ગુજરાત કૃષિ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે પરંતુ ડીસાના જગવિખ્યાત બટાટાએ વેપારીઓ અને ખેડૂતોને કર્યા પાયમાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-06 10:58:09
  • Views : 924
  • Modified Date : 2019-07-06 10:58:09

ગુજરાત રાજ્ય ઔદ્યોગિક ક્ષેત્રની સાથે કૃષિ ઉત્પાદનમાં પણ મોખરાનું સ્થાન ધરાવે છે. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, કેમિકલ અને ફાઉન્ડ્રી ઉદ્યોગનો વિકાસ થયો છે. આમ વિકસેલા ઉદ્યોગ-ધંધા જે-તે જિલ્લા કે શહેરની ઓળખ બન્યું છે. જેમ કે હીરા ઉદ્યોગના લીધે સુરત ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ મિલોને લીધે અમદાવાદ માન્ચેસ્ટર સિટી અને રાજકોટ ફાઉન્ડ્રી હબ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હવે આવી જ એક નવી ઓળખ મેળવી છે  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું ડીસા શહેરે આ ડીસા શહેરને બટાકા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. ડીસા અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બટાકાની ખેતી કરવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે બટાકાના ઉત્પાદનના મામલે મોખરાનું સ્થાન મેળવ્યું છે. પરંતુ શુ તમે એ નહીં જાણતા હોય કે આ ઓળખ સમા બટાટાના કારણે છેલ્લાં ૩ વર્ષમાં ૨૦ જેટલા ખેડૂતો અને વેપારીઓ આત્મહત્યા કરી ચુક્યા છે.
બનાસકાંઠામાં ડીસાની ઓળખ એટલે બટાકાનગરી,  પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી ડીસાની ઓળખસમા આ બટાટા જ લોકોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત બટાટામાં મંદીના કારણે અનેક લોકો
પાયમાલ બન્યા છે. ૧૫ જેટલા લોકો આત્મહત્યા કરી ચુક્યા છે અને કેટલાંય લોકો સતત મંદી, દેવું અને લેણદારોથી બચવા માટે ઘર છોડીને નાસી ગયા છે. જી હા આ વાત છે બનાસકાંઠાના ડીસા શહેરની. જ્યાં થતા બટાટા માત્ર ગુજરાત નહીં પરંતુ ભારતભરમાં પ્રખ્યાત છે. ડીસાના બટાકા ક્વોલિટી અને હેક્ટરદીઠ ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવે છે. કારણકે ડીસાના ખેડૂતો હાઈડેન્સિટી પ્લાનિંગ ઓછા ગાળે વાવેતર, ટેકનોલોજીનો ઉપયોગ તેમજ પૂરતી માવજત કરવામાં માહેર હોવાના કારણે અહીંના ગુણવત્તાયુક્ત બટાકા ભારતભરમાં વખણાય છે. અગાઉ બટાકામાં સારા ભાવ મળતા હોવાના કારણે છેલ્લાં દસ વર્ષમાં સતત બટાકાનું ઉત્પાદન વધ્યું છે અને દસ વર્ષમાં બટાકાનું વાવેતર અઢી ગણું  વધી ગયું છે. ૨૦૦૯ માં બનાસકાંઠા જિલ્લામાં ૪૭,૦૦૦ હેક્ટર જમીનમાં વાવેતર થતું હતું, જે આજે વધીને  ૧.૨૦ લાખ હેક્ટર જમીનમાં વાવેતર થાય છે. તો વાવેતરનો વિસ્તાર વધવાની સાથે સાથે ઉત્પાદનમાં પણ અનેક ઘણો વધારો થયો છે.
જ્યારે બટાટા સંગ્રહની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ૩૮૭ સ્ટોર છે જેની કેપેસિટી ૫૭૫ લાખ બટાટાના કટ્ટા સંગરવાની છે જેમાંથી ૬૦ ટકા સ્ટોર માત્ર ડીસામાં જ છે. બનાસકાંઠામાં તેમાંય બે ચાર બાદ કરતા બધા જ ડીસામાં કુલ ૨૦૧ સ્ટોર છે, જેની
કેપેસિટી ૩૩૩ લાખ કટ્ટાની છે .બનાસકાંઠામાં ૩૬.૧૨ હજાર મેટ્રિક ટન ઉત્પાદન થાય જેમાંથી ૫૩ ટકા કેપેસિટી સ્ટોરની એટલે કે ૧૯.૧૪ હજાર મેટ્રીક ટન બટાટા સ્ટોરમાં સાચવી શકાય. હવે બટાટાના ઉત્પાદનની સાથે સાથે સ્ટોરની કેપેસિટી પણ વધી છે. પરંતુ છેલ્લાં ૫ વર્ષમાં સતત ભાવ ઘટતાં ખેડૂતો અને સ્ટોરના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે .
હાલમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલા ૨૦૦ માંથી ૫૦ જેટલા કોલ્ડ સ્ટોરેજ તો બંધ થઈ ચૂક્યા છે. કારણકે મોટાભાગના સ્ટોર ઉપર બેન્કોની લોન છે અને સતત મંદીના કારણે લોનના હપ્તા ન ભરી શકતા ૫૦ જેટલા સ્ટોલ બંધ થઈ ચૂક્યા છે. જ્યારે અન્ય ૫૦ જેટલા સ્ટોર બેન્કોમાં એન.પી.એ થવાની કગાર પર છે એટલે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં જે બટાટા આધારિત જે કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ જેટલો ઝડપથી વિકાસ
પામ્યો હતો. તેટલો ઝડપથી  અસ્ત થવાની કગાર પર આવીને ઉભો છે. આ માટે અગાઉ પણ ખેડૂતો અને વેપારીઓએ સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ સરકારે માત્ર ટ્રાન્સપોર્ટ અને ખેડૂતોને સબસીડી આપતા તેનાથી કોઈ ખાસ અસર થઈ નહીં. અગાઉ પણ ૨૦૧૨માં ખેડૂતોએ બટાટાનો ભાવ ન મળતા રોડ પર ફેંકવાની નોબત આવી હતી. જેમાં ડીસા શહેરમાં મુખ્ય માર્ગો પર  તમામ ખેડૂતો અને વેપારીઓએ હજારો ટન બટાકા શહેરના માર્ગો પર ફેંકી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ પણ સરકાર દ્વારા કોઇ જ કાર્યવાહી ન થતા વર્ષ ૨૦૧૬-૧૭ અને ૧૮ માં પણ ખેડૂતોને બટાટાનો ભાવ ન મળતા ક્યાંક ફેંકી દેવાની નોબત આવી હતી. તો ક્યાંક ખેડૂતો ખેતરમાં જ બટાટા દાટી દીધા હતા. આમ દર વર્ષે સતત મંદીનો માર સહન કરી ખેડૂતો પાયમાલ બની ગયા છે. ખેડૂતોને મોંઘાદાટ બિયારણ, દવા, વીજળી અને ખાતર સહિત ૧૦ રૂપિયે કિલો બટાટા વેચાય તો જ પડતર ભાવ મળી શકે તેમ છે. જ્યારે અહીં તો ૫ થી ૭ રૂપિયે તો હોલસેલમાં બટાટા વેચાય છે, જેથી ખેડૂતોને ૫૦ ટકા જેટલું નુકસાન સહન કરવાનો વારો આવે છે.
ડીસાનો મુખ્ય પાક એવા બટાટા માટે સરકાર દર વર્ષે કંઈક નવી જાહેરાત તો કરે છે પણ હજુ સુધી તેમ કોઈ ચોક્કસ કામ થયું નથી. અગાઉ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી
આભાર - નિહારીકા રવિયા  હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી, હાલના વિજય રૂપાણી અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ બટાટાનું વેલ્યુ એડિશન કરી તેમાંથી પ્રોડક્ટ બનાવવા માટે ખેડૂતો પાસેથી બટાટા ખરીદવાની વાત કરી છે પણ હજુ સુઘી કિલો બટાટા ખરીદાયા નથી. માટે સરકાર આ મામલે કંઈક વિચારી બટાટાની મંદીમાંથી ખેડૂતો અને વેપારીઓને ઉગારવા પ્રયાસ કરે તેવી લોકમાંગ છે.

Download Our B K News Today App



Related News