ભારતમાં દર 20 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકની પીડાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 17:57:44
  • Views : 630
  • Modified Date : 2019-06-16 17:57:44

હેલ્થ ડેસ્ક: ભારતમાં દર 20 સેકન્ડે એક વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકની પીડાય છે. એટલે કે દર એક મિનિટે 3 વ્યક્તિ બ્રેઈન સ્ટ્રોકનો શિકાર બને છે. ફોર્થ એન્યુઅલ કોંગ્રેસ ઓફ સોસાયટી ઓફ ન્યુરો વસ્ક્યુલર ઇન્ટરવેન્શન (SNVICON) 2019ની મુંબઈમાં યોજાયેલી ત્રણ દિવસીય ઇવેન્ટમાં આ બાબતે ચર્ચા થઇ હતી. આ ઇવેન્ટનો હેતુ સ્ટ્રોક બીટેબલ છે એવો મેસેજ આપવાનો હતો. લોકોની બદલતી લાઈફસ્ટાઇલને કારણે ભારતમાં બ્રેઈન સ્ટ્રોકથી પીડાતા લોકોની સંખ્યામાં ગંભીર વધારો થઇ રહ્યો છે.ભારતમાં દર વર્ષે 1.54 મિલિયન લોકો બ્રેઈન સ્ટ્રોકથી પીડાય છે જેમાં 90% દર્દીઓ ટાઈમ પર હોસ્પિટલ પહોંચવામાં નિષ્ફળ જાય છે. 55 વર્ષની ઉંમર બાદ લાઈફટાઇમ સ્ટ્રોકનું રિસ્ક દર પાંચમાંથી એક મહિલાને અને દર 6 પુરુષમાંથી એક પુરુષને રહે છે.

બ્રેઈન સ્ટ્રોકમાં હાર્ટ અટેકની જેમ એકસમાન લક્ષણ જોવા મળતા નથી. બ્રેઈન સ્ટ્રોકનો આધાર મગજનો કઈ બાજુનો ભાગ અસરગ્રસ્ત છે તેના પર આધાર રાખે છે. બ્રેઈન સ્ટ્રોક સમયે બને એટલી ઝડપથી હોસ્પિટલ પહોંચવું જોઈએ. બ્રેઈન સ્ટ્રોકમાં સીટી અથવા એમઆરઆઈ સ્કેન જરૂરી છે.


Download Our B K News Today App



Related News