કોઈ અનાથ થયું તો કોઈએ દીકરી ગુમાવી, ભારે હૈયે ગમગીની વચ્ચે 22 લોકોના અંતિમ સંસ્કાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-01 16:58:06
  • Views : 481
  • Modified Date : 2019-10-01 16:58:06

આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામેથી અંબાજી મંદિર ખાતે દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓની ખાનગી લકઝરી બસને ત્રિશુળીયા ઘાટ પાસે અકસ્માત સર્જાતા બસમાં સવાર 22 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાં હતા. જયારે 54 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. મૃતકો અને ઇજાગ્રસ્તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકા અને બોરસદ તાલુકાના ગામોના છે. સોમવારે સાંજે અકસ્માત અંગેની ખબર આવતા તમામ ગામોમાં ઉચાટ ફેલાઈ ગયો હતો અને યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓના પરિવારજનોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.


સોમવારે સાંજે જ અગ્રણીઓ પાલનપુર અને દાંતા જવા રવાના થઇ ગયા હતા, બીજી તરફ દાંતા હોસ્પિટલમાં મૃતકોના પોસ્ટમોર્ટમ કરી મંગળવારે વહેલી સવારથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને આણંદ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મંગળવારે આંકલાવ તાલુકાના ખડોલ(હ) ના 6 મૃતદેહો, બોરસદ તાલુકાના પામોલના બે, દાવોલના બે અને કસુંબાડના એક મૃતદેહને ગામોમાં લાવવામાં આવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જયારે મૃતદેહો ઘર ખાતે લઇ જવાયા ત્યારે પરિવારજનો દ્વારા રોક્કડ મચાવી મૂકી હતી દરેકના આંખમાં આંસુ જોવા મળ્યા હતા અને મૃતકોની સ્મશાનયાત્રામાં આખા ગામ જોડાયા હતા અને ભારે હૈયે ગમગીની વચ્ચે મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


પામોલના કોઠીયાપુરાના પિતા પુત્રનું અકસ્માતમાં મોત

બોરસદ તાલુકાના પામોલ ગામના પરા વિસ્તાર કોઠીયાપુરામાં પ્રાથમિક શાળા પાછળ રહેતા રમેશભાઈ શનાભાઈ ઠાકોર ઉ.વ.40 ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેઓના પરિવારમાં પત્ની ,એક પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઈને બસનું આયોજન કરતા રાવજીભાઈ સાથે મિત્રતા હોઈ દર વર્ષે રમેશભાઈ અંબાજી દર્શન કરવા જતા આ વર્ષે બસનું આયોજન કરવામાં આવતા તેઓએ પોતાના 12 વર્ષના પુત્ર કાર્તિકને પણ સાથે લઇ લીધો હતો અને માતાજીના દર્શન કરવા નીકળ્યા હતા પરંતુ દર્શન કરી પરત ઘરે ફરતા સમયે સર્જાયેલા અકસ્માતમાં પિતા પુત્રનું મોત નીપજ્યું હતું. મંગળવારે સવારે પિતા પુત્રના મૃતદેહો કોઠીયાપુરા ખાતે લાવવામાં આવતા પામોલ સહીત આજુબાજુ વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. બન્ને મૃતદેહોને ઘરે લઇ જવાતા રમેશભાઈના પત્ની અને પુત્રીએ રોકકળ મચાવી દીધી હતી તેમજ આજુબાજુથી આવેલા લોકોની આંખોમાં પણ અશ્રુ આવી ગયા હતા બન્ને પિતા પુત્રની અંતિમયાત્રા સાથે નીકળી હતી.

કસુંબાડના સુરેશભાઈ પોતાની પાછળ પત્ની અને બે બાળકોને કલ્પાત કરતા છોડી ગયા
બોરસદ તાલુકાના કસુંબાડના સુરેશભાઈ કનુભાઈ ચૌહાણ ઉ.વ.37ના પરિવારમાં માતા-પિતા ,પત્ની,નેનો ભાઈ અને બે પુત્રો છે જેમાં મહેન્દ્ર ધો.8 અને દિલાવર ધો.3 માં અભ્યાસ કરે છે સુરેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા નવરાત્રીને લઇ બસના આયોજન અંગે તેઓને ખબર પડતા તેઓ એકલા જ બસમાં અંબાજી ખાતે દર્શન કરવા ગયા હતા. મંગળવારે તેઓનું શબ ઘરે લાવવામાં આવતા તેઓના માતા-પિતા અને પત્ની ભાગી પડ્યા હતા તેમજ બન્ને પુત્રોના આંસુઓએ હાજર સૌ કોઈની આંખોમાં આંસુ લાવી દીધા હતા.

દાવોલ ગામના બેના અકસ્માતમાં મોત

દાવોલ ગામના આથમણી વડી વિસ્તારમાં રહેતા સોમાભાઈ ગોહેલના પરિવારમાં પત્ની ,બે પુત્રી અને ત્રણ પુત્રો છે તેઓનો મોટો પુત્ર કિશનકુમાર સોમાભાઈ ગોહેલ ઉવ.19 છેલ્લા 4 વર્ષથી નવરાત્રીમાં અંબાજી ખાતે દર્શન કરવા જતો હતો અને તે પાંચ વર્ષ જવાનો હતો આ વર્ષ પછી આવતા વર્ષે છેલ્લો હતો.સોમાભાઈએ જણાવ્યું હતું કે મારો પુત્ર કિશન બહુ હોશિયાર હતો તે ધો.10 સુધી અભ્યાસ કરેલો અને હાલ તે શાકભાજીનો ધંધો કરી પરિવારને મદદરૂપ બનતો હતો હજુ ત્રણ માસ અગાઉ જ તેના લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારે આજે મારો પુત્ર અમારાથી અચાનક દૂર થઇ ગયો છે.કિશનનો મૃતદેહ ઘરે લાવવામાં આવતા તેના માતા પિતા અને હજુ ત્રણ જ માસ જેને લગ્નસુખ મેળવ્યું છે તેવી પત્ની ,બે બહેનો અને નાના ભાઈઓએ ભારે પોક મૂકી હતી,

અંબાજી દર્શન કરવા ગયેલા પરિવારે ત્રણ વર્ષની દિકરી ગુમાવી
દાવોલના ઉગમણી વડીપુરા વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ગોહેલ પોતાના પરિવાર સાથે અંબાજી દર્શન કરવા ગયા હતા. જેમાં તેઓના માતા-પિતા,કાકાનો દીકરો,પત્ની અને બે બાળકો સાથે ગયા હતા. અકસ્માતની ઘટના સુરેશભાઈની પુત્રી જાહન્વીબેન સુરેશભાઈ ગોહેલ ઉ.વ 8 જે ગામની પ્રાથમિક શાળામાં ધો.3 માં અભ્યાસ કરતી હતી તેનું મોત નીપજ્યું હતું. જયારે પરિવારના અન્ય સભ્યોને ઈજાઓ પહોંચતા તેઓને અમદાવાદ અને પાલનપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મંગળવારે સવારે જાહન્વીનો મૃતદેહ તેના ઘરે લાવવામાં આવ્યો હતો ત્યારે ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વિધિની વક્રતા એ હતી કે 8 વર્ષની માસુમ દીકરીનો મૃત શરીર તેના ઘરે આવી પહોંચ્યો હતો.


સાંસદ, ધારાસભ્યે શોક સંદેશ પાઠવ્યો
આણંદ જીલ્લાના ભાવિક ભક્તો ને અંબાજી જતા પાલનપુર પાસે લકઝરી બસને અકસ્માત થયો તે સમાચાર મળતાની સાથે આણંદના સાંસદ મિતેષભાઇ ( બકાભાઇ ) દ્વારા પાલનપુર સાંસદ પરબતભાઇ પટેલ તથા કલેક્ટરને ફોન પર સંપર્ક કરી તાત્કાલિક જરૂરી મદદ અને સારવાર મળી રહે તદઉપરાંત ઇજાગ્રસતો / મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામ સરનામાની વિગત મેળવી તેમના પરીવારોજનો સાથે સંપર્ક સાધી શકાય એવી તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમીતભાઇ ચાવડાએ મૃતકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીઇજાગ્રસ્તોને તત્વરીત સહાય મળે તે માટે અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News