અનુરાગ ઠાકુરના વિપક્ષ પર પ્રહાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-22 16:27:22
  • Views : 117
  • Modified Date : 2023-07-22 16:27:22

બિહાર અને રાજસ્થાનમાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધોને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, બિહારમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે. રાજસ્થાનમાં પણ અનેક ઘટનાઓ નોંધાઈ હતી. અહીં એક મંત્રીએ પોતાની જ સરકારને પ્રશ્નો પૂછ્યા તો તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હાલમાં અરાજકતાનો માહોલ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, બેગુસરાયમાં જે થયું તે આપણી સામે છે. નીતીશ કુમારે આ ઘટના પર એક શબ્દ પણ બોલ્યા નથી. મહિલાઓ વિરુદ્ધ અપરાધમાં રાજસ્થાન નંબર વન છે. છેલ્લા 4 વર્ષમાં અહીં મહિલાઓ વિરુદ્ધ અપરાધના 1.09 લાખ કેસ નોંધાયા છે. ભારતમાં બળાત્કારના 22% કેસ એકલા રાજસ્થાનમાંથી સામે આવ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુનેગારો સામે કાર્યવાહી કરવાને બદલે મહિલાઓ સામેના ગુનાઓ પર અવાજ ઉઠાવનારા તેમના એક મંત્રીને બરતરફ કર્યા છે.અનુરાગ ઠાકુરે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને પણ ઘેર્યા હતા. તેમણે કહ્યું કે પ્રિયંકાજી કહે છે કે, लड़की हूं लड़ सकती हूं પરંતુ રાજસ્થાન પર ચૂપ રહી શકું છું. તેમણે કહ્યું કે દૌસામાં બળાત્કાર અને હત્યા, ઉદયપુરમાં બળાત્કાર કરીને શરીરના 8 ટુકડા કરી દેવામાં આવે છે, જોધપુરમાં મુખ્યમંત્રીના ગૃહ જિલ્લામાં બળાત્કાર થાય છે, તો પછી એ લોકો ક્યાં છે જે કહે છે કે છોકરી લડી શકે છે?તેમણે કહ્યું કે જે મંત્રીએ કંઈક કહેવાની હિંમત કરી તેમને રાહુલ અને સોનિયાજીના કહેવા પર તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. મંત્રી ધાલીવાલ કહે છે કે રાજસ્થાનમાં બળાત્કાર એટલા માટે થાય છે કારણ કે તે વીરોની ભૂમિ છે.અનુરાગ ઠાકુરે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સામેની હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. બંગાળમાં હત્યા અને હિંસા દ્વારા સત્તા હડપવાનું કામ થયું હોવાનું જણાવ્યું હતું. હાવડામાં મહિલાને નિર્વસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો હતો. માલદામાં બે મહિલાઓને અર્ધનગ્ન હાલતમાં મારવામાં આવી રહી છે. પીએમએ મહિલાઓ પર થતા અત્યાચારો સામે કડક પગલાં લેવાનું કહ્યું ત્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પોતાના જ મંત્રી વિરુદ્ધ કડક પગલા લીધા છે.

Download Our B K News Today App



Related News