અયોધ્યા રામમંદિર ભૂમિપૂજનને લઇ જિલ્લો રામમય બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-06 11:22:11
  • Views : 416
  • Modified Date : 2020-08-06 11:22:11

   અયોધ્યા રામમંદિર નિર્માણ દરમિયાન બુધવારે યોજાયેલા ભૂમિપુજન કાર્યક્રમને લઇ સમગ્ર જીલ્લો રામમય બન્યો હતો. જીલ્લામાં પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ, સુઇગામ, દાંતીવાડા, વડગામ, દાંતા, અમીરગઢ, ભાભર, દિયોદર, લાખણી અને કાંકરેજ તાલુકામાં ઠેર ઠેર રામભક્તો દ્વારા ભગવાન રામની પુજા-અર્ચના, જાહેર માર્ગો પર રંગાળી, ફટાકડા દ્વારા આતાસબાજી સહીત રાત્રે ઠેર ઠેર દિપ પ્રાગટ્ય કરી ભૂમિપુજન પ્રસંગની ઉજવણી કરાતા જીલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.બુધવારે અયોધ્યામાં નિર્માણ પામનાર રામમંદિરના ભૂમિપુજનને લઇ સમગ્ર જીલ્લામાં ઉજવણી કરાઇ હતી. જેમાં પાલનપુરમાં આવેલા મોટા રામજી મંદિર ખાતે ભગવાન રામની પુજા-અર્ચના, આરતી સહીત ફટાકડા ફોડી ઉજવણી કરાઇ હતી. દર્શનાર્થે ઉમટેલા રામભક્તોના જયશ્રી રામના નાદે મંદિર પરીસર ગુંજી ઉઠ્યું હતું. ત્યારે શહેરના ટેલીફોન એક્ચેન્જ વિસ્તારમાં જય ગોગા મિત્ર મંડળ દ્વારા વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર ખાતે 551 દિવડાઓથી શણગાર કરાતા મંદિર ઝળકી ઉઠ્યું હતું.જે બાદ આતશબાજી કરાઇ હતી. જ્યારે વાવમાં આવેલા કપિલેશ્વર મહાદેવના મંદિર ખાતે રામભક્તોએ શિવલીંગ પર ફુલની પાંખડીઓથી જયશ્રી રામ લખી પુજા અર્ચના કરી હતી. થરાદના જેતડા ગામમાં રામચંદ્ર ભગવાનને મંદિરને ગામલોકો દ્વારા રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને હવન, રામધૂન, આરતી, પ્રસાદ, 500 ઘી ના દિવા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યારે દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં કેસરી ધજાઓ લહેરાવી ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને ભારતીય જનતપાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઇઓ વહેંચી એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય કાર્યકરોએ ‘જય શ્રીરામ’ ના નારા અને ભગવા ઝંડા સાથે કુચ કરી હતી. ત્યારબાદ હાઇવે સર્કલ પર ભવ્ય આતશબાજી કરી અને નગરજનોમાં ગોળ-ધાણા વહેંચી મોં મીઠા કરાવી મંદિરના ખાતમુહૂર્તના એકબીજાને વધામણા આપ્યા હતા.જ્યારે કાંકરેજના થરામાં વિશ્વ હિન્દુ પરીષદ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા થરા ખાતે આવેલા શ્રીકૃષ્ણ ગૌશાળામાં ગૌશાળાની ગાયો ઉપર પુષ્પવર્ષા કરી ભગવાન રામની મૂર્તિને વાજતે-ગાજતે થરા બજારમાં શ્રીરામના જયઘોષ અને ફટાકડાની આતશબાજી સાથે પ્રદક્ષિણા કરી હાઇવે સ્થિત આવેલા બહુચર માતાજી મંદિર ખાતે આરતી અને હનુમાન ચાલીસાના પાઠ કરી ચાલી રહેલી કોરોનાની મહામારીમાં સરકારની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરી ભવ્યાતિભવ્ય હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. તો પાંથાવાડામાં હનુમાન મંદિરમાં અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનની ઉજવણી નિમિત્તે રામભક્તોએ શ્રીરામની ધૂન કરી અને જયશ્રી રામના નાદ સાથે દિપ પ્રજ્જવલીત કરી, પેંડા વહેંચી, ફટાકડા ફોડી રામજી મંદિર સુધી જય શ્રીરામના નાદ સાથે રેલી નિકાળી સમગ્ર વાતાવરણને શ્રીરામમય બનાવ્યું હતું. તેમજ અમીરગઢમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી રામમંદિર ભૂમિપુજન પ્રસંગની ઉજવણી કરી હતી. સહીત વડગામ તાલુકાના મગરવાડામાં રામજી મંદિરના શિલાન્યાસને લઇ રામજીના વધામણાંનો કાર્યક્રમ વડગામ રાષ્ટ્રીય યુવક બોર્ડ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં થોડા દિવસ અગાઉ ભાજપના વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી હતી. તેમના સન્માન સમારોહનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુપ્રસિધ્ધ યાત્રાધામ મણિભદ્ર વિર મહારાજના મંદિરે યોજાયો હતો. આ ઉપરાંત દાંતા, દિયોદર, સુઇગામ અને લાખણીમાં પણ રામભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી રામમંદિર ભૂમિપુજન પ્રસંગની ઉજવણી કરી હતી. આમ જીલ્લામાં ઠેર ઠેર ભગવાન શ્રીરામના કાર્યક્રમો યોજાતા જીલ્લો રામ મય બન્યો હતો.અયોધ્યામાં શ્રીરામ મંદિર ભૂમિપૂજનને લઇ યાત્રાધામ અંબાજી ખાતે વૈશ્વિક મંગલ યજ્ઞનું આયોજન મંદિરનાં વહીવટદાર અને ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે મંદિરની યજ્ઞ શાળામાં દેવીરાજોપચાર પૂજા કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા હનુમાન ચાલીસાનાં પાઠ પણ કરવામાં આવ્યા હતા. જોકે આ કાર્યક્રમ વૈશ્વિક મંગલ કાર્ય સહીત રામ મંદિરની શિલાન્યાસ નિર્વિગ્ને પૂર્ણ થાયને ફરી રામ રાજ્ય સ્થાપિત થાય તેવાં હેતુસર હોમ યજ્ઞ કરવામાં આવ્યાં હોવાનું ડેપ્યુટી કલેકટર અને વહીવટદાર મંદિર ટ્રસ્ટના એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું .ડીસા ખાતે જાહેર માર્ગ પર રંગોળી કરાઇ હતી. તો ધારાસભ્ય સહીત ઉમટેલા રામભક્તો દ્વારા મહાઆરતી કરી દિનની ઉજવણી કરાઇ હતી. ધાનેરામાં તમામ મંદિરોમાં રામમંદિરના મુહૂર્તના સમયે રામધુન કરવામાં આવી હતી. તેમજ શંખનાદ કરવામાં આવ્યો હતો.ત્યારે ધાર્મિક સંસ્થાના લોકો તેમજ હિન્દુ સમાજના લોકોએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કાર્યો હતો.

Download Our B K News Today App



Related News