લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી,કેજરીવાલ આજે પણ ED સમક્ષ નહીં હાજર થાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-18 14:37:05
  • Views : 511
  • Modified Date : 2024-03-18 14:37:05

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. કથિત દારૂ કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ પછી, EDએ કેજરીવાલને જલ બોર્ડ સાથે સંબંધિત એક કેસમાં પણ સમન્સ મોકલ્યું હતું. જે મુજબ તેણે સોમવારે 18 માર્ચે ED સમક્ષ હાજર થવાનું છે. પરંતુ કેજરીવાલે ઈડી સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો છે.આમ આદમી પાર્ટીનું કહેવું છે કે જ્યારે કેજરીવાલને કોર્ટમાંથી જામીન મળી ગયા છે તો પછી ED શા માટે તેમને વારંવાર સમન્સ મોકલી રહી છે. પાર્ટીનું કહેવું છે કે EDના સમન્સ સંપૂર્ણપણે ગેરકાનૂની છે. તેમનો ઉદ્દેશ્ય કોઈપણ ભોગે કેજરીવાલની ધરપકડ કરવાનો છે. પાર્ટીનું એમ પણ કહેવું છે કે ED ભાજપના નિર્દેશો પર કામ કરી રહી છે.ED તરફથી સમન્સ મળ્યા બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે CBI અને ED મોદીજીના ગુંડા બની ગયા છે. અને આ ગુંડાઓ વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. આતિશીએ કહ્યું કે CBI અને ED મોદીજીના ગુંડા બની ગયા છે. મોદીજીના આ ગુંડાઓ એક પછી એક વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. પાર્ટીનું કહેવું છે કે ભાજપ શા માટે EDની પાછળ છુપાઈને ચૂંટણી લડવા માંગે છે. તે ચૂંટણી પહેલા દિલ્હીના સીએમની ધરપકડ કરવા માંગે છે.

Download Our B K News Today App



Related News