હિંડનબર્ગ મારફતે દેશની પ્રગતિને રોકવાનું કોંગ્રેસનું ષડયંત્રઃ રવિશંકર પ્રસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-12 18:34:26
  • Views : 175
  • Modified Date : 2024-08-12 18:34:26

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતીય રોકાણકારો હિંડનબર્ગ અને કોંગ્રેસની મિલીભગત અને સુઆયોજિત કાવતરાને સમજી ગયા છે. જેના કારણે, આજે પણ ભારતનું શેરબજાર સ્થિર છે. હિંડનબર્ગને ગત જુલાઈમાં નોટિસ આપવામાં આવી હતી પરંતુ તેનો જવાબ આપવાને બદલે હિંડનબર્ગે આ નવો મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ અને તેમની ટુલકીટ દેશને નફરત કરે છે. દેશને આર્થિક રીતે નબળો પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ પણ સામેલ છે.હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટ પર રાજકીય ગરમાવો વધી ગયો છે. હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ભાજપે હિંડનબર્ગના આરોપોને પાયાવિહોણા ગણાવીને કહ્યું છે કે દેશ વિરુદ્ધ આર્થિક ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હિંડનબર્ગના લોકો ભારત વિરોધી પ્રચાર ચલાવે છે. શેરબજારને હચમચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીએ, આજે સોમવારે હિંડનબર્ગ મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ અને તેની ટુલકીટ દેશને નફરત કરે છે. ક્યારેક રાફેલનો પત્ર, ક્યારેક હિંડનબર્ગનો અહેવાલઆખરે કોંગ્રેસ શું ઈચ્છે છે ? દેશની પ્રગતિને રોકવાનું ષડયંત્ર છે. તેઓ આરોપ લગાવીને ભાગી જાય છે. હિંડનબર્ગના આક્ષેપો પાયાવિહોણા છે.

Download Our B K News Today App



Related News