જૂનાગઢની જાણીતી સાવજ ડેરીમાં ગેરકાયદે ભરતીનો ડાયરેક્ટરનો આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-01 16:46:13
  • Views : 24
  • Modified Date : 2025-05-01 16:46:13

જૂનાગઢ જિલ્લાની સહકારી સંસ્થા સાવજ ડેરી વિવાદોમાં ઘેરાઈ છે. ડેરીના ડાયરેક્ટર રાજુ બોરખતરીયાએ સહકાર મંત્રીને પત્ર લખીને 42થી વધુ કર્મચારીઓની ગેરકાયદે ભરતીનો આક્ષેપ કર્યો છે. તેમણે ડેરીમાં લોકશાહી મૂલ્યોનું ઉલ્લંઘન થતું હોવાનો અને તેમને બોર્ડની કાર્યવાહીથી અંધારામાં રાખવામાં આવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

રજૂઆતમાં રાજુ બોરખતરીયાએ જણાવ્યું કે તેઓએ ડેરીના હિતમાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ ચેરમેનને તે મંજૂર ન હોવાથી છેલ્લા એક વર્ષથી તેમને મિટિંગનો એજન્ડા મોકલવામાં આવતો નથી અને કોઈ માહિતી આપવામાં આવતી નથી. તેમણે આને રાજાશાહી ગણાવી સહકારના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે અન્ય ડાયરેક્ટરોને જાણ કરવામાં આવે છે, પરંતુ માત્ર પ્રશ્નો ઉઠાવનારને જ ટાર્ગેટ કરવામાં આવે છે તેવો પણ આક્ષેપ કર્યો છે.તેમણે વધુમાં જણાવ્યું કે બોર્ડના સભ્યોને જાણ કર્યા વિના અને વિશ્વાસમાં લીધા વિના 42થી વધુ કર્મચારીઓની ગેરકાયદે ભરતી કરવામાં આવી છે અને ઘણા નિર્ણયો રાજકીય દબાણ હેઠળ લેવાઈ રહ્યા હોવાની તેમને શંકા છે.જો કે, ચેરમેન દિનેશ ખટારીયાએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને રાજુ બોરખતરીયાની લાયકાત પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપો પાછળ રાજકીય પ્રેરણા હોવાનું જણાવ્યું છે.સહકાર મંત્રી આ ગંભીર રજૂઆત પર શું કાર્યવાહી કરે છે અને ડેરીમાં ચાલી રહેલી કથિત અનિયમિતતાઓ સામે કોઈ પગલાં લેવાય છે કે નહીં તે જોવાનું રહેશે. 

Download Our B K News Today App



Related News