ હવે રાજકોટ અને રાજ્યનાં અન્ય શહેરોમાં જ બંગાળી કારીગરો એક-બે મહિના પહેલાં આવીને મૂર્તિઓ બનાવે છે. ખાસ કરીને બંગાળી કારીગરો ગણેશ ઉત્સવ પર રોજીરોટી કમાવવા માટે અહીં આવે છે. રાજકોટના બાલભવનમાં છેલ્લા કેટલાક વર્ષોથી બંગાળી કારીગરો ગણેશ ઉત્સવ પહેલાં આવી જાય છે. ત્રણેક મહિના સુધી તેઓ અહીં રહે છે. બાલભવન નજીક પંડાલ નાખીને મૂર્તિઓ બનાવતા કોલકાતાના પ્રદીપ પાલ કહે છે, 'હું કોલકાતાથી મારા કારીગરોની ૧૪ સભ્યોની ટીમ સાથે રાજકોટ આવ્યો છું. છેલ્લાં પંદર વર્ષોથી હું અહીં આવું છું. મારા પિતાજી પણ વર્ષોથી રાજકોટ મૂર્તિઓ બનાવવા આવતા હતા. હવે હું આવંુ છું. સૌરાષ્ટ્રમાં છેલ્લાં થોડાં વર્ષોથી ગણેશ ઉત્સવને ઉજવવાનો ઉમંગ લોકોમાં વધ્યો છે. અનેક સ્થળોએ પંડાલ ઊભા કરવામાં આવતા હોવાથી ગણેશજીની મૂર્તિની માગ વધી છે. નવરાત્રિની જેમ આ પર્વ હવે સૌરાષ્ટ્રમાં ઉજવાઈ રહ્યો છે. બે ફૂટથી માંડી ૧ર ફૂટ સુધીની મૂર્તિઓ બનાવીએ છીએ. મોટી મૂર્તિની કિંમત રૃ.૧પ૦૦થી ૧ લાખ સુધીની છે. હવે માત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એટલે કે પીઓપી નહીં, માત્ર માટીની મદદથી જ ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ પર હવે વધુ ઓર્ડર મળી રહ્યા છે. બંગાળથી કારીગરો આ સમય દરમિયાન રોજીરોટી કમાવવા રાજકોટ આવે છે. બંગાળ કરતાં અહીં સારી રોજગારી મળી રહે છે. રાજકોટમાં ગણેશજીની મૂર્તિ બનાવી રહેલા અન્ય બંગાળી કારીગરોએ કહ્યું હતું કે બંગાળથી કારીગરોની ટીમ સાથે અમે અહીં આવ્યા છીએ. વૉટર કલર અને પીળી માટીની મદદથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. ખાસ તો ફિનિશિંગ પર વધુ ભાર મૂકવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જે લોકો મૂર્તિ ખરીદવા માટે આવે છે તેઓ આકર્ષક કલર અને ફિનિશિંગ વર્ક પર વધુ ભાર મૂકે છે. ૧ર ફૂટ સુધીની મોટી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. અમારા માટે આ ઉત્સવ એ રોજી કમાવવા માટેનો સમય છે. દોઢ-બે મહિના બાદ કારીગરો ફરી વતનમાં જાય છે. બંગાળમાં પણ આ જ કામ કરીને રોજી કમાય છે. રાજકોટ ધર્મપ્રિય અને શાંત શહેર હોવાથી અહીં રોજી કમાવવા વારંવાર આવવાની ઇચ્છા થાય છે. મહારાષ્ટ્રની જેમ હવે રાજકોટ - સૌરાષ્ટ્રમાં પ્લાસ્ટિક ઓફ પેરિસની જગ્યાએ પ્રદૂષણ ફેલાતું અટકાવવા માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનંુ અથવા તો બહારથી ચલણ વધ્યું છે. પુના, નાસિક રાજસ્થાનથી મૂર્તિઓ લાવવામાં આવે છે, તે પણ માટીની લાવવામાં આવે છે અને સ્થાનિક સ્તરે બનાવાય છે, તે પણ માટીની ખાસ બનાવડાવવામાં આવે છે. રાજકોટ મહારાષ્ટ્ર મંડળના આગેવાનો કહે છે, મંડળની ઑફિસમાં અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ગણપતિની મૂર્તિઓ જુદા જુદા મંડળોને આપીએ છીએ. વર્ષો પહેલા માત્ર મંડળની ઑફિસમાં અને પોલીસ હેડ ક્વાર્ટર, જંક્શન પ્લોટ જેવી જૂજ જગ્યાએ જ સાર્વજનિક ગણેશ પંડાલ ઊભા થતા હતા, જ્યારે આજે રાજકોટના દરેક ચોકમાં ગણેશજીના પંડાલો ઊભા થાય છે. એક અંદાજ મુજબ પ૦૦થી વધુ નાની-મોટી જગ્યાઓ અને ઘરોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. રાજકોટમાં ૮૪ વર્ષ પહેલાં ૧૯૩૦માં પંચનાથ મંદિરની એક ઓરડીમાં મહારાષ્ટ્ર મંડળની સ્થાપના કરવામાં આવી હતી. એ સમયના મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોએ આ નાની ઓરડીમાં ગણેશજીનું મંદિર રાખ્યું હતું. બાદમાં ૧૯પ૬માં મંદિરની આ ઓરડીમાં ભારે વરસાદથી પાણી ભરાતા મોટી ટાંકી પાસે મંડળની ઑફિસ શરૃ કરવામાં આવી હતી. બાદમાં દાતાઓની મદદથી અહીં એક હૉલ લેવામાં આવ્યો અને ત્યાં મંડળની ઑફિસ અને મંદિર શરૃ કરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવ દરમિયાન તો દસ દિવસ અહીં ઉત્સવ ઉજવાય છે. રાજકોટ મહારાષ્ટ્ર મંડળના આગેવાનો કહે છે, સૌરાષ્ટ્રમાં આશરે પ૦ હજાર મહારાષ્ટ્રીયન લોકોની વસતી હશે. સૌરાષ્ટ્ર - કચ્છમાં ખાસ કરીને મોરબી, વેરાવળ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગાંધીધામ, આદીપુર સહિતનાં શહેરોમાં મંડળો કાર્યરત છે. સૌરાષ્ટ્રનાં નાનાં-મોટાં શહેરોમાં આશરે પ૦૦૦ જેટલાં સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયન લોકો સાથે હવે સ્થાનિક લોકો ઉત્સાહથી આ પર્વમાં જોડાય છે. સૌરાષ્ટ્રના મંડળોના આયોજકો રાજકોટમાં મૂર્તિઓ લેવા આવતા હોય છે. ગુજરાતમાં ગણેશજીના મંદિરની ચર્ચા નીકળે એટલે સૌ પહેલાં અમદાવાદ જિલ્લામાં આવેલા ગણેશપુરાનું નામ લેવામાં આવે છે, પણ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં મહારાષ્ટ્ર મંડળમાં દાયકાઓ જૂનું મંદિર છે તો ઉપલેટા પાસે ઢાંકમાં પાંડવોના સમયમાં બાંધવામાં આવેલું ગણેશજીનું પ્રાચીન મંદિર છે. આવું જ પ્રસિદ્ધ મંદિર જામનગર જિલ્લામાં સપડા ગામમાં આવેલું છે. હજારો ભાવિકો આ મંદિરોમાં ગજાનનને શીશ નમાવવા જાય છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 18
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 44
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 28
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 108
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 101
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 103
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 89
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 140
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 115
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 74
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 68
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 69
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 78
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61



